Monday, May 15, 2023

કાળઝાળ ગરમીમાંથી ક્યારે રાહત મળશે? સુમુલ ડેરી આપશે પશુપાલકોને બોનસ | Will you get relief from the scorching heat? School started for children living on footpath in Surat | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Will You Get Relief From The Scorching Heat? School Started For Children Living On Footpath In Surat

8 કલાક પહેલા

  • કૉપી લિંક

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર

રાજ્યભરમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ડિસામાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે જ્યાં શહેરીજનોએ બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી હતી. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા છે જ્યારે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લીધો હતો. અમદાવાદ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે વડોદરામાં 40.4 અને રાજકોટમાં 40.6 તેમજ ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવા ધગધગતા તાપમાં લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે.કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે, આજથી તાપમાનમાં આંશિક ઘટાડો થશે તેમજ આજે ગત દિવસોની સરખામણીએ તાપમાન ઘટ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 5 ડીગ્રી તાપમાનમાં વધારો થયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 40થી 43 ડીગ્રી તાપમાન રહેશે તેમજ 20 મેથી વધુ એક વાર હિટ વેવની રહેવાની શક્યતા છે.

સુમુલ ડેરી આપશે પશુપાલકોને બોનસ
સુમુલ ડેરી ના સંચાલકો દ્વારા પશુપાલકો માટે સમયાંતરે રાહતના સમાચાર આપવામાં આવતા હોય છે જે રીતે પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે તે જોતા સુમુલ ડેરીના સંચાલકો સતત ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેના માટે નિર્ણયો લેતા રહે છે. સુમુલ ડેરી દ્વારા જે બોનસ આપવામાં આવતો હતો તેની જાહેરાત કરવામાં આવી છે આ વખતે ઐતિહાસિક બોનસ 305 કરોડ સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવશે જેને લઈને પશુપાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.સુમુલ ના ચેરમેન માનસિંગ પટેલે જણાવ્યું કે પશુપાલકોના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વધુમાં વધુ લાભ થાય તે દિશામાં સતત તમે પ્રયાસો કરતા રહે છે પશુપાલનના વ્યવસાયમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયેલી છે તેઓ પગ ભર થાય અને ઉત્પાદન ખર્ચ ની સામે તેમને આવક પણ સારી રહે તેવા પ્રયાસો સુમુલ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્યારે જે બોનસ આપવાનો નિર્ણય કરાયો છે તે ઐતિહાસિક છે. પશુપાલકોને 305 કરોડ જેટલું બોનસ ચૂકવવામાં આવશે અને બચત તરીકે 5 રૂપિયા ચુકવશે. સુમુલને વાર્ષિક વ્યાજ ભારણ 80 કરોડથી ઘટાડીને રૂપિયા 37 કરોડ સુધી ઘટાડવામાં સફળતા મળી છે. જેનો સીધો લાભ પશુપાલકોને થઈ રહ્યો છે.

જગન્નાથપુરીની રથયાત્રા જેવી જ અનુભૂતિ થશે
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન આ વર્ષે નવા રથમાં નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે રથની તૈયારીઓના ભાગરૂપે હવે કલર કામ શરુ થયું છે. આ વર્ષે જગન્નાથપુરીના રથના કલર જેવા જ રથ કરવામાં આવશે. પુરીની રથયાત્રાની જેવી જ રથયાત્રા લાગે તેવા પ્રયાસ મંદિર તરફથી કરવામાં આવી રહ્યા છે. ભગવાનના રથના કલરની કામગીરી હાથથી નહીં પરંતુ સ્પ્રેથી પાક્કા કલરથી કરવામાં આવી રહી છે. જેના કારણે દર વર્ષે કલર કરવાની જરૂર નહીં પડે. દસ દિવસમાં આ રથના કલરની કામગીરી પૂર્ણ થઈ જશે.જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે ભગવાનના નવા રથમાં કલરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાએ ખૂબ જ મોટો ઉત્સવ છે અને લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે ભલે લોકો જગન્નાથપૂરી જઈ ન શકે પરંતુ જગન્નાથપુરીની રથયાત્રા જેવી જ અનુભૂતિ લોકોને થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. જેથી રથના કલર જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ કરવામાં આવ્યા છે.

સુરતમાં અનોખી શાળા શરૂ કરાઈ
સુરતમાં અનોખી શાળા શરૂ કરવામાં આવી છે. વર્ગખંડમાં હોય તે તમામ આધુનિક સુવિધાઓ સાથેની હરતી-ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. સુરતમાં ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર ફરતી શાળા શરૂ કરી છે. શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પટેલ પ્રમુખસ્વામીની જન્મ શતાબ્દીમાં સેવા કરવા ન જઈ શકતા તેમણે આ પ્રકારની શાળા બનાવી ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો વિચાર કર્યો હતો. આ બસ 8 લાખથી વધુની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેનું આજે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.સુરતનાં અડાજણ વિસ્તારમાંથી આજે એક અનોખી શાળા શરૂ કરવામાં આવી છે. અડાજન વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ સંકુલના ટ્રસ્ટી મહેશ પટેલ દ્વારા આ અનોખી શાળા આજથી શરૂ કરવામાં આવી છે. વર્ગખંડની જેમ જ બસની અંદર હરતી-ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા દિવ્ય પથ – માનવતાની મહેક ટ્રસ્ટ અંતર્ગત પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર નામથી અનોખી મોબાઈલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે.

