Tuesday, May 16, 2023

રોહિત સમાજના પ્રથમ સમૂહલગ્નમાં વ્યસન ન કરવાના શપથ નવયુગલોને લેવડાવાયાં | In Rohit Samaj's first mass wedding, the newlyweds took an oath of non-addiction | Times Of Ahmedabad

મોડાસા39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મેઘરજના ગેડ ગામમાં સમૂહલગ્નમાં 15 નવયુગલો જોડાયાં

મેઘરજના ગેડમાં અડસઠ પરગણા ઇસરી દસ ગામ રોહિત સમાજનો પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાતાં 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા નવયુગલોને ભવિષ્યમાં બીડી તમાકુ કે અન્ય વ્યસન ન કરવા માટે શપથ લેવડાવાયા હતા. સમાજને વ્યસન મુક્ત કરવા અગ્રણીઓ દ્વારા પહેલ કરી સમાજને નવી દિશાનો રાહ ચિંધ્યો હતો.

સ્વ. પુંજીમાં તથા સ્વ. લાલાબાના પરિવારે ભોજનના દાતા તરીકે મહત્વનું યોગદાન આપ્યું હતું તેમજ અન્ય દાતાઓએ સોના , ચાંદીના દાગીના તેમજ ઘરવખરીનો સમાન આપી લગ્ન સમિતિ અને સમાજને તેમજ નવદંપતીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે નટુભાઈ પરમારે સમાજને કુરિવાજોથી મુક્ત થવા પર ભાર મૂક્યો હતો. યુગલોને જીવનમાં ક્યારેય પણ તમાકુ,બીડી, સિગારેટ કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનો નહીં કરીએ તેવા શપથ લેવડાવ્યા હતા.

સમૂહલગ્નમાં ભિલોડા-મેઘરજ ના ધારાસભ્ય પી.સી. બરંડા, અરવલ્લી જિલ્લા ભાજપા અ.જા.મોના પ્રભારી નટુભાઈ પરમાર , પૂર્વ માહિતી અધિકારી મેસરિયા ડૉ. અશ્વિનભાઈ રાઠોડ ,જિલ્લા પંચાયતના સદસ્ય રેખાબેન રાઠોડ, ઈસરી દસ ગામ પરગણાના પ્રમુખ પ્રમુખ રેવાભાઈ ચમાર તથા તેમની ટીમ તેમજ લગ્નોત્સવ આયોજન સમિતિના પ્રમુખ જગદીશભાઈ ચમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.