Sunday, January 8, 2023

India Vs Sri Lanka 1st Odi When And Where To Watch Ind Vs Sl Live Online Tv And Other

IND vs SL ODI Live Streaming: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણી (IND vs SL) પૂરી થઈ ગઈ છે અને હવે બંને ટીમોએ ODI શ્રેણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 5 દિવસમાં ત્રણ મેચ રમાશે. ત્રણેય મેચો ડે-નાઈટ રહેશે.

ટી-20 સીરીઝની સરખામણીમાં વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આ શ્રેણીમાં સિનિયર ખેલાડીઓની વાપસી થઈ રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડેમાં મોરચો સંભાળતા જોવા મળશે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ આ સીરિઝમાંથી વનડે ટીમમાં વાપસી કરી રહ્યા છે. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં વધુ ફેરફાર નથી.

ભારત-શ્રીલંકા વનડે શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

પ્રથમ ODI: 10 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકે (બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી)
બીજી ODI: 12 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકે (ઈડન ગાર્ડન્સ, કોલકાતા)
ત્રીજી ODI: 15 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકે (ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ)

live reels News Reels

લાઈવ મેચો ક્યાં જોઈ શકાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર ઉપલબ્ધ હશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ , ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, અશાન બંડારા, વાનિન્દુ હસરંગા, અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિન્દુ ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા, પથુમ નિસાંકા, પ્રમોદ મદુશન, કાસુન રાજિથા, સાદીરા સમરવિક્રમા, મહીષ તીક્ષણા, જેક્રી વાંદરસે, દુનિથ વેલાલગે. 

 

સૂર્યા T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે

સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. ગયા વર્ષે તે એકમાત્ર એવો ખેલાડી હતો જેણે T20 ક્રિકેટમાં 1000થી વધુ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૂર્યકુમારે 45 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 180.34ની અદભૂત સ્ટ્રાઈક રેટથી 1578 રન બનાવ્યા છે. શનિવારે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની ત્રીજી સદી હતી. 

શ્રીલંકા સામેની આ મેચમાં સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યા ભારત માટે બીજા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા 4 સદી સાથે નંબર પર છે.

આ સિવાય તેણે ભારતીય ટીમ માટે T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં તે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી શક્યો હતો. તે જ સમયે, રોહિત શર્મા 35 બોલમાં સદી ફટકારીને આ મામલે નંબર વન પર છે. સૂર્યાની આ ઇનિંગના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 229 રન બનાવી શકી હતી. 

 

Radhanpur: રાધનપુર નગરપાલિકા પ્રમુખ સામે લાગ્યો બાળ મજૂરી કરાવવાનો આરોપ, કિશોરનો હાથ કપાવા છતા ન આપ્યું વળતર

રાધનપુર: નગરપાલિકા પ્રમુખ મહેશ અદા સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. પાલિકા પ્રમુખની શેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં કામ કરતા રાજસ્થાનના શ્રમિકને ફેક્ટરીની અંદર બંધક બનાવી સમયસર ભોજન ન આપી માનસિક ત્રાસ આપી, બાળ મજૂરી કરાવવા બાબતે અદા ઓઇલ ફેક્ટરીના માલિક મહેશ અદા, સુપર વાઈઝર તેમજ મજુર લાવનાર ઠેકેદાર એમ કુલ ત્રણ લોકો સામે રાજસ્થાનના ચૌરાશી ખાતે ફરિયાદ નોંધાઈ છે અને તે અનુંસંધાને રાધનપુર પોલીસ મથકે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાધનપુર પાલિકા પ્રમુખ મહેશ અદાની સેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં બાળ મજૂરોને બંધક બનાવી ફેક્ટરીમાં બાળ મજૂરી કરાવતા હોવાનો ગંભીર આક્ષેપો થયાં છે.  આઠ /નવ માસ પહેલા ફેક્ટરીમાં કામ કરતા 16 વર્ષીય સંગીરનો હાથ કપાઈ જવાની ઘટના બની હતી. જે અંગે મોડે મોડે રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદ અનુસાર ઘટના એવી છે કે રાધનપુર પાલિકા પ્રમુખની શેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં ફરિયાદીનો મોટો દીકરો અનિલ ત્યાં નોકરી કરતો હતો અને તેના નાના ભાઈ કપિલને લેવા ફેક્ટરીમાં જતા ફેક્ટરીના માલિક મહેશ અદાએ કામ જલ્દી કર તો તારા ભાઈને રજા મળશે અને તું પણ કામે લાગીજા.

આમ આ દરમિયાન કામ કરતી વખતે ફેક્ટરીમાં રહેલ મશીનમાં 16 વર્ષીય અનિલનો હાથ કપાઈ ગયો હતો. જેથી તે સમયે તેને તાત્કાલિક રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા ત્યારે આ સમયે ફેક્ટરીના માલિક દ્વારા ફરિયાદ ન નોંધાવવા તેમજ વળતર આપવાની હૈયાધારણા આપી હતી પરંતુ સમય જતા કોઈ વળતર ના આપતાં બાળકોના પિતા દ્વારા રાજસ્થાનના ડુંગરપૂર જિલ્લાલના ચૌરાશિ પોલીસ મથકે ફેક્ટરીના માલિક મહેશ અદા, સુપરવાઈઝર અને મજુર લાવનાર ઠેકેદાર સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં ઉલ્લેખ છેકે કે અદા ઓઇલ ફેક્ટરીના માલિક તેમજ સુપરવાઈજર મારા બાળકોને બંધક બનાવી બાળ મજૂરી કરાવતા હતા અને ડરાવી ધમાકાવી ઓવર ટાઈમ કરાવતા હતા.

