રાજકોટ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટના રસુલપરામાં રહેતા 50 વર્ષીય રામચંદ્રભાઇ રાધેલાલ પાલ આજે સવારે 9.30 વાગ્યે ઢોલરા ચોકડી પાસે આવેલી ચાની હોટલે ચા પીવા માટે ઉભા હતા, ત્યારે ચાની ચૂસ્કી લેતી વેળાએ અચાનક જ હૃદયરોગનો હુમલો આવતા તેઓ બેભાન થઇ ઢળી પડ્યા હતાં. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા 12 વર્ષથી રાજકોટમાં રહી ખારીની રેકડી ચલાવી વેપાર કરતા હતાં. તેઓને સંતાનમાં બે પુત્રી છે. જેઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા પ્રૌઢનું મોત રાજકોટની મહેશ્વરી