Friday, January 13, 2023

કલ્યાણપુર પંથકમાં યુવતી પર દુષ્કર્મ | Girl raped in Kalyanpur Panthak

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

ખંભાળિયા26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લગ્નનો વિશ્વાસ આપીને પટેલકા ગામના રહીશે કુકર્મ આચરતા પોલીસ ફરિયાદ
  • ઉત્તરપ્રદેશના પરિવારની યુવતીએ ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં રહેતા એક પરપ્રાંતિય પરીવારની 32 વર્ષીય યુવતિને લગ્નનો વિશ્વાસ આપી અવાર નવાર ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પટેલકાના એક શખસ સામે નોંધાઇ છે.પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તપાસ શરૂ કરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં હાલ રહેતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની એક પરિવારની 32 વર્ષીય યુવતીને કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતો આરોપી વાલા સામત ચાવડા નામના શખ્સે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી આરોપી વાલા ચાવડાએ ભોગબનનાર યુવતી સાથે તેની ઈંચ્છા વિરુદ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી લગ્ન નહિ કરી દુષ્કર્મ આચર્યું હતું.

આ સમગ્રબનાવની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે વાલા સામત ચાવડા સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસે ભોગગ્રસ્તના મેડીકલ પરીક્ષણ સાથે આરોપીને પણ પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

44 ગામમાં 200 વર્ષથી વકરેલા વેર-ઝેર વચ્ચે શાંતિ સ્થાપી, આખું ગામ ઘસઘસાટ સૂતું હતું અને મધરાતે હરિભક્તના દરવાજે પહોંચ્યા | After 200 years of feud between the 44 villages, the entire village was fast asleep and reached Haribhakta's door at midnight

  • Gujarati News
  • Pramukh swami
  • After 200 Years Of Feud Between The 44 Villages, The Entire Village Was Fast Asleep And Reached Haribhakta’s Door At Midnight

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની હાલ અમદાવાદના આંગણે ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવ નિમિત્તે 600 એકરમાંથી 200 એકરમાં નિર્માણ પામેલાં પ્રમુખસ્વામી નગરમાં પ્રેરણા આપતી નગરી બની છે. આ નગરમાં જાતજાતની અને ભાતભાતની માહિતીથી માંડીને જાણકારી તેમ જ જીંદગીના પાઠ શીખવતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ચોતરફ આકાર પામેલાં પ્રદર્શનો, શો તેમ જ ગ્લો ગાર્ડન અને બાળનગરી ઊભાં કરવામાં આવ્યા છે. આ બધાંની વચ્ચે નગરના પ્રારંભમાં જ દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકુતિ ઊભી કરવામાં આવી છે. તેની નજીક જ પ્રમુખસ્વામી મહારાજની 15 ફૂટ ઊંચા સ્ટ્રકચર પર 30 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિમાંથી પ્રમુખસ્વામી મહારાજના સ્વરમાં જ શ્લોક વાગે છે. એટલું જ નહીં પરંતુ આ મૂર્તિની આસપાસ પ્રમુખસ્વામી મહારાજની જ 24 મૂર્તિઓ સ્થાપિત કરાઇ છે. જેમાં સમયની સાથોસાથ બદલાતાં જતાં વાતાવરણને અનુરૂપ શેડ આપવામાં આવ્યા છે. દરેક પ્રસંગમાં એક મેસેજ છે, સરવાળે જોઈએ તો દરેક પ્રસંગમાંથી એક જ બાબત જોવા મળે છે કે પ્રમુખસ્વામી મહારાજે પોતાનું જીવન સમાજ માટે ન્યોછાવર કરી દીધું હતું. અને તેઓ ‘બીજાના ભલામાં આપણું ભલું’ સૂત્ર ખરા અર્થમાં સાકાર થાય છે.

પ્રમુખસ્વામી મહારાજનું આખુંય જીવન લોકસેવામાં
આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજનું આખુંય જીવન લોકસેવામાં જ વ્યતિત થઇ ગયું હતું તે સૌ કોઇ જાણે છે. આવા અગણિત પ્રસંગો હતા. તો કેટલાંકે તો ખુદે પણ અનુભવ્યાં હશે. ત્યારે આ અગણિત પ્રસંગોમાંથી ભારે જહેમત બાદ મોટા સંતોએ 24 પ્રસંગો પસંદ કર્યા હતા. આ પ્રસંગો મૂર્તિની આસપાસ ઊભી કરવામાં આવેલી દિવાલોમાં તારીખ અને સમય સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તે સમયનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગોનું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. સમયની મર્યાદાના કારણે આ પ્રસંગો દરેક મુલાકાતીઓ માટે વાંચવા મુશ્કેલ બને પણ ખરી, તેથી જ દિવ્ય ભાસ્કરે તેમના વાંચકો માટે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં બનેલાં અગણિત પ્રસંગોમાંથી પસંદ કરાયેલાં 24 પ્રસંગો તારીખ, સ્થળ અને સમય સાથે અહીં રજૂ કર્યાં છે.

પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગો
29 જાન્યુઆરી 2001, અટલાદરા સવારે 6 વાગ્યે- સેવાનો શ્વાસ
સવારે 6-42 વાગ્યે વ્યાયામના ભાગરૂપે ભ્રમણ કરી રહેલાં સ્વામી પર ભૂંકપગ્રસ્ત ભુજથી ફોન આવ્યો. તેમાં સતત ત્રીસ મીનીટ સુધી સ્વયંસેવકોને માર્ગદર્શન આપતાં સ્વામી ચાલવાને કારણે ચડેલાં થાકથી હાંફતા પણ રહ્યાં. સૌ સહેલાઇથી શ્વાસ લઇ શકે તે માટે તેઓ ઘણીવાર સ્વંય શ્વાસ લેવાનું ચુકી જતા.

23 નવેમ્બર 1984, મહીજડા સવારે 7 વાગ્યે- માનવી મુખ્ય
એક વાર પ્રાતઃ ભ્રમણ કરી રહેલાં સ્વામીએ ભક્તોની વિનંતી સાંભળી પોતાનો દૈનિક ક્રમ ફેરવીને એક કલાકમાં 40 ઘેર પધરામણી કરી સૌને રાજી કર્યા. તે પછી જ તેઓએ પ્રાતઃ પૂજા અને ઔષધપાનનો નિયત ક્રમ પૂર્ણ કર્યો. તેઓ હંમેશા માનવીને મુખ્ય રાખતા.

