- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Accident Of A Couple Coming From Ahmedabad Laborer Near Dahod, Girl Died After Falling From A Rickety Bike, Husband Did Not Hand Over The Body As His Mother in law Did Not Know About It.
દાહોદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

ત્રણ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર યુવક પોતાની પત્ની સાથે અમદાવાદથી બાઇક ઉપર આવી રહ્યો હતો. ત્યારે દાહોદ નજીક મોટી સારસીમાં ઉંઘનું ઝોકુ આવતાં પત્ની નીચે પટકાઇ હતી. જેથી માથાની ઇજાને કારણે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. જોકે, પોલીસે આ મામલે અકસ્માતે મોત અન્વયે ગુનો તો દાખલ કર્યો હતો પરંતુ પતિ તેની પત્નીના પિયરનું સરનામુ નહીં આપી શકતાં તેને મૃતદેહ સોંપ્યો ન હતો. પોલીસે યુવતિના પરિવારની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ મજૂરીએથી પરત આવતા હતા
મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના બિનોલી ગામના અમ્રતસિંહ સોંલંકીને કોરોના કાળમાં ત્રણ વર્ષ પહેલાં રતલામ ચોપાટી પર જાનુબેન સાથે મુલાકાત થઈ હતી. જે મુલાકાત છેવટે પ્રેમમા પરિણમતા બંન્નેએ લગ્ન કરી લીધા હતાં. ગૂજરાન ચલાવવા માટે અમ્રત અને જાનુબેન સજોડે અમદાવાદ ખાતે મજૂરી કરતાં હતાં. ત્યારે હાલમાં જ બંને બાઇક ઉપર બિનોલી જઇ રહ્યા હતાં. તે દરમિયાન રાતના ત્રણ વાગ્યાના અરસામાં દાહોદ નજીક મોટી સારસી ગામે મુવાલિયા ચોકડી નજીક જાનુબેનને ઝોકુ આવતાં તે બાઇક ઉપરથી પટકાઇ હતી. જેથી તેના માથા અને શરીરે ગંભીર ઇજા થઇ હતી.
પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે 108 બોલાવી
આ વખતે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે 108 બોલાવી તેને દવાખાને ખસેડી હતી. જોકે, જાનુબેનનું સારવાર દરમિયાન મોત થયુ હતું. પોલીસે આ ઘટના મામલે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો હતો.
અમ્રતે કહ્યું-મને તેના પિયરની જાણ નથી
હવે જાનુબેનના પિયરીયાઓને પણ તેમના મૃત્યુના સમાચાર આપવાના હતા. જેથી અમ્રતને પોલીસે તેની પત્નીના પિયરનું સરનામું પુછયું હતું, ત્યારે અમૃતનો જવાબ સાભળી પોલીસ પણ અવાક રહી ગઈ હતી. કારણ કે અમ્રતે જણાવ્યું કે, તે જાણતો જ નથી કે તેની પત્નીના પિયરીયા કોણ છે અને તેનું પિયર કયા છે. જેથી હાલ જાનુબેનની લાશ અમ્રતને નહીં સોંપીને પોલીસે જાનુબેનના પરિવારની શોધખોળ શરૂ કરી છે.