
આણંદએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજ્યના શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમજીવીઓને રૂ.5માં ભોજન મળી રહે તે માટે ત્રણ વર્ષ અગાઉ શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરુપે આણંદમાં નવા બસ સ્ટેન્ડ સામેના કડિયાનાકે પણ યોજના કાર્યરત થઇ હતી. જેનો મોટી સંખ્યામાં શ્રમિકો લાભ લેતા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આણંદ, વિદ્યાનગર અને બોરસદમાં આગામી 10મી નવેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે ચાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રો ઓનલાઇન શરૂ કરવામં આવશે. જ્યારે રાજયમાં 152 જેટલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખુલ્લા મુકાશે.
આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર આવેલા ભવનાત મહાદેવ મંદિર, બોરસદ