દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ એક યુવાન પરણિતા તથા એક વ્યક્તિએ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે બંન્ને પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
મોડી રાત્રે ઘરની ઓસરીમાં જ ફાંસો ખાધો
આત્મહત્યાનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે નદી ફળિયામાં બનવા પામ્યો હતો. જેમાં ગત તા.16મી મેના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના આસપાસ ગામમાં રહેતી 28 વર્ષીય પરણિતા દક્ષાબેન હિંમતભાઈ સંગાડાએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ઓસરીના ભાગે વળીના ભાગે દોરડા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક પરણિતાના મૃતદેહની નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે ગામમાં રહેતાં વેસ્તાભાઈ નાનાભાઈ સંગાડાએ લીમખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાન વયે આપઘાત કરી લેતા આશ્ચર્ય
આત્મહત્યાનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના દેગાવાડા ગામે નિશાળ ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.17મી મેના રોજ વહેલી સવારના આઠેક વાગ્યાના આસપાસ ગામમાં રહેતાં 42 વર્ષિય વિઠ્ઠલભાઈ સબુરભાઈ કોળીએ પોતાના ઘરની બાજુમાં આવેલા પતરાનો શેડમા લોખંડની એંગલ સાથે દોરડું બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે રમેશભાઈ સબુરભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.