ભાવનગરમાં રત્નકલાકાર પર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ | Police complaint alleging that three persons attacked a jeweler in Bhavnagar and threatened to kill him | Times Of Ahmedabad

ભાવનગર7 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના તળાજા જકાતનાકા પાસે રહેતા યુવાને પડોશી પાસેથી ઉછીના નાણાં લીધા હોય જેની પડોશીએ ઉઘરાણી કરતાં ફરીયાદી એ તારીખનો વદાડ આપતાં ઉશ્કેરાયેલા આરોપીએ તેના સાગરીતો સાથે ફરીયાદી પર જીવલેણ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો
સમગ્ર બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના તળાજા જકાતનાકા પાસે આવેલ જલારામ સોસાયટીમાં રહેતા અને હીરાના કારખાનામાં રત્નકલાકર તરીકે મજૂરી કરતાં અરવિંદ રામજી શિયાળ ઉ.વ.43 ને થોડા સમય પૂર્વે આકસ્મિક નાણાની જરૂરિયાત ઉભી થતાં તેણે પડોશમાં રહેતા સાગર વનરાજ બારૈયા પાસેથી હાથ ઉછીના નાણાં લીધા હતા, દરમ્યાન આરોપી સાગરે અરવિંદ પાસે ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતાં અરવિંદે હાલમાં મારી પાસે પૈસાની વ્યવસ્થા થાય તેમ નથી 25 તારીખે પૈસા પરત કરી દેશે તેમ જણાવતાં ઉશ્કેરાયેલા સાગરે પૈસાની પઠાણી ઉઘરાણી કરી ઝઘડો કરી તેના સાગરીત સાવન વનરાજ બારૈયા તથા વિજય અરવિંદ મકવાણાને બોલાવી રત્નકલાકર પર હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત અરવિંદે તબિબી સારવાર બાદ સાગર, સાવન અને વિજય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post