અમરેલી24 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં એક મહિના અગાઉ અધાપાકાંડ સર્જાયો હતો. મોતિયાના ઓપરેશન બાદ 15થી વધુ લોકોની રોશની બંધ થઇ ગઇ હતી. જેમને વધુ સારવાર માટે અમદાવાદ અને અન્ય સ્થળે ખસેડાયા હતા. આ કાંડ સર્જાયો ત્યારે આરોગ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. તેમ આજ દીન સુધી આ કમિટીનો અહેવાલ બહાર પાડવામાં આવેલ નથી.
એક્શન ટેકન રિપોર્ટ માંગેલ હતો
આ મુદ્દે માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા તાત્કાલિક પીડિતોને ન્યાય મળી રહે તે માટે માનવ અધિકાર ભંગની તારીખ 17 ડીસેમ્બર 2022ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીમાં પિટિશન ફાઈલ કરવામાં આવેલ હતી.માનવ અધિકાર ભંગની ફરિયાદમાં આયોગે ગંભીર બનાવમાં નોટિસ કાઢી રાજ્યના આરોગ્ય સચિવ પાસે ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ માંગેલ હતો અને આયોગ દ્વારા પ્રાથમિક તપાસ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ હતી.માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા દરેક ભોગ બનનાર પીડિતને રૂ.50 લાખનું વળતર રાજ્ય સરકાર આપે અને ફરજમાં બેદરકાર ડોક્ટર સામે ફોજદારી અને ખાતાકીય પગલા ભરવામાં આવે તેવી માંગણી આયોગ સમક્ષ પિટિશનમાં કરવામાં આવેલ હતી.
રિમાઇંડર નોટિસ બાદ પણ જવાબ નહીં
અમરેલીમાં આવેલ જીલ્લા કક્ષાની શાંતાબા હોસ્પિટલમાં બનેલ અંધાપા કાંડ બાબતે રાજ્યના આરોગ્ય સચિવ, ગાંધીનગર દ્વારા સમય મર્યાદામાં રીપોર્ટ રજુ ન કરતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મુદ્દાને ગંભીરતાથી લઇ ચીફ સેક્રેટરી અને આરોગ્ય સચિવને અંતિમ નોટીસ આપી ચાર અઠવાડિયામાં તાત્કાલિક રીપોર્ટ સબમિટ કરવા નિર્દેશ જાહેર કરેલ છે, પણ આયોગના નિર્દેશ મુજબ ચાર અઠવાડિયામાં અને રિમાઇંડર નોટિસ બાદ પણ આયોગના નિર્દેશનું પાલન કરવામાં આવેલ નહી, જેમાં આરોગ્ય સચિવના આવા અયોગ્ય વર્તનથી નારાજ આયોગ આકરા પાણીએ થતા રાજ્યના આરોગ્ય સચિવને ફટકાર લગાવી રૂબરૂ દિલ્હી આયોગની ઓફિસે રૂબરૂ રિપોર્ટ સાથે હાજર થવા સમન્સ કાઢેલ છે.
સમન્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પોતાના સમન્સમાં જણાવેલ છે કે આ કાર્યવાહી કમિશનની અગાઉની કાર્યવાહીના ક્રમમાં વાંચવામાં આવશે.આ કેસમાં કમિશને સંબંધિત સત્તાધિકારીઓને એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે નિયત સમયગાળો વીતી જવા છતાં પ્રાપ્ત થયો ન હતો.
આ બાબતની કમિશનને ગંભીરતાથી નોંધ લીધી છે અને તેની રજિસ્ટ્રીને સંબંધિત સત્તાધિકારીને સમન્સ પાઠવી કાર્યવાહીનો અહેવાલ કમિશનને સબમિટ કરવા માટે અંતિમ ઉપાય તરીકે સમન્સ જારી કરવાનો નિર્દેશ આપે છે, આરોગ્ય સચીવ દ્વારા ચાર અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ જવા પર કમિશને માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993ની કલમ 13 હેઠળ પ્રક્રિયા શરૂ કરી છે.