ફરિયાદ બાબતે રાધનપુર પોલીસ મથકના પીઆઈએ નિવેદન આપતાં કહ્યું કે, અદા ફકેટરી મિલના માલિક મહેશ અદા એમની ફેક્ટરી મિલમાં રાજસ્થાનની બહારથી મજૂરો લાવી બાળ મજૂરી કરાવતા અને ભોજન ન આપતાં એવી ફરિયાદ રાજસ્થાનના ડુંગરપુર ખાતે ફરિયાદ આપી જે જીરો નમ્બરથી અહીંયા આપતાં જીરો નમ્બર અહીંયા દાખલ કરી અને આક્ષેપો વાળી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં મહેશ અદા ફેક્ટરીના માલિક, પપ્પુ ચૌધરી સુપર વાઈઝર, અને ઠેકેદાર શારદાબેન ત્રણના વિરુધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાં ફરિયાદીનો દીકરો 14 વર્ષની ઉમર બતાવેલ છે જે બાબતે બાળ મજૂરીની તપાસ કરવાની બાકી છે.

રાધનપુર પાલિકા પ્રમુખ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ વિશે મહેશ અદાને પૂછતાં તેમને નિવેદન આપતાં કહ્યું કે મારાં પર જે આરોપો લાગ્યા છે કે, હું બાળ મજૂરોને બંધક બનાવી ઓવર ટાઈમ મજૂરી કરાવતો હતો એ ખોટું છે. મારે એટલું મોટુ કામ પણ નથી જેથી મારે મજૂરો જોડે ઓવરટાઈમ કામ કરાવવું જોઈએ અને મજૂરોનો એક મહિનાનો ઠેકો હોય છે જે થકેદારો દ્વારા જ મજૂરોને લાવી કામ કરાવતા હોય છે.  જોકે ઠેકેદાર અને મજુરનો પર્સનલ વિવાદ હોવાના કારણે મને પણ કંપનીનો માલિક હોવાથી ફરિયાદમાં સામેલ કર્યો છે. મને ખોટી રીતે હેરાન અને બદનામ કરવામાં માટે આવું કર્યું છે.

રાધનપુરની અદા ફેકટરીમાં શ્રમ કરતો બાળ મજુર એક માત્ર ભોગ બનનાર બાળક નથી. આવા કિસ્સા તો જેતે ફેક્ટરીના માલિક, મજૂરો લાવતા ઠેકેદારો અને સુપરવાઈઝરો દ્વારા ઓછું વેતન આપવું પડે તે માટે સમગ્ર રાજ્યમાં અસંખ્ય બનતા હોય છે અને જેનો ભોગ બાળમજૂરો તેમનું કિંમતી બાળપણનો ભોગ આપીને ભોગવે છે.

Kirtidan Gadhvi Lok Dayro in patan, rain currency notes, See video

પાટણ: રાધનપુર ખાતે ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં ચલણી નોટોનો વરસાદ થતો જોવા મળ્યો હતો. રાધનપુર ખાતે નિર્માણ પામનાર નંદી ગૌશાળાના લાભાર્થે ચાલી ભાગવત સપ્તાહ રહ્યો છે. નંદી ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં રાધનપુર ભાજપના ધારાસભ્ય લવીંગજીએ પણ નોટોનો વરસાદ કર્યો હતો. આજે પાંચમાં દિવસે કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં ગૌભક્તોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, અલ્પા પટેલ તેમજ દશરથ દાન ગઠવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. ડાયરામાં લોકોએ પણ લવિંગજી પર નોટોનો વરસાદ કર્યો હતો. નંદી ગૌશાળાના લાભાર્થે ભક્તોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો: સુર્યકુમારની સ્ફોટક બેટિંગ બાદ ભવ્ય ઉજવણીનો વીડિયો, ‘સુર્યા-સુર્યા’ના નારા સાથે કેક કાપી

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Kirtidan gadhvi, Patan news


Swara Bhaskar Shares Picture With Mystery Man

Swara Bhaskar Cryptic Post On Insta: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરેલી પોસ્ટે સોશિયલ મીડિયા પર સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. સ્વરાની સિક્રેટ પોસ્ટ પરથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તે ફરી એકવાર કોઈના પ્રેમમાં પડી છે? સ્વરા ભાસ્કરે શનિવારે મોડી રાત્રે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં અભિનેત્રી એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે. જોકે, બંનેનો ચહેરો દેખાતો નથી.

સ્વરાએ મિસ્ટ્રી મેન સાથે શેર કર્યો ફોટો

અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. ફોટોમાં સ્વરા કોઈની બાહોમાં જોવા મળી રહી છે. જો કે તેમાં સ્વરાનો ચહેરો દેખાતો નથી અને તે કોની સાથે છે તે પણ જાણી શકાયું નથી. સ્વરા ભાસ્કરે આ પોસ્ટ સાથે આપેલા કેપ્શનમાં લોકો તેને અભિનંદન આપવા લાગ્યા હતાં. 

સ્વરા પર થઈ અભિનંદનની વર્ષા 

live reels News Reels

તસવીર શેર કર્યા બાદ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘યે પ્યાર હો સકતા હૈ’. હવે આ પોસ્ટ પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું હતું, ‘બોયફ્રેન્ડ હૈ ક્યા?’ તો બીજાએ પૂછ્યું હતું, ‘ફોટામાં તમારી સાથે કોણ છે?’ તો અન્ય યુઝર્સ અભિનેત્રી સ્વરા ભાસ્કરને અભિનંદન આપી રહ્યા છે. આ ઉપરાંત સ્વરાના ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા હાર્ટ ઇમોજી શેર કર્યા હતાં.

હિમાંશુ શર્મા સાથે ત્રણ વર્ષ પહેલા થયું હતું બ્રેકઅપ 

જાહેર છે કે, સ્વરા ભાસ્કરના લેખક હિમાંશુ શર્મા સાથે પોતાના સંબંધોને લઈને ચર્ચામાં આવી હતી. બંનેની મુલાકાત ફિલ્મ રાંઝણાના સેટ પર થઈ હતી. કહેવાય છે કે, સ્વરા અને હિમાંશુએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ત્યાર બાદ વર્ષ 2019માં સ્વરા અને હિમાંશુનું પરસ્પર સહમતિથી બ્રેકઅપ થઈ ગયું હતું.

સ્વરા ભાસ્કરની મૂવીઝ

જાહેર છે કે સ્વરા ભાસ્કર તેની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે જ અભિનેત્રી તેના બેબાક અંદાજ માટે પણ જાણીતી છે. બોલિવુડમાં સ્વરાની ઈમેજ આખાબોલી અભિનેત્રી તરીકેની છે. તેણે રાંઝણા, તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, પ્રેમ રતન ધન પાયો, નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો પરિચય આપ્યો છે.


Ahmedabad: માનવતા થઈ શર્મસાર, કૃષ્ણનગરમાં પિતાએ 8 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ

Ahmedabad: માનવતા થઈ શર્મસાર, કૃષ્ણનગરમાં પિતાએ 8 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ

An Asiatic Lion Was Brought To The Lion Safari In Dadra Nagar Haveli

Asiatic lion: એશિયાટિક સિંહની ડણક સામાન્ય રીતે ગીરમાં સાંભળવા મળે છે. જંગલમાં વિચરતા સિંહોને જોવા માટે દુનિયાભરથી પ્રવાસીઓ ગીરની મુલાકાત લે છે. જો કે હવે દક્ષિણ ગુજરાતના લોકો માટે ગીર સુધી લાંબા નહીં થવું પડે. વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં બનાવેલ લાયન સફારીમાં સિંહને વિચરતા જોઈ શકાશે. પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા લાયન સફારી પાર્કમાં ગુજરાતમાંથી ત્રણ સિંહ લાવવામાં આવ્યા છે.

જંગલનો રાજા એટલે સિંહ.  સામાન્ય રીતે સિંહને જોવા માટે આપણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોઈએ છીએ, પરંતુ નાનકડા પાંજરામાં ડાલામથ્થાને જોવા કરતા જંગલમાં વિચારતા સિંહને જોવાનો નજારો કંઈક અલગ જ હોય છે. સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહ માત્ર ગીરમાં જોવા મળે છે. જોકે હવે વલસાડની નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ડાલા મથ્થાની ડણક સાંભળવા મળી રહી છે.  દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવેલું છે. 20 હેક્ટર વિસ્તારમાં બનાવેલ આ લાયન આ સફારી પાર્કમાં હવે ત્રણ સિંહ જોવા મળી રહ્યા છે.

આ ત્રણ સિંહ કુદરતી જંગલ વિસ્તારમાં વિચારતા જોવા મળી રહ્યા છે. આ સફારી પાર્કમાં હાલ અશોકા નામનો સિંહ અને ગિરજા અને મીરા નામની સિંહણ રાખવામાં આવેલી છે. દાદર નગર હવેલી પ્રશાસન માટે આજે ગર્વનો દિવસ હતો એક સાથે આ જંગલ સફારીમાં ત્રણ સિંહ કુદરતી વાતાવરણમાં વિચારતા જોવા મળી રહ્યા છે.

દાદરા નગર હવેલી એક પ્રવાસન સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે. જંગલ પહાડો અને નદીઓ જેવા કુદરતી વાતાવરણને માણવા આવતા પ્રવાસીઓ માટે લાયન સફારી પાર્ક એક નવું નજરાણું જોવા મળી રહ્યું છે. વરસે દહાડે અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને આ હિંસક વન્યજીવને જોવા માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાયન સફારીમાં પ્રવાસીઓ માટે ખાસ બે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 25 રૂપિયા જેવી નજીવી ટિકિટમાં પ્રવાસીઓ અડધો કલાક સુધી આ 25 હેક્ટરમાં બનાવવામાં આવેલ જંગલમાં સિંહના દર્શન કરે છે. 

live reels News Reels

પ્રવાસીઓને સિંહદર્શન માટે અગાઉ ગીર જવું પડતું હતું પરંતુ હવે દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ નજીકમાં જ સિંહ દર્શન કરી શકે છે. અહીં રોજ અનેક શાળાના વિદ્યાર્થીઓ પણ ખાસ પિકનિક માટે આવતા હોય છે. આ લાયન સફારીમાં 7 વર્ષીય અશોકા નામનો સિંહ,12 વર્ષીય મીરા અને 13 વર્ષીય ગિરજા  નામની સિંહણ  જંગલમાં મુક્ત પણે વિચરણ કરે છે. દાદરા નગર હવેલીના જંગલ વિસ્તારને જોવા આવતા વિદ્યાર્થીઓ માટે લાયન સફારી પાર્ક એક અનોખો અનુભવ પૂરો પાડે છે. બાળકોને નજીકથી જંગલમાં વિચારતા સિંહો ને જોવાનો લ્હાવો મળી રહ્યો  મળે છે.

સંઘપ્રદેશ દાદાર નગર હવેલીના પ્રવાસનને વેગ આપવા માટે બનાવેલા આ લાયન સફારી પાર્ક થકી લોકોને ઘર બેઠા સિંહ દર્શનનો મોકો મળી રહ્યો છે. અગાઉ આ લાઈન સફારીમાં માત્ર એક જ સિંહ હતો. જો કે હવે સિંહ અને સિંહણનું એક જોડું ગુજરાતથી લાવવામાં આવેલું છે અને આવતા દિવસોમાં આ સિંહના પરિવારમાં નાના બચ્ચાઓ પણ જોવા મળે તો નવાઈ નહીં. ત્યારે એશિયાટીક લાયન જોવા અને તેના કુદરતી વાતાવરણમાં સિહોને નિહાળવા માટે ગીર જવું ફરજિયાત હતું.પરંતુ હવે દાદરા નગર હવેલીના લાયન સફારી પાર્ક વિદ્યાર્થીઓ સહિત દરેક ઉંમરના લોકો માટે એક નજરાણું પુરવાર થઈ રહ્યું છે.

Hardik Pandya Credit Success To Ashish Nehra Gujarat Titans For His Captaincy Ind Vs Sl 

Hardik Pandya India vs Sri Lanka: હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને IPL ટાઇટલમાં લીડ કર્યા બાદ પાછું વળીને જોયું નથી અને નવા ભારતીય T20 કેપ્ટને તેની કપ્તાની હેઠળ ટીમ ઇન્ડિયાને શાનદાર જીત અપાવી હતી. હાર્દિકે પોતાની કેપ્ટનશીપમાં ફેરફારનો શ્રેય આશિષ નેહરાને આપ્યો છે.

ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ ગુજરાતની ટીમે પ્રથમ વર્ષમાં જ આ શાનદાર ઓલરાઉન્ડરને કેપ્ટન બનાવીને સાહસિક પગલું ભર્યું હતું. પંડ્યા, જેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન વરિષ્ઠ સ્તરે માત્ર એક જ વાર ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, તેમ છતાં તેણે તેના વિરોધીઓને ખોટા સાબિત કર્યા અને ઉદાહરણ તરીકે આગેવાની કરી.

ભારતે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં જીત સાથે શ્રેણી 2-1થી જીતી લીધા બાદ, પંડ્યાએ કહ્યું, “ગુજરાતના દૃષ્ટિકોણથી જે ખૂબ મહત્વનું છે તે છે કે મેં કેવા કોચ સાથે કામ કર્યું છે. આશિષ નેહરાએ અમારી માનસિકતાના કારણે મારા જીવનમાં મોટો ફેરફાર કર્યો. આપણે બે અલગ-અલગ વ્યક્તિત્વ હોઈ શકીએ છીએ પરંતુ ક્રિકેટ અંગેના આપણા વિચારો ઘણા સમાન છે.

તેણે કહ્યું, “કારણ કે હું તેની સાથે હતો, તેણે મારી કેપ્ટનશિપમાં સુધારો કર્યો છે. તેનાથી મને એ મેળવવામાં મદદ મળી જે હું જાણતો હતો. તેણે ચોક્કસપણે મને મદદ કરી છે. 
 
શ્રીલંકા સામેની ઘરઆંગણાની શ્રેણી પહેલા, ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ હાર બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ T20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ જતાં ભારતીય પસંદગીકારોએ ટીમમાં મોટો ફેરફાર કર્યો હતો. 

live reels News Reels

સૂર્યા T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે

સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. ગયા વર્ષે તે એકમાત્ર એવો ખેલાડી હતો જેણે T20 ક્રિકેટમાં 1000થી વધુ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૂર્યકુમારે 45 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 180.34ની અદભૂત સ્ટ્રાઈક રેટથી 1578 રન બનાવ્યા છે. શનિવારે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની ત્રીજી સદી હતી. 

