ભાવનગર4 કલાક પહેલા
- કૉપી લિંક
ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં રહેતા રત્નકલાકાર યુવાન ઉપર અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી પિતા-પુત્રોએ છરી, પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં આવેલ ભાથીજી મંદિર પાસે રહેતા રત્નકલાકાર યુવક ઘનશ્યામભાઈ રતિલાલ ડાભીને ગામમાં રહેતા પ્રવીણભાઈ ડાભી સાથે અગાઉ બોલાચાલઈ થઈ હતી, તે બાબતની દાઝ રાખી ગઈ તા.27 ના રોજ મોડી રાત્રે તેઓ ઘરે જતા હતા. તે દરમિયાન પ્રવીણભાઈ ડાભી, તેનો ભાઈ નરેશ અને પિતા ચીથરભાઈ મેરાભાઇ ડાભીએ ઘનશ્યામભાઈને અટકાવી છરી, પાઈપ તથા લાકડી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવ અંગે ઘનશ્યામભાઈ ડાભીએ પિતા-પુત્રો વિરુદ્ધ આઈપીસી 323, 325, 326, 504, 114 તથા જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.