ખંભાળિયામાં ગઢવી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું; પોલીસની કામગીરી સામે શંકા: સીબીઆઈ, એટીએસને તપાસ સોંપવાની માગ... | A petition was given to the Collector by the Garhvi Samaj in Khambhalia; Doubts against police performance: Demand to hand over investigation to CBI, ATS... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Petition Was Given To The Collector By The Garhvi Samaj In Khambhalia; Doubts Against Police Performance: Demand To Hand Over Investigation To CBI, ATS…

દ્વારકા ખંભાળિયા3 કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં રાત્રિના સમયે એક ગઢવી યુવાન કાયાભાઈ રામાભાઈ ગઢવીની જાહેરમાં ધમધમતા રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ત્રણ મુસ્લિમ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.

આ બનાવના સંદર્ભે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના યુવાનો, આગેવાનો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી, આ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવી, તેમના મોબાઈલને ચેક કરવા તેમજ આ પ્રકરણમાં સંદર્ભ સંભવિત રીતે લવ જેહાદના ગ્રુપની સંડોવણી તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

થોડા સમય પૂર્વે પણ પોરબંદરના યુવાનની હત્યાની કોશિશમાં પ્રકરણમાં આ ગઢવી યુવાન સાક્ષી તરીકે હતો. તેથી તે મુસ્લિમ શખ્સોના નિશાના પર હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. હત્યાના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે શંકા વ્યક્ત કરી, હત્યા પ્રકરણની તપાસ સીબીઆઇ કે એટીએસને સોંપવા આ પત્રમાં માગ કરવામાં આવી છે.

Previous Post Next Post