સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા
- કૉપી લિંક

દસાડા પાટડી તાલુકા હેઠળ આવતા 9થી 10 ગામોના ખેડૂતો દ્વારા આજરોજ પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને જંત્રીના વધારા મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતુ. જેમાં સરકાર દ્વારા વ્યવહારોને ધ્યાને લીધા વગર અરજદારોની જમીન જે સ્થળે આવેલી છે. તેમાં સરકાર દ્વારા નિયુક્ત કરેલ લેન્ડ વેલ્યુએશન કમિટી ( જિલ્લા સમિતિ )ના પરિપત્ર જોગવાઈને ધ્યાને લીધા વગર જંત્રીના દરોની સૈદ્ધાંતિક ગણતરીમાં ખુબ જ ગંભીર ભૂલ જણાઈ આવે છે, તેવું મુખ્ય અરજીકર્તા પટેલ વસંતભાઈ હરગોવિંદભાઈનું જણાવવાનું છે.

જે બાબતે ખેડૂતો દ્વારા જણાવાયું કે, સદર જમીનોનું સ્થળસ્થિતિ મુજબ તેઓના શેઢેથી અડીને આવેલા લાગુ સર્વે નંબરના તમામ સર્વે નંબરોની જંત્રીના બિનપિયત તેમજ ઔદ્યોગિક ( સામાન્ય તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ) પરના વર્ષે-2007થી તા-31/03/2021 સુધીના જમીન વેચાણ થયા છે. તેના પુરાવાઓ ધ્યાને લીધા વગર સરકાર દ્વારા નિયુક્ત કરેલી લેન્ડ વેલ્યુએશન કમિટી જિલ્લા સમિતિ દ્વારા સૈદ્ધાંતિક ગણતરીમાં થયેલી ગંભીર ભૂલ દૂર કરી 2011ના વર્ષના જંત્રીના દરોની વિસંગતતા દૂર કરી યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા માટે પાટડી દસાડા તાલુકાના ખેડૂતો દ્વારા આજરોજ આવેદન પાઠવ્યું હતુ. જેમાં પાટડી દસાડા તાલુકાના ખેડૂતો અને ખેડૂત આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.