Wednesday, November 8, 2023

108 will be operational during Diwali festival | સુરતમાં 47 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે, દિવાળીના દિવસે 9.06%, નવા વર્ષમાં 23.30% અને ભાઈબીજ પર 22.24%નો કેસમાં વધારો થવાની શક્યતા

સુરત2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન બાળકો, વૃદ્ધો, પુરૂષો કે સ્ત્રીઓ ફટાકડાઓથી દાઝી જવાના બનાવો બનતા હોય છે, ત્યારે તેમને ઝડપથી સેવા આપવા માટે સુરત 108 ઇમરજન્સી સેવા સતત ચાલુ રહેશે. એમ્બુલન્સના કર્મચારીઓ પોતાની રજા કેન્સલ કરી ઘરથી દૂર રહી 24*7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહી લોકોની સેવા કરશે. સુરતમાં 47 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. દિવાળીના દિવસે 9.06%, નવા વર્ષમાં 23.30% અને ભાઈબીજ પર 22.24%નો કેસમાં વધારો થવાની શક્યતા છે.

ફટાકડા ફોડતી વખતે સાવધાની સાથે તકેદારી રાખવી ગુજરાત EMRI