28 માર્ચ 1990, સારંગપુર સવારે 8 વાગ્યે- અલ્પ અને અતિ
જયારે સ્વામી સવારે 8:30 વાગ્યે મંદિરમાં દર્શને પધાર્યા ત્યારે બે વડીલો તેઓની પ્રતીક્ષામાં ઊભેલાં. તેઓને મળવા પોતાની શારીરિક તકલીફ અને વૃદ્ધ વયને વિસારી સ્વામીએ ઉભડક પગે બેસી તે ભક્તોની વાત શાંતિથી સાંભળી. તેઓ પોતાનું ધ્યાન ઓછું રાખતાં, અન્યનું વધારે.

7 મે 1993, બોચાસણ સવારે 9 વાગ્યે- સેંકડોને સહાય, દરરોજ
પિતાનું અવસાન થતાં એ કિશોરનું ભવિષ્ય અંધકારમય બની ગયેલું. તેને સ્વામીએ ન કેવળ સાંત્વન આપી. પરંતુ તેના અભ્યાસ તેમ જ પરિવારના ભરણ-પોષણની વ્યવસ્થા પણ ગોઠવી દીધી. તરત જ અને વર્ષો સુધી આ રીતે સ્વામીએ સેંકડોને સાંભળતા અને સહાય, દરરોજ આપતા.

15 નવેમ્બર 1997, સારંગપુર સવારે 10 વાગ્યે- આત્મીયતાની આંખ
બીમારીના કારણે સ્વામીની જમણી આંખે પેડ અને શિલ્ડ બાંધેલા. છતાં તેઓએ એક કાને પરાણે ટકી રહેતાં ચશ્માં પહેરીને કેવળ એક આંખે બે કલાક સુધી પત્રો વાંચ્યા- લખ્યાં. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન 7,50,000થી વધુ પત્રો વાંચી- લખી સૌના દુઃખ વિદારેલાં અને મનોરથો પૂર્ણ કરેલાં.

12 જૂન 1990, મુંબઇ સવારે 11 વાગ્યે- કાળજાંની કાળજી
એક વાર મોટરમાં બિરાજેલાં સ્વામીએ શરૂ કરેલું એક લાંબા પત્રનું વાંચન દાંતના દવાખાને તેઓનો એક્સ-રે લેવામાં આવ્યો ત્યાં સુધી ચાલતું રહ્યું. તેઓ પોતાની પાસે પહોંચતા પ્રત્યેક કાગળની કાળજાની જેમ કાળજી લેતાં- પૂરેપૂરા પ્રેમ અને ભક્તિભાવ સાથે.

12 એપ્રિલ 1990, ઓદરકા બપોરે 12 વાગ્યે- શાંતિની સ્થાપના
44 ગામો વચ્ચે 200 વર્ષથી વકરેલાં વેર-ઝેરને મિટાવવામાં જયારે રાજાઓ અને રાજય સરકારો નિષ્ફળ નીવડી ત્યારે સ્વામીના શ્રધ્ધા અને સાંનિધ્યથી શાંતિ સ્થપાઇ. તેઓની સ્નેહપૂર્વકની સમજાવટથી સૌએ વર્ષો જૂની દુશ્મનાવટને દફનાવીને એકમેકના કૂવાજળનું પાન કર્યું.

27 નવેમ્બર 1990, પાટી બપોરે 1 વાગ્યે- વિખવાદની વિદાય
તે બપોરે સ્વામીએ ભોજન બાદ વિશ્રામ ન લીધો. તેઓ બે વ્યક્તિ પરસ્પરના વિખવાદ વિસરી, એકમેકને માફ કરી હાથ મીલાવે તે માટે પ્રયત્નશીલ બન્યાં. તેથી ખટરાગને કારણે વિખૂટા પડેલાં બે ભાઇઓ વચ્ચે એકરાગ સ્થપાઇ ગયો.

6 ડિસેમ્બર 1973, વાસદ બપોરે 2 વાગ્યે- સ્મિતનું દાન
તે દિવસે એકાદશી હોવાથી સ્વામીએ મુખમાં પાણીનું ટીપું પણ મૂકયું નહોતું. વળી, સવારથી જ તેઓના શરીરમાં 102 ડિગ્રી તાવ હતો. છતાં તેની જાણ કર્યા વિના તેઓએ ભર-તાપમાં એક પછી એક 122 પધરામણી કરી સૌને સ્મિત, સંતોષ અને સુખ આપ્યાં.

25 સપ્ટેમ્બર 1974, હાર્ટફર્ડશાયર, યુ.કે. બપોરે 3 વાગ્યે- આજીવન
બપોરે 3-45 વાગ્યે એક હરિભક્તના ઘરે પધરામણીએ પહોંચેલા સ્વામીને ખ્યાલ આવ્યો કે આ ભક્તના વૃદ્ધ અંગ્રેજ પાડોશી મિ. સ્ટ્રિન્જરને દીકરાને તરછોડી દીધાં છે. આ જાણી સ્વામીએ ભલામણ કરતાં તે ભક્તે પેલાં અંગ્રેજની આજીવન સંભાળ રાખી. સ્વામીની કરૂણા જીવનપર્યત રહેતી.

5 ફ્રેબ્રુઆરી 1983, સુંદલપુરાથી વડોદરા બપોરે 4 વાગ્યે- વચનપાલક
હૃદયરોગના હુમલા બાદ બપોરે 4-15 વાગ્યે હોસ્પિટલ તરફ જઇ રહેલાં સ્વામીએ મોટર થંભાવી- અગાઉથી ગોઠવાયેલા એક હરિભક્તના પારાયણનો પ્રસંગ સાચવી લેવાની સૂચના સંતોને આપવા માટે. તેઓને મન આપેલાં વચનનું પાલન ગંભીર માંદગીથી પણ વધુ મહત્વનું હતું.

18 જાન્યુઆરી 1990, ચંદ્રપુર સાંજે 5 વાગ્યે- મુક્તિદાતા
યોગાસનના નિત્યક્રમથી પધારેલાં સ્વામી વ્યસનમાં સપડાયેલા એક યુવાનને ધીરજપૂર્વક સાંભળતા ગયા અને સમજાવતાં રહ્યા. અંતે તેને વ્યસનમુક્ત કરીને જ રહ્યાં. આ રીતે તેઓએ 40,00,000 થી વધુ લોકોને વ્યસનમુક્ત કરેલાં.

12 ફ્રેબ્રુઆરી 1991, સારંગપુર સાંજે 6 વાગ્યે- સદા અંગત
સાજે 6-30 વાગ્યે દર્શને જઇ રહેલાં સ્વામી માંડ માંડ જોઇ શકતા હીરા ભરવાડને જોતાં જ રાજી થઇ ગયા. આ ગોપાલકની આંખે થયેલી શસ્ત્રક્રિયા બાબતે સવારથી જ પૂછપરછ કરતાં રહેલાં તેઓએ અત્યારે સ્વંય હીરાની આંખ તપાસી તેઓની સંભાળ સદા અંગત રહેતી, સાધારણ નહીં.

13 જાન્યુઆરી 1983, નાદરી સાંજે 7 વાગ્યે- સાચો મુકામ
તે સંધ્યાએ જયારે સ્વામી નાદરી ગામે પહોંચ્યા. ત્યારે અહીં ધૂળિયા રસ્તા તૂટલા- ફૂટલા અને ઉબડ-ખાબડ હતા. છતાં તેઓએ ટોર્ચના ઝાંખા અજવાળે રાત સુધીમાં 100 ઘરોમાં પધરામણી કરી સૌની ભાવના પૂર્ણ કરી તેઓનો સાચો મુકામ તો ગામ કે ઘરમાં નહીં, પણ ભક્તોના હૃદયમાં જ રહેતો.

31 ડિસેમ્બર 1989, કોઇમ્બતુર રાત્રે 8 વાગ્યે- પ્રેમભાવ- ત્વરિત પ્રતિભાવ
નીલગિરી એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતો. પરંતુ સ્વામી અચાનક પ્લેટફોર્મ પર બેસી, થોડા કલાક પૂર્વે અક્ષરવાસ પામેલાં એક વડીલ હરિભક્તને અંજલિ આપતો પત્ર લખવા માંડયા. તેઓ કદી પ્રેમનો ઉભરો શમાવી ન શકતા. તે તો તરત જ વહી છૂટતો.

6 જૂન 1985, અમદાવાદ રાત્રે 9 વાગ્યે- મનમેળ
અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોને શમાવવા સ્વામી દિવસોથી પ્રયત્નશીલ હતા. આખરે તેઓ એક રાત્રે 9-30 વાગ્યાથી મોડી રાત સુધી વાલીઓ, વિદ્યાર્થીઓ અને નેતાઓ વચ્ચે મનમેળ કરાવી શાંતિ સ્થાપવા બિરાજયા. તે વખતે કોઇએ વિશ્રામ અંગે પૂછયું ત્યારે તેઓ બોલ્યાં. લોકો દુઃખી થાય છે ત્યારે આરામ કેવો?

3 ફ્રેબ્રુઆરી 1994, સેલવાસ રાત્રે 10 વાગ્યે- સુખનું ક્ષેત્ર
સ્વામી પોઢવા માટે પલંગ પર પડખાઢાળ થતાં જ બત્તી બુઝાઇ. તે વખતે તેઓને માઇલોની મુસાફરી પગપાળા કરીને આવેલાં એક આદિવાસી યુવાનની જાણ થઇ. તે સાંભળી સ્વામી તરત જ બેઠા થઇ ગયા અને તે આદિવાસીને મળ્યાં. તેઓ બીજાના સુખમાં પોતાનું સુખ સમજતા.

29 નવેમ્બર 1995, મુંબઇ રાત્રે 11 વાગ્યે- સદા જાગ્રત
જે દિવસે હજારો હરિભક્તોએ સ્વામીની 75મી જન્મજયંતિ ઉજવી તે રાત્રે સ્વામી એક અજાણ્યા બાળકે આજની ભરચક ભીડમાં પોતાને આપેલી ચિઠ્ઠી ન વંચાઇ. ત્યાં સુધી ન પોઢયા. તેઓનું હૃદય રાત્રે 11-45 વાગ્યે પણ લાગણીની લિપિ ઉકેલવા જાગ્રત રહેતું.

25 સપ્ટેમ્બર 2002, સારંગપુર રાત્રે 12 વાગ્યે- મધરાતની અપીલ
અક્ષરધામ પર થયેલાં આંતકી હુમલા બાદ સ્વામીએ જાહેર અપીલ કરી કે સંપ અને એકતા રાખી શાંતિમય વાતાવરણ જાળવી રાખીએ. રાત્રે 12-45 વાગ્યે જારી થયેલા તેઓના આ નિવેદનથી અશાંતિના આરે ધસી ગયેલા સમગ્ર દેશમાં શાંતિ અકબંધ રહી.

28 સપ્ટેમ્બર 1974, લંડન રાત્રે 1 વાગ્યે- સેવાની સેજ
તે દિવસે એકાદશીના નિર્જળ ઉપવાસમાં પણ સ્વામી રાત્રે 1-20 વાગ્યા સુધી સેવારત રહેલાં. તે પછી તેઓએ રાત્રે 2-00 વાગ્યા સુધી ગુજરાતમાં ચાલતા દુષ્કાળ રાહત કાર્ય અંગે લંડનથી ફોન જોડી માર્ગદર્શન આપ્યું. તેઓ સદા નિઃસ્વાર્થ સેવાની સેજ પર જ વિશ્રામ કરતાં રહેલાં.

17 માર્ચ 1974, નડિયાદ રાત્રે 2 વાગ્યે- અવિરત સેવારત
બપોરે 3-30 વાગ્યે રાજકોટથી નીકળેલાં સ્વામી અનેક ગામોમાં પધરામણી અને સત્સંગસભાઓ કરતાં – કરતાં રાત્રે 2-15 વાગ્યે નડિયાદ પહોંચ્યા. અહીં પણ ભક્તવુંદ તેઓને સાંભળવા તત્પર થઇને બેઠેલું. તેઓને સંબોધી સ્વામી પોંઢયા. ત્યારે 3 વાગ્યા અવિરત સેવારત રહીને તેઓએ દિવસો નહીં, દસકાઓ વિતાવેલાં.

3 જાન્યુઆરી 1973, કુર્દુવાડી રાત્રે 3 વાગ્યે- પ્રેમના પંથે
મધરાતે મહારાષ્ટ્રના એક હરિભક્તે પોતાની દુકાને પધારવા સ્વામીશ્રીને વિનંતી કરી તે સ્વીકારી તેઓ 3-30 વાગ્યે દુકાનના દરવાજે પહોંચ્યા ત્યારે આખું ગામ ઘસઘસાટ સૂતું હતું. આ રીતે પ્રેમના પંથે ચાલનારા સ્વામીએ તેઓના જીવનકાળ દરમિયાન 2,50,000થી વધુ ઘરોને પાવન કરેલાં.

30 ઓક્ટોબર 1990, લંડન રાત્રિના 4 વાગ્યે- નીરવ પ્રાર્થના
લંડનમાં રાત્રે 4 વાગ્યે સેવકે જોયું તો સ્વામી પ્રાર્થના કરવામાં મગ્ન હતા. લોકોનાં દુઃખ- દર્દ દૂર થાય તે માટે તેઓ આ રીતે ઘણીવાર રાત્રે જાગી જાગીને પ્રાર્થના કરતા. તેઓના રાત્રિ-દિવસ પ્રાર્થનામય જ રહેતાં.

23 ઓગસ્ટ 1979, ઠીકરિયા સવારે 5 વાગ્યે- પ્રાણપ્રયાણ પછી પણ
તે સમગ્ર દિવસ સ્વામીએ પુરની હોનારતથી અસરગ્રસ્ત મોરબીની મુલાકાત માટે ગાળ્યો હોવાથી તેઓ શ્રમિત હતા. છતાં તેઓ આખી રાતનો ઉજાગરો વેઠી 340 કિ.મી.નું અંતર કાપતાં મોરબીથી અમદાવાદ થઇને સવારે 5-00 વાગ્યે ઠીકરિયા જઇ પહોંચ્યાં. હરિભક્ત મણિભાઇનો અંતિમવિધિ કરવા સ્વામીનો પ્રેમ વ્યક્તિના પ્રાણ પ્રયાણ કરી જાય તે પછી પણ જીંવત રહેતો.

અન્ય સમાચારો પણ છે…

Thursday, January 12, 2023

Political Journey Of Ex-union-minister Sharad Yadav

Sharad Yadav Profile: બિહારની રાજનીતિમાં એક મોટા ચહેરા તરીકે પોતાની ઓળખ બનાવનાર દિગ્ગજ નેતા શરદ યાદવનું નિધન થયું છે. તેમનું 75 વર્ષની વયે અવસાન થયું, જેની માહિતી તેમના પરિવારે આપી હતી. શરદ યાદવના નિધન પર દેશભરના તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે અને દરેક તેમની રાજકીય સફરને યાદ કરી રહ્યા છે. વિદ્યાર્થી રાજનીતિથી શરૂઆત કરનાર શરદ યાદવે રાજનીતિમાં ઘણું ઊંચું સ્થાન હાંસલ કર્યું અને ઘણી વખત લોકસભા સુધી પહોંચ્યા.

વિદ્યાર્થી રાજકારણથી શરૂઆત
શરદ યાદવનો જન્મ 1 જુલાઈ, 1947ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં થયો હતો. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો, ત્યારબાદ તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ત્યાં જ કર્યો હતો. યુવાનીમાં આવતા જ યાદવને રાજકારણમાં રસ પડ્યો, તેણે જબલપુર એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો. આ સમયે, તેઓ વિદ્યાર્થી રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા, અને અભ્યાસમાં પણ ટોપ પર રહેતા હતા.

શાનદાર રાજકીય સફર
જો શરદ યાદવના રાજકીય કરિયરની વાત કરીએ તો 1974માં તેઓ પહેલીવાર જબલપુર લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેઓ જેપી આંદોલન સાથે પણ જોડાયેલા હતા. આ પછી શરદ યાદવે રાજકારણમાં પાછું વળીને જોયું નથી. 1977માં તેઓ ફરીથી જબલપુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. આ દરમિયાન તેઓ યુવા જનતા દળના અધ્યક્ષ પણ હતા.

આ પછી 1986માં પહેલીવાર શરદ યાદવ રાજ્યસભા પહોંચ્યા. 1989માં યુપીની બદાયુ લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી. આ પછી, તે જ વર્ષે, તેમને કેન્દ્રીય મંત્રી પદ પણ મળ્યું. યાદવની આગળની સફર પણ ખૂબ જ શાનદાર રહી. 1991 થી 2014 સુધી શરદ યાદવ બિહારની મધેપુરા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. યાદવ 1997માં જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ચૂંટાયા હતા.

live reels News Reels

પુત્રીએ ટ્વીટ કરી આપી માહિતી

 

તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું, ‘પાપા હવે નથી રહ્યા.’ યાદવ બિહારની મધેપુરા સીટથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2016માં જેડીયુમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી પાર્ટી બનાવી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી. તેમની પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.


‘સુરતનું જમણ અને કાશીનું મરણ’, સુરતીઓ બે દિવસમાં કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જાય છે!

સુરતઃ શિયાળાની શરૂઆત થતાંની સાથે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે ચિંતિત બની શાસ્ત્રને યોગ્ય હોય તે પ્રકારનો ખોરાક લેતા હોય છે. ત્યારે સુરતીઓ શિયાળામાં મોટા પ્રમાણમાં ઊંધિયું આરોગતા હોય છે. આવો જાણીએ ઊંધિયું શું છે, કેવી રીતે બને છે અને તેની ખાસિયતો.

