Thursday, September 1, 2022

પાકિસ્તાની પત્રકારે કોહલી-સૂર્યકુમારની ઉડાવી મજાક, ફેન્સે લીધો આડેહાથ

[og_img]

  • પાકિસ્તાની પત્રકાર અરફા ફિરોઝ જેકે ટ્વિટર પર કરી પોસ્ટ
  • બાબરની ઈનિંગને વિરાટ-સૂર્યકુમાર ઈનિંગ્સ કરતાં સારી ગણાવી
  • ભારતીય ક્રિકેટ ચાહકોએ અરફા ફિરોઝને લીધો આડેહાથ

એક પાકિસ્તાની પત્રકારે ટ્વિટર પર વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની મજાક ઉડાવી હતી, જેના પછી ચાહકોએ તેને આડેહાથ લીધો હતો. વિરાટ અને સૂર્યાએ હોંગકોંગ સામે ફિફ્ટી ફટકારી હતી.

પાકિસ્તાની પત્રકારની એક ટ્વીટથી વિવાદ

પાકિસ્તાની પત્રકાર અરફા ફિરોઝ જેકે ભારત અને હોંગકોંગ વચ્ચેની મેચ બાદ આવી ટ્વીટ કરી હતી, જેના કારણે તે ભારતીય ક્રિકેટ ચાહકોના નિશાના પર આવી ગયો હતો. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે હોંગકોંગ સામે ફિફ્ટી ફટકારી હતી, ત્યારબાદ હોંગકોંગ તરફથી બાબર હયાતે 41 રન બનાવ્યા હતા. ફિરોઝે ટ્વિટર પર લખ્યું કે બાબરની ઈનિંગ વિરાટ અને સૂર્યાની ઈનિંગ્સ કરતાં સારી હતી.

બાબરની ઈનિંગ વિરાટ-સૂર્યાની ઈનિંગ્સ કરતાં સારી

આ પાકિસ્તાની પત્રકારે ટ્વિટર પર લખ્યું, ‘ભારત સામે બાબર હયાતના 41 રન વિરાટ કોહલીના 59 અને સૂર્યકુમાર યાદવના 68 રન કરતા સારા હતા. ભારતના બેટ્સમેનોએ હોંગકોંગના બોલિંગ આક્રમણ સામે આ રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ અને સુર્યાએ હોંગકોંગના બોલરોને બરબાદ કર્યા હતા. વિરાટની હંમેશા પ્રશંસા કરવી જરૂરી નથી, ખાસ કરીને જ્યારે તેણે નબળી ટીમ સામે રન બનાવ્યા હોય. પછી શું હતું, ભારતીય ક્રિકેટ ચાહકોએ ઉગ્રતાથી ફિરોઝને ઘણું બધું લખ્યું હતું, આટલું જ નહીં, કેટલાક પાકિસ્તાની ક્રિકેટ ફેન્સે ભારતીય ક્રિકેટ ચાહકોને પક્ષ પણ લીધો હતો. 

ભારતે હોંગકોંગને હરાવ્યું

મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ હોંગકોંગ સામે 20 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 59 અને સૂર્યકુમાર યાદવ 68 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 98 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી, જેના જવાબમાં હોંગકોંગની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 152 રન જ બનાવી શકી હતી અને ભારતે 40 રનથી મેચ જીતી લીધી હતી. બાબર હયાતે 35 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.