આણંદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક

ચાંગા સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIIM) – ચારૂસેટ દ્વારા સતત બીજા વર્ષે આણંદ શહેરના 80 ફુટ રોડ પર આવેલ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે પ્રબંધન 2023 એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક અને મેનેજમેન્ટ વિશે પ્રેક્ટિકલ ટ્રેનીંગ મળી રહે તે હેતુસર ચાર દિવસીય એક્ઝિબિશન કમ સેલ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં IIIM ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટના 51 સ્ટોલ તેમજ ફુડના 16 સ્ટોલ મળી કુલ 67 સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓના અલગ-અલગ ગ્રુપ દ્વારા 25 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવામાં આવ્યું છે. MBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં માનસી શાહ, દ્દષ્ટિ પટેલ, વિધિ માવાની, ઓમ મકવાણા, રીયેન ક્રિશ્ચિયન અને મીરા આહિરે પણ આ પ્રબંધન 2023 માં ભાગ લીધો છે. તેઓએ દીધિતિ નામનો સ્ટોલ ખોલ્યો છે. જેમાં વિવિધ વેરાઈટીના લેડીઝ પર્સ, બટવા, કોલેજીયન બેગ તેમજ હિલિંગ ક્રિષ્ટલનું વેચાણ કરવામાં આવે છે. સાથે-સાથે નેઈલ આર્ટ પણ કરી આપવામાં આવે છે.

ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ અને ઈન્સ્ટન્ટ ઓફર આપવામાં