અનેક શાક નાંખીને ઊંધિયું બને છે

શિયાળો એટલે તાજા-લીલા શાકભાજીની મોસમ આ ઋતુમાં લોકો સ્વાસ્થ્યને શુદ્ધ અને સ્વચ્છ રાખવા લીલા શાકભાજી આરોગતા હોય છે. ત્યારે સુરતમાં શિયાળામાં સૌથી વધારે સુરતીઓ ઊંધિયું ખાવાનું પસંદ કરતા હોય છે. સુરતી ઊંધિયું માલ લીલી પાપડી, બટાકા, સુરણ, શક્કરિયા, રતાળું, લીલા ધાણા, રીંગણ અને મેથીના મુઠીયાથી બનતું શાક છે.

હજાર કિલો કરતાં વધુ ઊંધિયુ વેચાય છે

ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ તમામ શાકભાજીને વાપરવામાં આવે છે અને ત્યારબાદ તેમની ભેગાં કરી બનાવવામાં આવે છે. જો કે, સુરતીઓ અને સુરત ઊંધિયા માટે વિદેશમાં જાણીતું છે. ત્યારે સુરતની અલગ અલગ દુકાન ઉપર આ ઊંધિયું તૈયાર કરવામાં આવતું હોય છે. શિયાળો પૂર્ણ થાય એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર આવતું હોય છે. તેવામાં લોકો પોતાના પરિવાર સાથે ધાબા ઉપર ઊંધિયાની લિજ્જત માણતા હોય છે. આમ તો, દરરોજ કહી શકાય સો કિલો કરતાં વધારે ઊંધિયું સુરતમાં વેચાણ થાય છે, પણ મકરસંક્રાંતિએ કદાચ કહી શકાય 1000 કિલો કરતાં વધારે ઊંધિયું સુરતના લોકો આરોગતા હોય છે.

કરોડો રૂપિયાનું ઊંધિયું વેચાશે

આ બંને દિવસ અંદાજિત દોઢથી બે કરોડ રૂપિયાનું ઉંધિયું એક જ દિવસમાં વેચાઈ જતું હોય છે. લીલા શાકભાજી સાથે જે પ્રકારે તૈયાર કરવામાં આવતું હોય છે. તેને લઈને લોકોને ટેસ્ટફૂલ લાગે છે. કહેવત છે ને કે ‘કાશીનું મરણ અને સુરતનું જમણ’એ જ નામ પ્રમાણે સૌથી પ્રિય વાનગી છે અને સુરતીઓની આ પ્રિય વાનગી શિયાળામાં સૌથી વધારે લોકોના જીભે ટેસ્ટ લગાડતી હોય છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Food Porn, Gujarati food, Surat news, Undhiyu

Diu PHOTO: હવે બદલાઈ જશે દીવની સકલ સુરત, કરોડોના ખર્ચે બનશે સી ફ્રન્ટ

Diu PHOTO: હવે બદલાઈ જશે દીવની સકલ સુરત, કરોડોના ખર્ચે બનશે સી ફ્રન્ટ

Former Union Minister Sharad Yadav Passes Away

Sharad Yadav passes away: પીઢ  નેતા શરદ યાદવનું ગુરુવારે 75 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું, ‘પાપા હવે નથી રહ્યા.’ યાદવ બિહારની મધેપુરા સીટથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે.

 

live reels News Reels

જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બિહારની રાજનીતિમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમની સમાજવાદી રાજનીતિએ તેમને લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ હવે એ મહાન નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

 

તેમણે વર્ષ 2016માં જેડીયુમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી પાર્ટી બનાવી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી. તેમની પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.

PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક

PM Modi Security Breach: કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂંક સામે આવી છે. અહીં એક યુવકે PM મોદીને હાર પહેરાવવા માટે સુરક્ષા કવચ તોડીને પીએમ મોદીની કાર સુધી પહોંચી ગયો હતો. જો કે ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓ તાત્કાવિક આ યુવકને દૂર ખસેડી દીધો હતો. આ ઘટના હુબલ્લી પીએમ મોદીના રોડ-શો દરમિયાન બની હતી.

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવી ગયો. તે વ્યક્તિની નજીક આવ્યા બાદ સુરક્ષાકર્મીઓ સક્રિય થઈ ગયા અને તેઓએ તેને તરત જ હટાવી દીધો હતો. હાલ માટે, પોલીસ કમિશનરે કહ્યું છે કે, પીએમની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી.

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની મોટી ઘટના સામે આવવાથી હડકંપ મચી ગયો છે. અહીં પીએમ મોદીના રોડ શો દરમિયાન અચાનક એક યુવક તેમની તરફ દોડે છે અને પીએમની ખૂબ નજીક પહોંચી જાય છે. વાસ્તવમાં, યુવક વડાપ્રધાનને ફૂલોની માળા આપવા માંગતો હતો, આ માટે તે વિચાર્યા વિના SPG કોર્ડન તોડીને પીએમ મોદી પાસે પહોંચ્યો. આ જોઈને SPG કમાન્ડો એક્શનમાં આવી ગયા અને યુવકને પીએમથી દૂર લઈ ગયા.

પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં પોતાની કારમાં રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા, આ દરમિયાન વડાપ્રધાન કારનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, પીએમ મોદી સાથે એસપીજી કોર્ડન ચાલી રહી હતી. એટલા માટે યુવક ઝડપથી માળા લઈને વડાપ્રધાન પાસે પહોંચે છે અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કરે છે. જોકે એસપીજી કમાન્ડો તેને પીએમ સુધી પહોંચવા દેતા નથી.


Ranji Trophy: First Time In History Of Ranji Trophy Women Umpire Doing Umpiring

Ranji Trophy: રણજી ટ્રૉફીમાં 10 જાન્યુઆરીએ એક નવો ઇતિહાસ રચાઇ ગયો, આ રણજી ટ્રૉફીમાં પહેલીવાર કોઇ મહિલા એમ્પાયરોએ ડેબ્યૂ કર્યુ. આમાં પૂર્વ સ્કૉરર વૃન્દા રાઠી અને ગાયત્રી વેણુગોપાલ રણજી ટ્રૉફીના ઇતિહાસમાં પહેલીવાર મહિલા એમ્પાયર તરીકે જોવા મળી.

આમાં જનની નારાયણ સુરતમાં રેલવે અને ત્રિપુરાની વચ્ચે રમાઇ રહેલી મેચમાં એમ્પયારિંગ કરી રહી છે. વળી, વેણુગોપાલ જમશેદપુરમાં છત્તીશગઢ અને ઝારખંડની વચ્ચે રમાઇ રહેલી મેચમાં એમ્પાયરિંગ કરી રહી છે. આ ઉપરાંત વૃન્દા રાઠી ગોવા અને પૉન્ડિચેરીની વચ્ચે ચાલી રહેલી મેચમાં એમ્પાયરિંગ કરી રહી છે.  

જનની નારાયણે છોડી દીધુ હતુ એન્જિનીયરિંગ – 
નારયણ જનની એક સૉફ્ટવેર એન્જિનીયર હતી, તેને હંમેશા માટે ક્રિકેટમાં રસ હતો, તે હંમેશા એમ્પાયરિંગમાં જવા માંગતી હતી, આ માટે તેને તામિલનાડુ ક્રિકેટ એસોશિએશન સાથે વાત કરી હતી. પછી ટીએનસીએએ પોતાના નિયમોમા ફેરફાર કર્યા, અને બાદમાં તેમને એમ્પાયરિંગ કરવાની મંજૂરી આપી. તેને વર્ષ 2018 માં બીસીસીઆઇ લેવલના બે એમ્પાયરિંગ ટેસ્ટ પાસ કર્યા હતા, પછી તેને પોતાની એન્જિનીયરિંગની નોકરી છોડી દીધી હતી, અને એમ્પાયરિંગમાં પોતાની કેરિયર બનાવાનું શરૂ કરી દીધુ હતુ. 

વૃન્દા રાઠીએ આ રીતે કરી શરૂઆત – 
વૃન્દા રાઠી આ પહેલા મુંબઇની સ્થાનિક મેચમાં સ્કૉરિંગ કરતી રહી હતી. આ પછી તેને એમ્પાયરિંગમાં પોતાની કેરિયર બનાવવાનું વિચાર્યુ. વૃન્દા રાઠીએ બીસીસીઆઇના સ્કૉરરનો ટેસ્ટ પાસ્ કર્યો, આ પછી તેને 2013 ના મહિલા વર્લ્ડકપમાં બીસીસીઆઇની સ્કૉરિંગ કર્યુ હતુ.  

live reels News Reels

ક્રિકેટર બનવા ઇચ્છતી હતી ગાયત્રી વેણુગોપાલ – 
43 વર્ષીય ગાયત્રી વેણુગોપાલ હંમેશાથી ક્રિકેટર બનવા માંગતી હતી, પરંતુ તેને ખભાની ઇજા થવાના કારણે તેનું સપનુ પુરુ ના થઇ શક્યુ. આ પછી તેનો ક્રિકેટ સાથેનો પ્રેમ ખતમ ના થયો, અને આગળ વધી. ગાયત્રી વેણુગોપાલે 2019માં બીસીસીઆઇની એમ્પાયરિંગનો ટેસ્ટ પાસ કર્યો અને પોતાની કેરિયરની શરૂઆત કરી.

 

Prithvi: પૃથ્વી શૉએ ફટકાર્યા 379 રન પણ કોનો 443 રનનો રેકોર્ડ ના તોડી શક્યો ?

Prithvi Shaw Ranji Trophy: તાજેતરમાં ચાલી રહેલી ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રૉફીમાં પૃથ્વી શૉએ ફરી એકવાર પોતાના બેટથી ધમાલ મચાવી છે, અને બીસીસીઆઇ સિલેક્ટર્સને વિચારમાં મુકી દીધા છે. હાલમાં પૃથ્વી શૉએ ઓપનિંગમાં આવીને ત્રિપલ સેન્ચૂરી ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. પૃથ્વી શૉએ 383 બૉલમાં 379 રનની ઇનિંગ રમી હતા, આ તેની કેરિયરની પહેલી ત્રિપલ સદી હતી. જોકે, આ ત્રિપલ સેન્ચૂરી રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજી સોથી મોટી ઇનિંગ પણ છે. 

326 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી, માત્ર 4 છગ્ગા માર્યા
મુંબઈ અને આસામ વચ્ચે ગુવાહાટીમાં રણજી ટ્રોફીના રાઉન્ડ-5ની મેચ રમાઈ રહી છે. પૃથ્વી શૉએ શાનદાર બેટિંગ કરતાં 379 રનની તોફાની ઇનિંગ રમી, જોકે, તે એક પગલુ દુર રહ્યો અને તે બીબી નિંબાલકરના રેકોર્ડને તોડવાનું. ખરેખરમાં, આ પહેલા 1948-49 સિઝનમાં બીબી નિંબાલકરે મહારાષ્ટ્ર તરફથી રમતા નૉટઆઉટ 443 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ વખતે પૃથ્વી શૉએ શાનદાર ત્રિપલ સદી ફટકારી પરંતુ તે બીબી નિંબાલકરેનો આ ધાંસૂ રેકોર્ડ ના તોડી શક્યો.

હાલમાં વાત કરીએ તો ઘરેલુ ક્રિકેટમાં બીબી નિંબાલકરે વર્ષ 1948-49માં મહારાષ્ટ્ર વતી રમતા 443 અણનમ રન ફટકાર્યા હતા, આ લિસ્ટમાં બીજા નંબર પર પૃથ્વી શૉ છે, તેને વર્ષ 2022-23માં મુંબઇ વતી રમતા 379 રનનો સ્કૉર કર્યો છે, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર સંજય માંજરેકર છે, જેમને વર્ષ 1990-91માં મુંબઇ તરફથી રમતા 377 રનનો સ્કૉર કર્યો હતો, જોકે, પૃથ્વી શૉ સંજય માંજરેકરના રેકોર્ડને તોડવામાં સફળ રહ્યો હતો. પૃથ્વી શૉનો સ્કોર રણજી ટ્રોફીમાં ઓપનર તરીકે સૌથી મોટો સ્કોર છે. તેણે ત્રિપુરા તરફથી રમતા સમિત ગોહેલનો રેકોર્ડ તોડ્યો હતો. સમિત ગોહેલે 2016માં ગુજરાત તરફથી રમતા ક્વાર્ટર ફાઈનલમાં ઓડિશા સામે નોટઆઉટ 359 રનની ઇનિંગ રમી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભા અને AMCના વિપક્ષ નેતા પર નિવેદન આપ્યું, જાણો શું કહ્યુ...

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજ્ય બાદ કોંગ્રેસમાં હવે વિપક્ષ નેતાની પસંદગીને લઇ ઘમાસાણ ચાલી રહ્યું છે. વિધાનસભાના વિપક્ષના નેતાની પસંદગી કોયડો ગૂંચવાયો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષ નેતાને લઇને ફરી એકવાર ઘમાસાણ શરૂ થયું છે.

કોંગ્રેસના પ્રમુખે શું કહ્યું?

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિપક્ષ નેતા પદ લઇ જણાવ્યુ હતુ કે, વિધાનસભા અધ્યક્ષ કાર્યલય તરફથી એક પત્ર કોંગ્રેસ પક્ષને મોકલવામાં આવ્યો છે. પત્ર સાથે નિયમાવલી પણ મોકલવામાં આવી છે. પક્ષના નેતા તરીકે કોણે પસંદ કરો છે. તેમજ પક્ષાંતર ધારા કાયદાનું પાલન કઇ રીતે કરવા માટે નિયમ છે તે અંગે જાણકારી આપી છે. વિપક્ષ નેતાના પદ માટે 10 ટકા બેઠક મેળવવી પડે તેવી કોઇ જોગવાઇ ગુજરાત વિધાનસભામાં નથી. ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં 14 ધારાસભ્ય હતા તો પણ વિપક્ષનું પદ આપ્યું હતું. ભાજપ ખોટો અપ્રચાર કરી રહી છે કે પદ મળવાલાયક પણ નથી. પરંતુ વિધાનસભા ડાયરીમાં નિયમ છે કે. વિપક્ષ પદ માટે વિધાનસભાના પહેલા સત્રથી આગામી 30 દિવસ સુધીમાં પદ નિયુક્ત કરવા જોગવાઇ કરવામાં આવી છે. તેથી હજુ 30 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઇ નથી. આગામી 20 જાન્યુઆરીએ પહેલાં કોંગ્રસ વિધાનસભા વિપક્ષ નેતા પસંદ કરી જાહેરાત કરી નાંખશે. આ ઉપરાંત પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન તરીકે હમેશાં વિપક્ષને મળ્યું છે. ગુજરાત વિધાનસભાની પરંપરા પણ રહી છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસ શાસનમાં ભાજપ પાસે ઓછી બેઠક હતી તેમ છતાં અનેક પદ આપ્યા છે. વિધાનસભા કાયદા અને પરંપરાઓથી ચાલે છે. જો સત્તા પક્ષ કાયદા અને પરંપરા તોડશે તો કાયદાકીય પગલા કોંગ્રેસ લેશે.’

AMCમાં વિપક્ષના નેતા નક્કી કરવામાં આવશે

વિધાનસભા બાદ હવે એએમસી વિપક્ષ નેતા પદ લઇને પણ કોંગ્રેસ પક્ષ મૂંઝવણ ઉભી થઈ છે. વર્તમાન વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ હટાવી અન્ય વિપક્ષ નેતા પસંદ કરવા હિલચાલ ચાલી રહી છે. ફરી એકવાર એક જૂથ વિપક્ષના નેતા બદલવા સક્રિયતા બતાવી છે. પરંતુ વિપક્ષ નેતા પસંદગી માટે હાલ બ્રેક લાગી ગઇ છે. કારણ કે, સિનિયર નેતા દ્વારા કમિટી બનાવી તમામ કાઉન્સિલરો સાંભળવામાં આવશે. તમામ 23 કાઉન્સિલર સાંભળ્યા બાદ પ્રદેશ પ્રમુખ નિર્ણય કરશે કે, કોણ વિપક્ષ નેતા પસંદગી કરવી.  AMCમાં જ્યારે વિપક્ષ નેતા બનવા આવ્યા ત્યારે નક્કી થયું કે એક વર્ષ સુધી કાર્યકાળ રહેશે. એક વર્ષ બાદ મને યાદ કરાવવા કોર્પોરેટર આવ્યા હતા. તમામ લોકોને સાંભળી જે નામ આગળ આવશે તેને વિપક્ષ નેતા બનાવવા આવશે. સિનિયર નેતા તમામ કાઉન્સિલર સભ્ય સાંભળશે ત્યારબાદ નિર્ણય કરાશે.

પક્ષ વિરોધી કામ કરનારા સામે પગલાં લેવાશે

વધુમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, વિધાનસભા ચૂંટણીમાં પણ પક્ષ વિરોધી કામ કરનાર સામે પગલાં લેવાશે. કોંગ્રેસ શિસ્ત સમિતિની બેઠકમાં 52 અરજીઓ પક્ષ વિરોધ કામ કરનારની મળી છે. જેમાં 36 લોકો સામે સસ્પેન્ડ કરવા સુધી ફરિયાદ કરવામાં આવી છે. સમિતિ દ્વારા તમામ નેતા અને કાર્યકર્તાઓ પક્ષ વિરોધ કામ કરનાર નોટિસ આપી ખુલાસો લેવામાં આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad Municiple corporation, Congress Gujarat, Gujarat Assembly

