Tuesday, May 16, 2023

બોટાદના મુસ્લિમ સમાજના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ; પોલીસ બેડામાં ખળભળાટ | Complaint against three police personnel who died during the treatment of a young man from the Muslim community of Botad; A commotion in the police station | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Complaint Against Three Police Personnel Who Died During The Treatment Of A Young Man From The Muslim Community Of Botad; A Commotion In The Police Station

બોટાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
મૃતક યુવકની ફાઈલ તસવીર - Divya Bhaskar

મૃતક યુવકની ફાઈલ તસવીર

બોટાદના એક યુવકને પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતા ઇજાના કારણે તેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મોત નીપજ્યું હતું. જેથી યુવકના સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી આરોપી પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા હતા અને આગામી 6 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે એવું જણાવ્યું હતું.

યુવકને માર મારનાર પોલીસ કર્મી આલકું બોરીયા સામે ફરિયાદ.

યુવકને માર મારનાર પોલીસ કર્મી આલકું બોરીયા સામે ફરિયાદ.

જોકે બોટાદ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓએ મુસ્લિમ યુવાનને માર માર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયાનો પરિવારનો આક્ષેપ હતો. જ્યાં સુધી પોલીસ કર્મચારી સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આખરે બોટાદ પોલીસના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે.

યુવકને માર મારનાર પોલીસ કર્મી રાહીલ સિદાતર સામે ફરિયાદ.

યુવકને માર મારનાર પોલીસ કર્મી રાહીલ સિદાતર સામે ફરિયાદ.

આ સમગ્ર બાબતે એસ.પી. કિશોર બળોલિયાએ જણાવ્યું હતું કે, બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ કે જે મિસ્ત્રી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગત 14 એપ્રિલના રોજ કાળુભાઈ મજૂરી કામ પતાવી પોતાના ઘરે આવતા હતા. ત્યારે ત્રણ પોલીસ કોન્સ્ટેબલે તેમને બોલાવી અને તું આ વ્યક્તિને ઓળખે છે અને આ મોટર સાઇકલ તું ચલાવે છે તે કોનું છે. તેંમ પૂછતાં કાળુભાઈએ તમે ત્રણેય લોકો કોણ છો તેમ જણાવતા અને આઈડી પ્રુફ માગતા પોલીસ કર્મચારી આલકું બોરીયા, રાહીલ સિદાતર અને નિકુલ સિંધવ આ યુવાનને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર મર્યોના આક્ષેપ કરવામાં આવ્યો હતો.

યુવકને માર મારનાર પોલીસ કર્મી નિકુલ સિંધવ સામે ફરિયાદ.

યુવકને માર મારનાર પોલીસ કર્મી નિકુલ સિંધવ સામે ફરિયાદ.

ત્યારે આ યુવાનને પહેલા બોટાદ ત્યારબાદ ભાવનગર અને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં આઈ.સી.યુ. હેઠળ સારવાર લઈ રહેલો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારજનો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આખરે પોલીસે ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે.

મુસ્લિમ યુવાનને માર મારનાર ત્રણ પોલીસ કર્મચારીઓમાં આલકું બોરીયા, રાહીલ સિદાતર અને નિકુલ સિંધવનો સમાવેશ થાય છે. જ્યાં આ ત્રણ કર્મચારીઓ સામે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ કરતા 302, 323, 114 કલમ મુજબ ગુનો નોંધાયો છે. અહીં ક્લીક કરો અને જાણો શું હતી સમગ્ર ઘટના

Related Posts: