ગુજરાતના પ્રવાસે આવેલા PM Modiએ અમદાવાદના નવા અટલ ફૂટ ઓવર બ્રિજનું ઇ- લોકાર્પણ કર્યું હતું. જો કે તેની બાદ તેમણે આ નવા ફૂટ ઓવરબ્રિજની ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ લીધી હતી.
અમદાવાદ અને ગાંધીનગરના લોકોએ અટલ બિહારી વાજપેયીને ખૂબ પ્રેમ આપ્યો છે, તેથી જ આ ફૂટઓવર બ્રિજને અટલજીને શ્રધ્ધાંજલિ ભેટ આપવામાં આવ્યો છે અને તેને અટલજીનું નામ આપ્યુ છે.
300 મીટરની લંબાઈના બ્રિજનું PMના હસ્તે લોકાર્પણ થતા અમદાવાદના આકર્ષણમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે.
ફુટ ઓવરબ્રિજનું વડાપ્રધાન દ્વારા ઉદ્ધઘાટન થતા શહેરીજનો તેની મુલાકાત લઈ શકશે. તેની એન્ટ્રી ફી 30 થી 50 રુપિયા રાખવામાં આવી શકે છે.
રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે.