Monday, November 6, 2023

A proposal was placed before the Collector to grant parole to 43 prisoners during the Diwali festivities | દિવાળીનાં તહેવારોમાં 43 કેદીને પેરોલ આપવા કલેકટર સમક્ષ દરખાસ્ત મૂકાઈ

રાજકોટ4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા જેલમાંથી દિવાળીનાં તહેવારોને લઈને 43 જેટલા કેદીઓને પેરોલ આપવા માટે જીલ્લા જેલના જેલર દ્વારા કલેકટર સમક્ષ દરખાસ્ત કરી દેવામાં આવી છે. જેમાં 26 પુરૂષ કેદી અને 17 મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. પ્રકાશ પર્વ દિપાવલી પ્રસંગે સારી વર્તણૂકવાળા આવા કેદીઓ તેના પરિવાર સાથે દિપાવલી અને નૂતન વર્ષનો તહેવાર મનાવી શકે તે માટે પેરોલ આપવામાં આવે છે. કલેકટરને આ કેદીઓને પેરોલ આપવાના પાવર હોય જીલ્લા જેલના 43 કેદીને 15 દિવસની પેરોલ આપવા માટે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

આવતીકાલથી ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં