Monday, May 15, 2023

લગ્ન કરવા બાબતે બોલાચાલી થતા જન્મદિવસે જ પ્રેમીકાને બોથર્ડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી પતાવી દીધી હતી | On his birthday, the girlfriend was stabbed with a blunt object and a sharp weapon during an argument over getting married. | Times Of Ahmedabad

જામનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

જન્મ દિવસની ઉજવણી વખતે જ પ્રેમીએ પ્રેમિકાને છરીથી ગળું વાઢી નિપજાવેલ કરપીણ હત્યા બાદ પ્રેમીને પોલીસે છેક આસામથી દબોચી લીધો છે. લગ્ન કરવા બાબતે થયેલી બોલાચાલી બાદ આવેશમાં આવી ગયેલા પ્રેમીએ પ્રેમિકા પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની વિગતો જાહેર થઈ છે. પ્રેમી અગાઉ રાજકોટના હત્યા પ્રકરણમાં જેલના સળિયા ગણી ચુક્યો છે.

લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે ગઇ તા.5 એપ્રિલના રોજ મનસુખભાઈ રણછોડભાઇ કણજારીયા રહે. ચેલાગામ તા.જી.જામનગર વાળાની પુત્રી અર્ચનાબેન કણજારીયાની કોઇપણ કારણે વાદવિવાદ થતા આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરાએ નાની રાફુદળ ગામે શરીરના ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હતું જે અંગે ફરીયાદ દાખલ થઈ હતી. લાંબા સમય બાદ આરોપીના સગળ નહીં મળતા સતવારા સમાજમાં રોષ ફેલાયો હતો અને આરોપીને પકડી પાડવાની માંગ સાથે એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ ખુનના ફરારી આરોપીને શોધી કાઢવા અને જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક .ડી.પી.વાધેલાના સંકલનમા રહી, આરોપીને ત્વરીત પકડી પાડવા એલ.સી.બી. પોલીસ ઇન્સ.ને સુચના કરી હતી. જેને લઈને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.આર.કે.કરમટા, પો.સ.ઇ. લ એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફ ની ટીમો કાર્યરત કરી, ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, જરૂરી વર્કઆઉટ કરવામા આવેલ, દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા,યશપાલસિંહ જાડેજા ઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, અર્ચનાબેન કણજારીયાના ખુનમા સંડોવાયેલા આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા આસામ રાજ્યના ગોવાહાટી શહેરમા હોવાની હકિકત આધારે આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરાને હસ્તગત કરવામાં આવ્યો છે.

મજકુર આરોપીની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે બોલાચાલી થતા આરોપીએ આવેશમા આવી મરણજનાર અર્ચનાબેન કણજારીયાને ગળાના ભાગે બોથર્ડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવેલ હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાલપુર પો.સ્ટે.ને સોપી આપેલ છે. આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા(સતવારા) ઉ.33 રહે. મોટી રાફુદળ તા.લાલપુર જી જામનગર વાળાને અર્ચનાબેન સાથે પ્રેમ સબંધ હોય, અર્ચનાબેનના જન્મ દિવસની કેક કાપવા માટે નાનીરાફુદળ ગામે સાથે લઇ જઇ, દરમ્યાન આરોપીને મરણજનાર સાથે લગ્ન કરવા બાબતે બોલાચાલી તકરાર થતા આરોપી આવેશમાં આવી અર્ચનાબેન કણજારીયાને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ઘા કરી ઇજા કરી ખુન કરી નાશી ગયેલ હતો.
આરોપીએ કયા કયા સ્થળ પર આશરો લીધો હતો?
આરોપી ખુન કરી નાશી જઇ પ્રથમ પીરલાખાસર, જામખંભાળીયા, દ્વારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઇ, ગોવા, પુના, મુંબઇ, દિલ્હી, ગૌહાટી (આસામ) વગેરે અલગ-અલગ સ્થળે આશ્રય લીધો હતો, દરમ્યાન એલ.સી.બી. દ્વારા,ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, આસામના ગૌહાટી શહેરમાથી ઝડપી પાડેલ છે. આરોપી સામે લાલપુર હત્યા પ્રકરણ પૂર્વે રાજકોટના હત્યા પ્રકરણનો ખટલો ચલાવવામાં આવેલ, આ ઉપરાંત જામનગર સીટી સી ડીવીજન પોલીસ મથકના વિસ્તારમાં મકાનમાં આગ લાગડી તોડફોડ કરી હતી. આ ઉપરાંત કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફેક આઇડી બનાવી ફોટા અપલોડ કરવા સબબ કાર્યવાહી થઈ હતી.

આ કાર્યવાહી પોલીસ.ઇન્સ. જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. આર.કે.કરમટા, પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ પાર પાડી હતી.

Related Posts: