Wednesday, November 8, 2023

Monks and saints of the Jagannath temple performed the puja with a grand welcome, and from January 1, Lord Rama's photo and rice will reach every home in Gujarat | જગન્નાથ મંદિરના સાધુ-સંતોએ પૂજા કરી ભવ્ય સ્વાગત સાથે પદયાત્રા કરી, 1 જાન્યુઆરીથી ગુજરાતના ઘરે ઘરે ભગવાન રામનો ફોટો અને ચોખા પહોંચશે

અમદાવાદ6 કલાક પેહલા

  • કૉપી લિંક

રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામની ભવ્ય પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. 5 લાખ ગામમાં આમંત્રણ માટે રામ જન્મભૂમિ મંદિર દ્વારા પૂજિત અક્ષત કળશ અયોધ્યાથી વિવિધ શહેરોમાં પહોંચી રહ્યા છે. આજે એક અક્ષત કળશ અમદાવાદ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં સાંજે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર ખાતે સાધુ સંતો દ્વારા પૂજન અર્ચન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પદયાત્રા કરી જગન્નાથ મંદિરથી પાલડી વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય સુધી ઢોલ નગાળા સાથે કળશ લઈ જવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં મોચી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા. મહિલાઓ અને પુરુષો આ કળશ માથે લઇને ચાલ્યા હતા.

ઘરે ઘરે ભગવાન રામનો ફોટો અને ચોખા પહોંચશે ગુજરાત વિશ્વ