દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે સાંજના સમયે એક મકાનમાં અકસ્માતે આગલ લાગી હતી.જેમા ઘરવખરી સામાન, ઘાસ, વળીઓ, અનાજ, રોકડ રકમ સાથે મકાન સંપુર્ણ બળીને રાખ થઈ ગયુ છે.
સાંજના સમયે અચાનક આગ ફાટી નીકળી
દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે માલગુણ ફળિયામાં રહેતાં 65 વર્ષીય સબુરભાઈ કુત્તરભાઈ ડાયરાના મકાનમાં ગત તા.28 મે ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી ગઈ હતી.આગે જાેતજાેતામાં પ્રચંડરૂપ ધારણ કરી લેતાં આગ અંગેની જાણ દેવગઢ બારીઆ ફાયર સ્ટેશનને કરવામાં આવતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી આગને ભારે જહેમત બાદ બુઝાવી હતી.
ઘાસ,ઘરવખરી,અનાજ અને સામાન સ્વાહા થઈ ગયો
આગમાં ઘરમાં ભરી રાખેલુ ઘાસ, વળીઓ, ઘરવખરી સામાન, અનાજ, રોકડા વિગેરે મળી આખુ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. જેથી આગમાં વ્યાપક નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સંબંધે સબુરભાઈ કુત્તરભાઈ ડાયરાએ પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આગ અંગેની જાણ કરતાં પોલીસે જાણવા જાેગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.