الأحد، 28 أغسطس 2022

ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ટીમ ‘કાળી પટ્ટી’ બાંધી મેદાનમાં ઉતરશે

[og_img]

  • એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો
  • પાકિસ્તાનમાં પૂર પીડિતોની મદદ માટે ક્રિકેટ બોર્ડે લીધો નિર્ણય
  • પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમ આજે એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે.

પૂર પીડિતોની મદદ માટે એક પગલું

એશિયા કપની બીજી મેચમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ ટીમ કાળી પટ્ટી પહેરીને ઉતરશે. ટીમે પાકિસ્તાનમાં પૂરને કારણે જીવ ગુમાવનારા અને પીડિતોને મદદ કરવા માટે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી.

સત્તાવાર નિવેદનમાં માહિતી આપવામાં આવી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે તેની પ્રથમ મેચ ભારતીય ટીમ સામે રમશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને રમશે. પાકિસ્તાનમાં પૂર પીડિતોની મદદ માટે આ કરવામાં આવશે.

બાબરે પૂર પીડિતો માટે પ્રાર્થના પણ કરી

મેચના એક દિવસ પહેલા બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનમાં આવેલા પૂર અંગે પણ વાત કરી હતી. તેમણે લોકોને પૂર પીડિતોની મદદ કરવા અને તેમના માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી. બાબરે કહ્યું હતું કે આપણા દેશ માટે આ મુશ્કેલ સમય છે. અમે તમામ પૂર પીડિતો માટે પ્રાર્થના કરીએ છીએ.

પૂરમાં એક હજારથી વધુ લોકોના મોત

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાનના 3 કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જેમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્રણેય પ્રાંતોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે.

ભારતે 7 વખત એશિયા કપ જીત્યો

એશિયા કપ પ્રથમ વખત 1984માં યોજાયો હતો. ભારતે સૌથી વધુ 7 વખત આ ખિતાબ જીત્યો છે. જ્યારે બીજી સફળ ટીમ શ્રીલંકા છે જે 5 વખત ચેમ્પિયન રહી હતી. આ સાથે જ પાકિસ્તાને બે વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે બે અલગ-અલગ ફોર્મેટ (ODI અને T20)માં એશિયા કપ જીત્યો છે. આ વખતે પણ એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, જેમાં 6 ટીમો ભાગ લઈ રહી છે.

6 ટીમો બે જૂથોમાં

આ વર્ષે તમામ 6 ટીમો બે જૂથોમાં વહેંચાયેલા છે. ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ ગ્રુપ Aમાં છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ Bમાં છે. આ વખતે ટુર્નામેન્ટમાં તમામ 6 ટીમો વચ્ચે કુલ 13 મેચો રમાશે. જેમાંથી 10 મેચ દુબઈમાં અને ત્રણ મેચ શારજાહમાં રમાશે.

સાંજે 7.30 વાગ્યાથી મુકાબલો

એશિયા કપ 2022 સીઝનની બીજી મેચ આજે (28 ઓગસ્ટ) રમાશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.