Sunday, November 12, 2023

Efforts will be made to increase the light of Diwali in poor people's homes by delivering clothes | ગરીબ લોકોને વસ્ત્ર પહોંચાડી તેમના ઘરોમાં દિવાળીનો પ્રકાશ વધે તેવા પ્રયાસ કરાશે

નવસારી2 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • શ્રી વીર નિર્વાણ મહોત્સવ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો

પ્રભુ મહાવીરના 2550 નિર્વાણ વર્ષના પ્રારંભના ઉ૫લક્ષમાં શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રીની ઉપસ્થિતિમાં નવસારી શ્રી આદિનાથ શ્વે.મૂ.પૂ. જૈન સંઘમાં યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવસારી નગરમાં ભગવાન મહાવીર સ્વામીના 2550 નિર્વાણ વર્ષના મહોત્સવમાં અવસર પ્રાપ્ત થયો છે, જે બદલ આભાર વ્યકત કર્યો હતો. જૈન સંઘના ટ્રસ્ટીઓએ ભગવાન મહાવીરના વિચારોને બાળકોને સુધી પહોંચાડી તેમના જીવનમાં ઉજાસ લાવવા જણાવ્યું હતું. ભગવાન મહાવીરના વિચારોને જૈન સમાજ સુધી મર્યાદિત ન રાખતા દરેક સમાજ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. રાજયમંત્રીએ નવસારીના આશાનગરમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ આયોજીત વસ્ત્રદાન કાર્યક્રમમાં જણાવ્યું કે, યુવક બોર્ડ દ્વારા અપીલ અને એક સંકલ્પ કરાયો છે કે, ગુજરાતના સૌ નાગરિકો દિવાળી પૂર્વે સાફ સફાઇ કરી કામ વગરની વસ્તુઓ કાઢી નાંખે છે. જેને ગુજરાતના યુવક બોર્ડ દ્વારા ગુજરાતમાં 1 લાખથી વધારે ઘરોમાં જઇને તેમના જૂના કપડા મેળવીને સામાન્ય અને ગરીબ લોકોને વસ્ત્ર પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે. ગરીબોના ઘરમાં દિવાળીનો પ્રકાશ વધે તેવા પ્રયાસ કરાશે.