અમદાવાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક

16 ઓક્ટોબરથી ચાલી રહેલા અધ્યાપકોના આંદોલનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ પહેલા તેઓએ પોતાની માંગણીઓ જેવી કે કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ, વિનંતી બદલી, પ્રમોશન, એડહોક સેવા સળંગ તથા QIP અને ઉચ્ચ અભ્યાસની મંજૂરી વગેરે જેવા પડતર પ્રશ્નોની રજૂઆત તમામ અધિકારીઓ તથા મુખ્યમંત્રી સુધી કરેલી હતી. અગાઉ 5 સપ્ટેમ્બરથી શરૂ થનારું આંદોલન શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓના માત્ર મૌખિક સાંત્વના પર સ્થગિત કરવામાં આવ્યું હતું. જે છેતરામણું પુરવાર થયું હતું. હાલના આંદોલન દરમિયાન મુખ્યમંત્રી દ્વારા મંડળના અધિકારીઓને રૂબરૂમાં બોલાવીને પડતર પ્રશ્નો વિશે ચર્ચા થઈ હતી. તેમણે અધિકારીઓને તાત્કાલિક નિવારણ લાવવા મૌખિક સૂચના પણ આપેલ હતી તેમછતાં 10 દિવસ જેટલા સમય બાદ પણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હજુ સુધી મંડળના હોદ્દેદારોને પડતર પ્રશ્નો માટે બોલાવી પડતર પ્રશ્નોનાં નિરાકરણ અંગે કોઈ બાંયધરી આપેલ નથી.
અધ્યાપકોના મુખ્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અનુરોધ