Tuesday, May 16, 2023

બાળકને જન્મજાત ખોડખાંપણ આપવામાં માતાની બેદરકારી જવાબદાર, દેશમાં બે લાખથી વધુ બાળકો હૃદયની બીમારી સાથે જન્મે છે | More than two lakh children are born with heart disease in the country due to maternal negligence responsible for giving birth defects to the child. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • More Than Two Lakh Children Are Born With Heart Disease In The Country Due To Maternal Negligence Responsible For Giving Birth Defects To The Child.

અમદાવાદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકોથી લઈ 18 વર્ષ સુધીના વયના લોકોના આરોગ્ય અંગેનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જે બાળકોનો જન્મ થાય છે તેમાં ઓછા વજન સાથે ઘણા બાળકો જન્મતા હોવાનું સામે આવ્યું છે. નાના બાળકોમાં જન્મજાત ખોડખાંપણ, હૃદયની તકલીફ, પગમાં તકલીફ વગેરે બાબતો સામે આવી હતી. તેની પાછળ કારણો અનેક જવાબદાર હોવાનું બાળકોના નિષ્ણાત ડૉકટરો કહી રહ્યા છે. જો કે, બાળકોના મોટાભાગના કેસમાં રિકવરી મળી રહી છે.

ખોડખાંપણ ધરાવતાં કુલ 403 બાળકો : સર્વે
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષે સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં ગંભીર બાબતો સામે આવી હતી. અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કુલ બાળકો 4.73 લાખ છે, જે પૈકી 4.24 લાખ બાળકોનું સ્ક્રિનિંગ પૂર્ણ થઈ ગયું છે. આ સર્વેમાં 2 હજાર જેટલા બાળકોના વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે ઓછા વજન સાથે જન્મે છે અને ત્યારબાદ પણ વજનમાં ખાસ વધારો થતો ન હોવાનું સામે આવ્યું છે. આ સર્વેમાં જન્મજાત ખોડખાંપણ ધરાવતાં કુલ 403 બાળકો મળી આવ્યા છે. જેમાં 50 ટકા એટલે કે 207 બાળકોને હૃદયની તકલીફ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પગની તકલીફ વાળા 70 બાળકો, બહેરાશ ધરાવતા 26, આંખનો મોતિયો ધરાવતાં 15 બાળકો છે. જેને સારવાર આપવામાં આવી રહી છે.

આ સર્વેમાં જન્મજાત ખોડખાંપણ ધરાવતાં કુલ 403 બાળકો મળી આવ્યા જેમાં 50 ટકા એટલે કે 207 બાળકોને હૃદયની તકલીફ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો

આ સર્વેમાં જન્મજાત ખોડખાંપણ ધરાવતાં કુલ 403 બાળકો મળી આવ્યા જેમાં 50 ટકા એટલે કે 207 બાળકોને હૃદયની તકલીફ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો

બે લાખથી વધુ બાળકો હૃદયની બીમારી સાથે જન્મે છે
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, હું પોતે પીડીયાટ્રીક ડૉક્ટર છું. દર વર્ષે 2200 જેટલી સર્જરીઓ થતી હોય છે. મોટાભાગના બાળકો જન્મથી જ ખોડખાંપણ ધરાવતા હોય છે. 10 હજારમાં એક બાળક ખોડખાંપણવાળું જન્મે છે. આ સિવાય 1 હજારમાં 9 બાળક હૃદયની બીમારી ધરાવતા હોય છે. આપણાં દેશમાં બે લાખથી વધુ બાળકો હૃદયની બીમારી સાથે જન્મે છે. જો કે, હવે ટેક્નોલોજીકલ વિકાસ આવવાના કારણે આ બીમારીઓનો સરળતાથી ઈલાજ થઈ શકે છે.

રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ

રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ

99 ટકા કેસમાં રિકવરી આવી જતી હોય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જન્મથી જ ખોડખાંપણના કારણોમાં જો ગર્ભવતી મહિલા સ્મોકિંગ કે દારૂનું સેવન કરે અથવા તો પ્રેગનેન્સી દરમિયાન કોઈ ગંભીર બીમારી થઈ હોય. પ્રેગનન્સી પ્લાનિંગ વગર કરી હોય તેમજ તકેદારી રાખવામાં ના આવી હોય કે ડાયાબીટીસ અથવા વારસાગત બીમારી હોય તો પણ બાળકોને જન્મજાત ખોડખાંપણ આવી શકે છે. હવે કોઈપણ સર્જરી સરળતાથી થઈ શકે છે. બાળક નાનું હોય ત્યારે જ બાળકની બીમારી અંગે ખ્યાલ આવી જાય ને તુરંત સારવાર ચાલુ કરવામાં આવે તો ઓપરેશન વગર 99 ટકા કેસમાં રિકવરી આવી જતી હોય છે પરંતુ તકેદારી રાખવી જરૂરી છે.