ભાવનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઓમકારેશ્વર ફરવા ગયેલા ભાવનગરના એક પરિવારને અકસ્માત નડ્યો છે. ઓમરકારેશ્વરમાં આવેલા તીર્થઘાટ નજીક હોડી સવારી સમયે હોડી પલટી જતા પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક વ્યકિત હજી પણ લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે.
ઓમરકારેશ્વરમાં દર્શન કરી હોડીમાં બેસ્યા અને દુર્ઘટના સર્જાઈ
આ ઘટના બાદ અકસ્માતગ્રસ્ત પરિવારના ડ્રાઈવર સુખાભાઈએ કહ્યું હતું કે અમે ઈન્દોરથી આજે ઓમકારેશ્વર આવ્યા હતા. અહીં દર્શન કર્યા બાદ પરિવારના લોકો હોડીમાં બેસ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે.
એકનું મોત, એક લાપત્તા; ત્રણનો બચાવ
ઓમકારેશ્વરના કોટી તીર્થ ઘાટ પાસે આજે બપોરના સમયે દુર્ઘટના સર્જાતા હોડીમાં સવાર પાંચ લોકો ડૂબવા લાગ્યા હતા. જેમાં બે મહિલા અને પુરુષને નદી કિનારે હાજર તરવૈયા અને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. પરંતુ, એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે હજી પણ એક પુરુષ લાપત્તા હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.