અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક

હવેથી જો કોઈપણ વાહન માલિકે પોતાનો વ્હીકલ ટેક્સ નથી ભર્યો તો તેઓએ વ્યાજ ચુકવણી કરવી પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા હવે વ્હીકલ ટેક્સ પર વ્યાજ લેવાની પોલિસી નક્કી કરવામાં આવી છે. 1 એપ્રિલ 2024થી આ નિયમ લાગુ પડશે. ટેક્સ વિભાગ દ્વારા અંદાજે 50000 જેટલા વાહનમાલિકોને બાકી ટેક્સની રકમ ભરી દેવા નોટિસ આપી છે. જો 31 માર્ચ 2024 સુધીમાં નહીં ભરે તો તેઓએ વાહન ખરીદ્યાની તારીખથી લઈ 31 માર્ચ સુધીનો ટેક્સ ભરવો પડશે.
રેવન્યુ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ રેવન્યુ કમિટી ચેરમેન