Friday, November 10, 2023

4 new food distribution centers started in Anand district, tiffins were given to workers in the launch program | આણંદ જિલ્લામાં 4 નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાયાં, લોકાર્પણ કાર્યક્રમમાં શ્રમિકોને ટિફિન આપવામાં આવ્યાં

આણંદ3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી બનાવાઈ છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા 4 ભોજન વિતરણ કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આણંદ શહેરના 100 ફૂટ રોડ પર આવેલ ભવનાથ મહાદેવ મંદિર પાસે, આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેના ત્રી-પાંખીયા ઓવર બ્રીજ પાસે, વલ્લભ વિદ્યાનગરના મોટાબજાર ખાતે ઇસ્કોન મંદિર સામે તેમજ બોરસદ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક શરૂ કરવામાં આવેલ ભોજન વિતરણ કેન્દ્રોનો બહોળી સંખ્યામાં શ્રમિકો લાભ લઈ શકશે.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