Tuesday, May 16, 2023

જૂનાગઢ આપના પ્રમુખ દ્વારા મનપાના જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુન્હો નોંધવા માગ | Junagadh AAP president wants to register criminal cases against the responsible officials of the municipal council | Times Of Ahmedabad

જુનાગઢ9 કલાક પહેલા

  • કૉપી લિંક

જુનાગઢ ખાતે નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશનના કામને લઈ તળાવમાં રહેલા જળચર જીવોને સુરક્ષિત અન્ય સ્થળે ખસેડવામાં આવે અને તળાવનું પાણી ખાલી કરવામાં આવે તે પહેલા માછલાઓ બચે તેવા હેતુથી જૂનાગઢના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર સોજીત્રાએ જુનાગઢ એ ડિવિઝનમાં અરજી કરી છે. અરજીમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અને શહેર મધ્યે આવેલ નરસિંહ મેહતા સરોવર જળાશય કે જે કુદરતી ભૂગર્ભ જળ રિચાર્જનો ખુબ જ મોટો સ્ત્રોત છે અને આ સરોવર જળાશય ની તમામ પ્રકારની જવાબદારી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. હાલમાં નરસિંહ મેહતા સરોવર કે જળાશય નું બ્યુટીફીકેશન કરવાની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન નરસિંહ મેહતા સરોવર નું પાણી ગંદુ થઈ રહ્યું છે અને આ સરોવર જળાશયનાં માછલાઓ ખુબ જ મોટી સંખ્યામાં મોતને ભેટ્યા છે અને તેમનાં મૃત દેહ નરસિંહ મેહતા સરોવર પાણીમાં અને કાંઠા પર અનેક જગ્યાઓ વેરિવખેર પડ્યા છે અને આ મૃતદેહોને રખડતાં કુતરાઓ દ્વારા જાહેરમાં ખાય છે આવા જ કારણોથી આ સરોવરની આસપાસનાં વિસ્તારની હવા તંદુરસ્તી માટે નુકશાનકારક થઈ હોય ત્યારે નરસિંહ મેહતા સરોવર નું બ્યુટીફીકેશન કરવાની કામગીરીથી એક જાહેર ત્રાસ દાયક કૃત્ય થઇ રહ્યાનું જણાય છે.

જુનાગઢ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર સોજીત્રાએ આ બાબતે જણાવ્યું હતું કે જુનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કે જેમની તાબેદારી હેઠળ નરસિંહ મહેતા બ્યુટીફિકેશન પ્રોજેક્ટ ની કામગીરી થઈ રહી છે. આવા અધિકારીઓની બેદરકારીના કારણે મોટી સંખ્યામાં માછલાઓના મોત થઈ રહ્યા છે અને કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયા બાદ પણ પ્રજાના પૈસાનું પાણી સરેઆમ થઈ રહ્યું છે. મરેલા માછલાઓ કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના કાંઠે જ ઢગલો કરી દેવામાં આવે છે.અને રખડતા કૂતરાઓ દ્વારા આ મૃત માછલાઓને જાહેરમાં ચૂંથવામાં આવે છે અને આવા બધા કારણોથી ફેલાતી દુર્ગંધથી આસપાસના વિસ્તારોમાં રહેવું ,જીવવું કે પસાર થવું મુશ્કેલ બન્યું છે.ત્યારે જૂનાગઢના આ નિંભર અધિકારીઓ વિરુદ્ધ આજે પોલીસ અરજી કરવાની ફરજ પડી છે આજે આપેલી અરજી પ્રમાણે કાયદાની જોગવાઈઓ અનુસાર હવા, પાણી દૂષિત કરવું એ ગુનો છે તેમ જ જાહેર સ્થળે અડચણ ઊભી કરી અને લોકોને અધિકારીઓ સાથે ઘર્ષણ ઉતરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવે છે .આવા બધા કાયદાની જોગવાઈઓ ને ટાંકી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ સમક્ષ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની અરજી દાખલ કરવામાં આવી છે…

Related Posts: