સુરેન્દ્રનગર6 કલાક પહેલા
- કૉપી લિંક

પાટડી તાલુકાના માનાવાડા ગામની પરિણીતાને પતિ દ્વારા ગુસ્સામાં પગ પર પાવડાના હાથા વડે ફટકારતા ફ્રેક્ચર થયું હતુ. આથી પરિણીતા દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાઇ સાસરિયા વિરૃદ્ધ માનસિક પ્રતાડીત કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
પાટડી તાલુકાના માનાવાડા ગામના ગીતાબેન રમેશભાઈ મરેડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેઓની દીકરી ઘરના ફળિયામાં સુતા હોય જેથી તેઓના પતિ દ્વારા કહ્યું હતુ કે, કેમ અહીં બહાર સુતા છો ? તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા અને બાદમાં સુઈ ગયા હતા. ત્યારબાદ સવારે ઉઠાડીને કહ્યું હતું કે, કામ પર જવાનું છે, ટિફિન કેમ નથી બનાવ્યુ ? જેથી ગીતાબેને જણાવ્યું હતું કે, હું પણ કામ પરથી જઈને આવીને થાકી ગઈ છું.
તમે કારખાનાની કેન્ટીનમાંથી આજે જમી લેજો. જેથી આમ કહેતા તેમના પતિ દ્વારા ગુસ્સો કરી અચાનક લાકડીથી માર મારવા લાગ્યા હતા. અને ગીતાબેન દ્વારા માર મારવાની ના પાડતા ઘરમાં રહેલા પાવડાનો હાથો લઈ આવી અને બંને પગમાં જોરથી મારવા લાગતા પગના ભાગે દુઃખાવો થતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ એમને બહુચરાજી દવાખાને લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે એક્સરે પાડી પાટો બાંધી રજા આપી દીધી હતી. જેથી પરિણીતા ગીતાબેન દ્વારા સાસરિયા વિરૃદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા અને ગાળો બોલી મારામારી કરવા બાબતે દસાડા પોલીસ મથકે નોંધાવતા વધુ તપાસ દસાડા પોલીસના પી.એસ.આઈ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યા છે.