શ્રીલંકા સામેની આ મેચમાં સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યા ભારત માટે બીજા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા 4 સદી સાથે નંબર પર છે.

આ સિવાય તેણે ભારતીય ટીમ માટે T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં તે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી શક્યો હતો. તે જ સમયે, રોહિત શર્મા 35 બોલમાં સદી ફટકારીને આ મામલે નંબર વન પર છે. સૂર્યાની આ ઇનિંગના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 229 રન બનાવી શકી હતી.  

Shoaib Akhtar Choose Suryakumar Yadav Over Ab De Villiers For Fearless Batting

Suryakumar Yadav or AB de Villiers: સૂર્યકુમાર યાદવ જે રીતે બેટિંગ કરે છે તેના કારણે તેની તુલના હંમેશા  બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથે કરવામાં આવે છે. બંનેની રમવાની શૈલી લગભગ સમાન છે. જે રીતે એબી ડી વિલિયર્સમાં મેદાનની ચારે બાજુ શોટ મારવાની ક્ષમતા હતી, સૂર્યકુમાર યાદવમાં પણ એવી જ ક્ષમતા છે. આ જ કારણ છે કે પહેલા ડી વિલિયર્સને મિસ્ટર 360 ડિગ્રી કહેવામાં આવતું હતું અને હવે સૂર્યકુમાર યાદવને આ નામથી બોલાવવામાં આવે છે.

સૂર્યકુમાર યાદવ કે એબી ડી વિલિયર્સમાંથી શ્રેષ્ઠ ખેલાડી કોણ છે ? ક્રિકેટ નિષ્ણાતો અને ભૂતપૂર્વ ક્રિકેટરો વચ્ચે પણ આ વાતની ચર્ચા ઘણી વાર થાય છે. હવે આ ચર્ચામાં શોએબ અખ્તરે પોતાનો પક્ષ રાખ્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને સૂર્યા અને ડી વિલિયર્સ વચ્ચે કોણ વધુ પસંદ છે તો તેનો જવાબ ભારતીય બેટ્સમેનની તરફેણમાં હતો.

શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, ‘હું એબી ડી વિલિયર્સની જગ્યાએ સૂર્યકુમાર યાદવને પસંદ કરીશ. એબી પાસે ક્લાસ હતો પરંતુ સૂર્યકુમાર યાદવ નિર્ભયતાથી શોટ રમે છે.  હું ચોક્કસપણે અને 100% સૂર્યકુમાર યાદવ પર પસંદગી રાખીશ.

સૂર્યા T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે

live reels News Reels

સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. ગયા વર્ષે તે એકમાત્ર એવો ખેલાડી હતો જેણે T20 ક્રિકેટમાં 1000થી વધુ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૂર્યકુમારે 45 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 180.34ની અદભૂત સ્ટ્રાઈક રેટથી 1578 રન બનાવ્યા છે. શનિવારે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની ત્રીજી સદી હતી. 

શ્રીલંકા સામેની આ મેચમાં સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યા ભારત માટે બીજા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા 4 સદી સાથે નંબર પર છે.

આ સિવાય તેણે ભારતીય ટીમ માટે T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં તે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી શક્યો હતો. તે જ સમયે, રોહિત શર્મા 35 બોલમાં સદી ફટકારીને આ મામલે નંબર વન પર છે. સૂર્યાની આ ઇનિંગના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 229 રન બનાવી શકી હતી. 

હવે માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં સૂર્યકુમારથી આગળ છે. રોહિતે ભારત માટે T20માં ચાર સદી ફટકારી છે અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં એક પણ સીરિઝ નથી હાર્યું ભારત, જુઓ કેવો છે રેકોર્ડ

આ રીતે, કેપ્ટન તરીકે T20 લીગ IPLનું ટાઇટલ જીતવા સિવાય, હાર્દિક પંડ્યાએ T20 ઇન્ટરનેશનલમાં 4 ટીમોને હરાવી છે. ભારતે આ મહિને ન્યુઝીલેન્ડ સામે ટી20 શ્રેણી પણ રમવાની છે. અહેવાલો અનુસાર, સિનિયર ખેલાડીઓ પણ આ શ્રેણીમાંથી બહાર રહેશે અને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ દ્વિપક્ષીય શ્રેણીમાં ઉતરશે.  (AP)

Kanjhawala Case : Accused Confession Anjali Dead Body Dragged Being Known

Kanjhawala Accident Update: કાંઝાવાલા કેસમાં આરોપીઓએ ક્રુરતાની તમામ હદો વટાવી દીધી છે. હવે આ મામલે વધુ એક સનસની ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલા આરોપીઓએ કબૂલાત કરી લીધી છે કે, ઘટનાના થોડા સમય બાદ જ તેમને ખબર પડી ગઈ હતી કે યુવતીનો મૃતદેહ તેમની કારમાં ફસાઈ ગયો છે. 

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપીઓએ મૃતદેહને એટલા માટે બહાર નહોતો કાઢ્યો કારણ કે તેમને ડર હતો કે જો કોઈ તેમને લાશને બહાર કાઢતા જોશે તો તેઓ ફસાઈ જશે. તેથી આરોપીઓએ વિચાર્યું હતું કે ચાલુ કારે જ લાશ આપોઆપ બહાર ફેંકાઈ જશે.

જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આ આરોપીઓ એ વાત સારી રીતે જાણતા હતા કે તેમની કારમાં એક મૃતદેહ ફસાયો છે અને તે ઢસડાઈ રહ્યો છે. પરંતુ ફસાઈ જવાના ડરથી તેઓએ લાશને કેટલાય કિલોમીટર સુધી ઢસડી જવાનું જ યોગ્ય માન્યું હતું. આરોપીઓએ ખુદ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અત્યાર સુધી આ મામલે એક પછી એક એવા ખુલાસા થઈ રહ્યા હતાં જેના કારણે લોકોમાં આક્રોશ સતત વધી રહ્યો હતો.

અંકુશ ખન્નાને મળી ગયા જામીન

live reels News Reels

દિલ્હીની એક અદાલતે શનિવારે અંકુશ ખન્નાના જામીન મંજુર કર્યા હતા. અંકુશ ખન્ના કે જેણે કંઝાવાલા અકસ્માત કેસમાં કથિત રીતે આરોપીઓનો બચાવ કર્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાન્યા દલાલે સરેંડર કરનાર ખન્નાના જામીન મંજૂર કર્યા હતા, કારણ કે તેની સામે લાગેલા આરોપો જામીનપાત્ર છે. આરોપીને રૂ. 20,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

નવા વર્ષની ઉજવણી દરમિયાન થયો હતો આ અકસ્માત 

31મી ડિસેમ્બર-1લી જાન્યુઆરી વચ્ચે રાત્રે કાંઝાવાલાના રોડ પર જે કંઈ પણ થયું તે ખૂબ જ દર્દનાક અકસ્માત હતો. અંજલિ રવિવારે રાત્રે પોતાની સ્કૂટી પર એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારબાદ તેનો અકસ્માત થયો હતો અને આરોપી લગભગ 12 કિલોમીટર સુધી લટકતા મૃતદેહ સાથે કાર ચલાવતો રહ્યો હતો. હવે આરોપીઓએ પોતે જ કબૂલાત કરી છે કે તેઓને કારમાં યુવતીની લાશ ફસાયેલી હોવાની પહેલાથી જ ખબર હતી.

Narendra Modi Was To Visit Pakistan Ajit Doval Faiz Hameed Meeting Imran Khan Step Back : Pak Journalist Claims

Narendra Modi Pakistan Visit: કાશ્મીર હંમેશાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે. દરેક જગ્યાએ બરાબરની ધોબી પછાડ ખાવા છ્તાં અને બેઈજ્જત થવા છતાં પાકિસ્તાનના કાયદ-એ-આઝમ કહેવાતા મોહમ્મદ અલી ઝીણાથી માંડીને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફ સુધીના દરેક પાકિસ્તાની નેતાઓએ કાશ્મીરની ધૂન ગાયે જ રાખે છે. પરંતુ એક પાકિસ્તાની પત્રકારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. પત્રકારે કાશ્મીર વિવાદ હંમેશા માટે ઉકેલી જવાને લઈને દાવો કર્યો છે. 

પાકિસ્તાનના આ પત્રકારે દાવો કર્યો છે કે, વર્ષ 2020માં કાશ્મીર મુદ્દાનો કાયમી હલ આવી શકે તેમ હતો. તેમણે દાવો કર્યો હતો કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ માટે પાકિસ્તાન જવાના હતાં. જો કે, આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી.

પાકિસ્તાની પત્રકાર જાવેદ ચૌધરીએ ઝીરો પોઈન્ટ નામની પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે, કાશ્મીર મુદ્દાનો હંમેશા માટે અંત આવી શકે તેમ હતો. કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની મુલાકાત પણ નિર્ધારીત થઈ ગઈ હતી, પરંતુ ઇમરાન ખાને છેલ્લી ઘડીએ પલટી મારી જતા વાતચીત આગળ વધી શકી નહોતી. જાવેદ ચૌધરીએ એવો પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેનાએ પોતે જ કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે પહેલ કરી હતી અને NSA અજીત ડોભાલને મળ્યા બાદ બધું જ પ્લાનિંગ કર્યું હતું.

ફૈઝ હમીદ પાકિસ્તાની પત્રકાર અજીત ડોભાલને મળ્યા હતા

live reels News Reels

પાકિસ્તાની પત્રકાર જાવેદ ચૌધરીએ પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો હતો કે, 2020માં પાકિસ્તાની સેનાએ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને પાકિસ્તાન આવવા માટે મનાવી લીધા હતા. આ આખી વાતને આખરી ઓપ જનરલ ફૈઝ હમીદે જ આપ્યો હતો. તેઓ અરબ દેશમાં ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી 9 એપ્રિલ 2021ના રોજ પાકિસ્તાન આવશે તેવો તખ્તો ઘડાયો હતો.

PM મોદી હિંગળાજ માતાના મંદિરે જવાના હતા : પાકિસ્તાની પત્રકારનો દાવો

જાવેદ ચૌધરીએ દાવો કર્યો હતો કે, પીએમ મોદી હિંગળાજ માતાના પૂજારી છે. તેઓ સીધા હિંગળાજ માતાના મંદિર જવાના હતાં અને 10 દિવસ સુધી ઉપવાસ રાખવાના હતાં. પરત ફરતી વખતે ઈમરાન ખાન સાથે મુલાકાત કરવાના હતાં. બંને એકબીજાનો હાથ પકડીને મિત્રતાની જાહેરાત પણ કરવાના હતાં. આ દરમિયાન પીએમ મોદી પાકિસ્તાન સાથે ફરી વેપાર યથાવત કરવાની પણ જાહેરાત કરવાના હતાં.

ઈમરાન ખાને છેલ્લી ઘડીએ પલટી મારી : પત્રકારનો દાવો

પાકિસ્તાની પત્રકારના દાવા મુજબ નરેન્દ્ર મોદી એ પણ જાહેરાત કરવાના હતાં કે તેઓ એકબીજાના મામલે હસ્તક્ષેપ નહીં કરે અને આતંકવાદમાં સામેલ નહીં થાય. કાશ્મીરનો નિર્ણય આપણે 20 વર્ષ બાદ સાથે બેસીને કરીશું. આ તમામ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લી ક્ષણે શાહ મહેમૂદ કુરેશીએ ઈમરાન ખાનને ડરાવી નાખ્યા હતા. તેમણે ઈમરાનને કહ્યું હતું કે, આમ કરવાથી તમારા પર એવી મહોર લાગી જશે કે તમે કાશ્મીરનો સોદો કરી નાખ્યો. ત્યાર બાદ ઈમરાન ખાને પીછેહઠ કરી નાખી અને આ આખો પ્રવાસ જ રદ કરવામાં આવ્યો.

ઈમરાને કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોને એક કરવાનો પ્રયાસ કર્યો

જ્યારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી ત્યારે પાકિસ્તાનના તત્કાલિન પીએમ ઈમરાન ખાને લગભગ તમામ વૈશ્વિક મંચ પર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનથી લઈને સંયુક્ત રાષ્ટ્ર સુધી મુસ્લિમ દેશોના સંગઠનમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, ઈમરાન ખાનના શબ્દોથી કોઈ જ ફરક પડ્યો નહોતો. તુર્કી સિવાય લગભગ તમામ દેશોએ તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દાનો રાજકીય ઉપયોગ

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ ભારતનો ભાગમાં આવે છે. તેમ છતાં પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દાનો રાજકીય ઉપયોગ દાયકાઓથી પાકિસ્તાનના લોકોને ભારત વિરુદ્ધ ઝેર આપવા માટે કરવામાં આવે છે. પાકિસ્તાની સેના પણ કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતી રહે છે.

A rare cow-dung beetle was spotted in the Kangsa revenue area – News18 Gujarati

Abhishek Gondaliya. Amreli: ધારી ગીર વિસ્તારની અંદર દલખાણીયા રેન્જમાં એક ઘોરખોદિયું જોવા મળ્યું હતું ઘોરખોદિયું બેઠી દોડનું પ્રાણી ગણવામાં આવે છે ઉપરનો અડધો ભાગ સફેદ તથા નીચેનો ભાગ કાળો હોય છે મોટાભાગે જંગલ વિસ્તારની અંદર જોવા મળે છે નદીની કોતરો તથા ખડકાળ વિસ્તારમાં વધુ જોવા મળે છે.

ઘોરખોદિયું કટોકટીની સ્થિતિમાં તે મરી ગયેલું હોય તેવો ડોળ કરે છે

આજરોજ ગિરધારી ડિવિઝનના દલખાણીયા રેન્જ પાસે રેવન્યુ વિસ્તારમાં જોવા મળ્યું હતું ઘોરખોદિયુ કાંસા નજીક દુર્લભ જણાતું ઘોરખોદિયું જોવા મળ્યું હતું વન વિભાગ પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે બે નર સિંહ સાથે તકરાર થયેલી હતી જેથી ઇજાગ્રસ્ત થયું હતું. તપાસ કરતા પગમાં અને પીઠના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી જેથી વન વિભાગ દ્વારા સારવાર અર્થે જસાધાર વન્ય પ્રાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

પશ્ચિમ ઘાટ તેમજ ભારત અને ઉચ્ચ હિમાલય સિવાય સમગ્ર ભારતમાં ઘોરખોદિયું જોવા મળે છે ગુજરાતમાં રણ વિસ્તાર સિવાયના મોટા ભાગોમાં તેનો વ્યાપ છે સમગ્ર ગીરમાં પણ તેનો વ્યાપ જોવા મળે છે.

આખો દિવસ બખોલ અથવા દરમાં રહેતું હોવાથી તે જોવા મળતું નથી શરમાળ પ્રકૃતિનો હોવા છતાં ભય જણાય તો આક્રમક બને ઘુરારાટી કરે છે. સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીની સામે થવામાં પીછે હટ કરતું નથી અને આક્રમક રીતે આગળ વધે છે કટોકટીની સ્થિતિમાં તે મરી ગયેલું હોય તેવો ડોળ કરે છે જેથી તેની આગવી વિશેષતા છે

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Animal, Local 18

PM Modi Ganga Vilas Cruise: Will Travel On The World's Longest Waterway, You Will Be Shocked To Know The Ticket Price

PM Modi Ganga Vilas Cruise: ગંગા વિલાસ ક્રૂઝ સુંદરવન, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને ઘણી વિશ્વ ધરોહર સ્થળોમાંથી પસાર થઈને 50 દિવસમાં બાંગ્લાદેશ થઈને ડિબ્રુગઢ પહોંચશે.

Ganga Vilas Cruise: ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્ર સરકાર નવા જળમાર્ગો બનાવવા અને તેના પર ક્રુઝ દ્વારા મુસાફરી કરવા માટે અનેક યોજનાઓ દ્વારા પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ તેઓ ગંગા વિલાસ ક્રૂઝને ફ્લેગ ઓફ કરશે, જેણે વિશ્વના સૌથી લાંબા જળમાર્ગની યાત્રા શરૂ કરી હતી. ગંગા વિલાસ ક્રૂઝની યાત્રા વારાણસીથી શરૂ થઈને ડિબ્રુગઢ સુધી રહેશે.

ગંગા વિલાસ ક્રૂઝ એ નદી પર તરતી ફાઈવ સ્ટાર હોટલ જેવી છે. ગંગા વિલાસ ક્રૂઝ તેની યાત્રા દરમિયાન બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ ખાતે તેની યાત્રા સમાપ્ત કરશે. ગંગા વિલાસ ક્રૂઝ 50 દિવસના પ્રવાસમાં ભારત અને બાંગ્લાદેશની 27 નદીઓમાંથી 3200 કિમીનું અંતર કાપશે. ગંગા વિલાસ ક્રૂઝ પર પ્રવાસીઓ ઘણી લક્ઝરી સુવિધાઓનો આનંદ માણશે. સાથે જ તેની ટિકિટની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

ગંગા વિલાસ ક્રૂઝની અનોખી વાતો:

live reels News Reels

ગંગા વિલાસ ક્રૂઝ 2020માં ચલાવવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી. આ ક્રુઝ ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવશે. ગંગા વિલાસ ક્રૂઝ નદીઓ પર તરતી ફાઇવ સ્ટાર હોટલ જેવી છે, જેમાં એક સમયે 80 મુસાફરો મુસાફરી કરી શકે છે. ગંગા વિલાસ ક્રૂઝ પર લક્ઝરી સુવિધાઓ માટે બધું જ ઉપલબ્ધ છે. આ ક્રૂઝમાં 18 લક્ઝરી સ્યુટ બનાવવામાં આવ્યા છે. જેમાં બે લોકો રહી શકે છે. આ લક્ઝરી સૂટ્સને રોયલ લુક આપવામાં આવ્યો છે.

ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ:

ક્રુઝ પર લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ, સ્પા, જિમ અને સનડેકની સુવિધા પણ છે. રેસ્ટોરન્ટમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય વાનગીઓ પીરસતું બુફે કાઉન્ટર પણ છે. ક્રુઝમાં મુસાફરોને પર્સનલ બટલરની સુવિધા પણ આપવામાં આવશે. ક્રુઝના ઉપરના ડેક પર મુસાફરો માટે એક બાર પણ બનાવવામાં આવ્યો છે, જેમાં આરામદાયક ખુરશીઓ સાથે કોફી ટેબલ પણ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ક્રુઝમાં ખુલ્લા ડેક પર સનબાથ અને પાર્ટી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

શું છે ગંગા વિલાસ ક્રૂઝની ટિકિટની કિંમત:

ગંગા વિલાસ ક્રૂઝની ટિકિટની કિંમત વિશે વાત કરીએ તો, અંતરા ક્રૂઝની સત્તાવાર વેબસાઇટ પર તેના તમામ પેકેજની કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, 4 દિવસના ક્રૂઝના ‘અતુલ્ય બનારસ’ નામના પેકેજમાં વારાણસીથી કેથી સુધીની મુસાફરી એક યાત્રી માટે 1.12 લાખ રૂપિયા છે. તે જ સમયે, કોલકાતાથી ઢાકા જતા મુસાફરોએ પ્રતિ વ્યક્તિ 4,37,250 રૂપિયા ખર્ચવા પડશે. ‘સિક્રેટ ઓફ સુંદરવન’ નામના પેકેજની કિંમત 1.20 લાખ રૂપિયા છે. તે જ સમયે, સૌથી સસ્તું પેકેજ ‘રિવર સૂત્ર’ ત્રણ દિવસનું છે અને તેની કિંમત 15000 રૂપિયા છે.

વારાણસીથી ડિબ્રુગઢ સુધીની મુસાફરી:

વારાણસીથી શરૂ કરીને, ગંગા વિલાસ ક્રૂઝ સુંદરબન ડેલ્ટા, કાઝીરંગા નેશનલ પાર્ક અને અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સહિત અનેક વિશ્વ ધરોહરના  સ્થળોમાંથી પસાર થઈને તે 50 દિવસમાં બાંગ્લાદેશ થઈને ડિબ્રુગઢ પહોંચશે.