2 વર્ષના માસુમને દીપડો ઉઠાવી ગયો
અમરેલી જિલ્લામાં દીપડા સહિત વન્યપ્રાણીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ત્રણ માસૂમ બાળકોનો માનવભક્ષી દીપડાએ અને સિંહણે શિકાર કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે 5 માસના માસૂમનો શિકાર કર્યો હતો, જ્યારે એ જ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં 3 વર્ષનો માસૂમનો જીવ લીધો હતો. જ્યારે આજે રાત્રે રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.રાજુલા તાલુકાના કાતર ગામમાં રહેણાક મકાનમાં રાતે વીજળી ન હોવાને કારણે ઘરમાં ઘૂસી દીપડો 2 વર્ષીય માનવ ગોપાલભાઈ પરમાર નામના બાળકનું ગળું પકડી બાવળની ઝાડીમાં લઇ ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં મોડી રાત્રે બાળકની હાલત વધુ બગડતાં એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પૂર્વે જ બાળકનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બે વર્ષના બાળકના મોતને લઇને માલધારી પરિવાર અને કાતર ગામમાં શોક સાથે ભયનો માહોલ છવાયો છે.

મધર્સ ડેના દિવસે બાળકીને તરછોડી દેવાઈ
મધર્સ ડે…. દરેક વ્યક્તિના જીવનમાં આ દિવસ અત્યંત અમૂલ્ય છે પરંતુ રાજકોટની એક નવજાત બાળકી માટે મધર્સ ડેનો દિવસ કરુણતા લઈને આવ્યો. જ્યાં સિવિલ હોસ્પિટલના અનામી પારણા તેને ત્યજી દેવાતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે મધર્સ ડેના દિવસે જ્યારે બાળકો તેમની માતાના વાત્સલ્યને વધાવતા હોય ત્યારે આ દીકરી તેની માતાના પ્રેમ અને હુંફથી અળગી થઈ ગઈ છે. ફૂલ જેવી કોમળ આ બાળકીના રુદનથી આખી હોસ્પિટલ વ્યથિત થઈ ગઈ હતી.આ મામલે જ્યારે દિવ્યભાસ્કરની ટીમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં ફરજ નિષ્ઠ કર્મચારી રાજનાબેન સાથેની વાતચીતમાં સામે આવ્યું હતું કે, શનિવારની રાત્રીના 11:00 કલાકે એક પુરુષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો તેના હાથમાં આ ત્રણ દિવસની નવજાત બાળકી હતી અને તે સિવિલ હોસ્પીટલનાં બાળ વિભાગમાં આવ્યો હતો. જ્યાં અનામી પારણામાં તેણે આ ત્રણ દિવસની બાળકીને મૂકી દીધી હતી અને ત્યાંથી આ પુરુષ ફરાર થયો હતો. જે બાદ તબીબોના ધ્યાને આ વાત આવી હતી.હાલ નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. ફૂલ જેવી કોમળ આ બાળકી અત્યારે વાત્સલ્ય માટે ઝંખે છે. આ મામલે સિવિલ ચોકી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

પોલીસે માર મારતા યુવકનું મોત થયાનો આક્ષેપ
બોટાદના એક યુવકને પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતા ઇજાના કારણે તેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મોત નિપજ્યું છે. જેથી યુવકના સમાજના આગેવાનોએ ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આરોપી પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં નહીં આવે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે અને આગામી 6 જૂનના રોજ વધુ સુનાવણી થશે.ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા કાળુભાઇ ઉસ્માનભાઈ પાસે ગત 14 એપ્રિલના રોજ બોટાદ પોલીસના બેથી ત્રણ પોલીસકર્મીઓ આવ્યા હતા. જેઓએ ચોરીના બાઇક અંગે કાળુભાઇને પુછ્યું હતું. જ્યાર બાદ કાળુ અને પોલીસકર્મીઓ વચ્ચે વાતચીત થઇ હતી અને તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાર બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ કાળુના પિતા ઉસ્માનભાઇ આક્ષેપ કરી રહ્યા છે કે કાળુને પોલીસ દ્વારા માથામાં માર મારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ મામલે સમાજના પ્રમુખ મુબારકભાઇ માંકડે જણાવ્યું હતુ કે, ગત 14 એપ્રિલના રોજ કાળુભાઇ ઉસ્માનભાઇને ખોટી રીતે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. માર મારવાનું કારણ એ હતું કે અમીરાજભાઈ પ્રવીણભાઈ બોરીચા, નિકુલભાઇ સિંધવ તેમજ રાહિલ ભાઈ સીદાતર નામના પોલીસકર્મીઓએ કાળુભાઇ પાસે બાઇકના કાગળ (દસ્તાવેજ) માંગ્યા હતા. આ દરમિયાન પોલીસ ડ્રેસમાં ન્હોતી. એટલે કાળુએ પોલીસકર્મીઓ પાસે તેમનું આઇકાર્ડ માંગ્યું હતું. જેથી પોલીસ કાળુને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. આ બનાવ બાદ કાળુને ભાવનગર, બોટાદ અને છેલ્લે અમદાવાદ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો.અમદાવાદ સિવિલમાં કાળુની બે વખત ન્યૂરો સર્જરી કરવામાં આવી. દરમિયાન આજે કાળુનું મોત થયું છે.

Related Posts: