Friday, November 10, 2023

A fine of 20,000 was imposed after caterpillars appeared in Ghee Good restaurant in Naranpura, temples and roads in the city will be cleaned during Diwali | નારણપુરાની ઘી ગુડ રેસ્ટોરન્ટમાં સિંગમાં ઈયળ નીકળતાં 20 હજારનો દંડ, દિવાળીમાં શહેરમાં મંદિરો અને રોડ પર સફાઈ કરાશે

અમદાવાદ7 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ખાણીપીણી ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. બોપલ વિસ્તારમાં કાજુ બદામ બાદ હવે સિંગદાણામાંથી ઈયળ નીકળી છે. નારણપુરાના ઘી-ગુડ નામના રેસ્ટોરેન્ટમાં સિંગદાણામાં ઈયળ હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરી હતી. આ મામલે રેસ્ટોરન્ટના મેનેજરે લુલો બચાવ કર્યો હતો કે બહારથી મગાવેલી સિંગમાં ઈયળ નીકળી હતી. બાકી ગુલાબ બ્રાન્ડની બ્રાન્ડેડ સિંગ રેસ્ટોરેન્ટમાં વપરાતી હોવાનો મેનેજરે દાવો કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી 20000નો દંડ ફટકાર્યો હતો.

શહેરમાં મંદિરો અને રોડ પર સફાઈ કરાશે દિવાળીનાં તહેવારોમાં