Dholera SIR ખાતે પહેલીવાર  International Kite Festivalનું આયોજન

ગાંધીનગરઃ ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) ખાતે ગુજરાત ટુરિઝમના સહયોગથી પહેલી વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા (રાજ્ય મંત્રી – મહિલા અને બાળ વિકાસ અને આયુષ) , પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. આ સિવાય ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ભૂતપૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા પણ હાજર રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય પતંગબાજો જોવા મળ્યા હતા.  કેનેડા, યુએસ, રશિયન ફેડરેશન, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, ઈજીપ્ત, સાઉદી અરેબિયા અને અન્ય ઘણા દેશોના પતંગબાજો પણ જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશોમાંથી 42 પતંગબાજો અને 4 ભારતીય રાજ્યોમાંથી 26 પતંગબાજો તેમજ ગુજરાતમાંથી 25 પતંગબાજો મળીને કુલ 98 પતંગબાજો હતા. તેઓએ તેમના અનોખા પતંગોનું પ્રદર્શન કર્યું અને ઇવેન્ટના સમગ્ર દેખાવને જીવંત અને રંગીન બનાવ્યો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે “ધોલેરા સ્માર્ટ સિટી માટે આ ગૌરવ અને આનંદનો પ્રસંગ છે કે આપણા માનનીય વડાપ્રધાનનું વિઝન છે. નરેન્દ્ર મોદીજી, વિશ્વસ્તરીય ઔદ્યોગિક સ્માર્ટ સિટી વિકસાવવાની વાત સાચી પડી રહી છે. આ વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું શહેર હશે અને વિશ્વ સમક્ષ ભારતની ક્ષમતાનું પ્રદર્શન કરશે. મને વિશ્વાસ છે કે અહીં પતંગ મહોત્સવનું આયોજન ધોલેરા સ્માર્ટ સિટીને ઉદ્યોગોના વિકાસની નવી પાંખો આપશે અને પ્રવાસનને વેગ આપશે.

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે ગુજરાતની ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક નવું પ્લેટફોર્મ બનાવ્યું છે. પર્યટન અને તહેવારો દ્વારા ધોલેરા જેવા વિશિષ્ટ પ્રદેશને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ થશે.”

તેમના સ્વાગત પ્રવચનમાં હરિત શુક્લા, IAS, મેનેજિંગ ડિરેક્ટર, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને CEO – ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે “આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિનો ખાસ અવસર છે, જે પતંગ ઉડાવવાના ઉત્સવ દરમિયાન આવે છે. આ વર્ષનો પતંગોત્સવ G20 થીમ પર છે જેમાં ભારત G20 દેશોના પ્રમુખપદમાં અગ્રેસર છે. આગામી વર્ષોમાં ધોલેરા વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક શહેર બનશે. કાઈટ ફેસ્ટિવલ વિશ્વભરના રોકાણકારો અને વ્યવસાયોને આકર્ષવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે.”

ડ્રગ્સ કેસના ત્રણ આરોપીના અમદાવાદ ATSએ 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા, વ્યાજખોરો સામે 101 ફરિયાદો આવી | Ahmedabad ATS remands three accused in drugs case till January 21, 101 complaints against moneylenders

વડોદરા20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વડોદરા કોર્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar

વડોદરા કોર્ટની ફાઇલ તસવીર.

વડોદરા શહેર નજીક સિંઘરોટ ખાતેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવા મામલે અમદાવાદની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓના નામ રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારની ધરપકડ કરી હતી. આ આરોપીઓને આજે સાંજે વડોદરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના આગામી 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી ATS આ ત્રણેય આરોપીઓને લઇને અમદાવાદ રવાના થઇ હતી.

વ્યાજખોરોની બાતમી સામાજીક સંગઠનો પણ આપે: પોલીસ કમિશ્નર
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર શમશેરસિંઘની આગેવાનીમાં આજે ગાંધીનગર ગૃહ ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમાં પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે વ્યાજખોરોની બાતમી વિવિધ સામાજીક સંગઠનો અને લોકો પણ અમને જણાવે અને તેમની સામે કાર્યવાહી કરીશું. વ્યાજખોરો સામેની ઝુંબેશમાં પોલીસ કમિશ્નરને 27 લોકોએ વ્યાજખોરો સામે રજૂઆત તેમજ ફરિયાદ કરી હતી. આ સિવાય પોલીસ હેલ્પ ડેસ્ક, ડિસ્ટ્રીક રજીસ્ટ્રાર સહિતના અધિકારીઓ મળી કુલ 101 રજૂઆતો વ્યાજખોરો સામે આવી છે. હવે પોલીસે આ તમામ સામે તપાસ કરશે.

વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન
બીજી તરફ શહેરમાં વ્યાજખોરીની અનેક ફરિયાદો બાદ ધરપકડ કરવામાં આવેલા ઓમ ફાયનાન્સના પ્રણવ ત્રિવેદીની ઓફિસ ખાતે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ અને તપાસની કામગીરી કરવામાં આવી હતી. તેમજ તેના નાણાકીય વ્યવહારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Minister Raghavji Patel એ માછીમાર આગેવાનો સાથે કરી બેઠક, શું થઈ ચર્ચા?

Minister Raghavji Patel એ માછીમાર આગેવાનો સાથે કરી બેઠક, શું થઈ ચર્ચા?

Ahmedabad: અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી મહિલાનું ગળું કપાયું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે મહિલાનું ગળું કપાયું છે. 45 વર્ષીય દીપિકા ગોસ્વામી નામની મહિલાના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. એક્ટિવા ઉપરથી પસાર થઈ રહેલા મહિલાનું ગળું કપાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું

ખેડા:  જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે.

નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.

પતંગની દોરીના ગુંચળા આપો અને કિલોએ 200 રુપિયા લઈ જાવ

ગાંધીનગર: ઉત્તરરાયણ પુરી થતા જ રોડ-રસ્તા વચ્ચે પતંગની દોરીઓ જોવા મળે છે. જેના કારણે અકસ્માત પણ થાય છે. ચાઈનીઝ દોરી અને કાચના માંઝા પાયેલી દોરીના કારણે ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. ઉત્તરાયણ બાદ આવા નાગરિકો અને પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે ગાંધીનગરના મેયર દ્વારા એક નવકર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ગાંધીનગરના મેયરે દોરીના ગુચળાના બદલામાં રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ઉત્તરાયણ નિમિત્તે થતાં દોરીના ગુચળાના પ્રતિકિલો મેયર 200 રૂપિયા ચૂકવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા પક્ષીઓ માટે જોખમી બનતા હોય છે. જેના ઉકેલ માટે ગાંધીનગરના મેયર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જોખમી દોરોઓ મેયર કાર્યાલય ખાતે સ્વીકારીને પ્રતિ કિલોના 200 રૂપિયા આપવામાં આવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 13 થી 20 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે.