અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરના ફરતે આવેલા રિંગરોડની આસપાસ વધતા જતા વિસ્તારને પગલે નવી ડ્રેનેજ લાઈન નાખવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ સુધી 93 કરોડના ખર્ચે માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 3 કિમી લાંબી ડ્રેનેજ લાઈન નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મળેલી વોટર સપ્લાય કમિટીમાં આ કામગીરીને આજે મંજૂરી આપવામાં આવી છે. SP રીંગરોડની આસપાસ વધતા જતા વિકાસના પગલે આગામી 25 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખી અને ડ્રેનેજ લાઈન નાખવામાં આવનાર છે.
ટ્રીટ કરેલું પાણી સાબરમતી નદીમાં વોટર સપ્લાય કમિટી ચેરમેન