World Stroke Day 2022: તમારી આ આદતો બની શકે છે સ્ટ્રોકનું કારણ, આજે જ બદલો આ ખરાબ આદત
API Publisher
ઑક્ટો 28, 2022 | 10:39 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ઑક્ટો 28, 2022 | 10:39 PM

સ્ટ્રોક એટલે કે લકવો એ આજે સામાન્ય સમસ્યા બની ગઈ છે, કારણ કે મોટી સંખ્યામાં યુવાનો તેનો શિકાર બની રહ્યા છે. જ્યારે મગજમાં લોહીનો પુરવઠો અવરોધાય છે, ત્યારે ઓક્સિજનની ઉણપ થાય છે. આ સ્થિતિમાં મગજને નુકસાન અથવા સ્ટ્રોકનું જોખમ રહેલુ છે.

સંતૃપ્ત ચરબી, મીઠું, ટ્રાન્સ ચરબી અને ઉચ્ચ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ લેવાથી શરીરમાં રક્ત પ્રવાહની વ્યવસ્થામાં ખલેલ પડે છે. આવી સ્થિતિમાં આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આહારનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્ટ્રોકની ઘટના બને છે.

આલ્કોહોલ એક વ્યસન છે અને તે વ્યક્તિને ધીમે ધીમે મૃત્યુ તરફ ધકેલી શકે છે. આલ્કોહોલ શરીરના ઘણા મહત્વપૂર્ણ અંગોને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેનો ગેરલાભ એ પણ છે કે તે સ્ટ્રોકનું જોખમ પણ રાખે છે.

શારીરિક રીતે સક્રિય ન રહેવાથી શરીર રોગોનું ઘર બનવા લાગે છે. સ્ટ્રોકથી બચવા માટે વ્યાયામ કરીને પોતાને ફિટ રાખવુ જોઈએ.

તમાકુ માત્ર સ્ટ્રોકનું જ નહીં પણ કેન્સરનું પણ મુખ્ય કારણ છે. તમાકુ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને આ સ્થિતિમાં શરીરમાં નિકોટીન બ્લડપ્રેશરની સમસ્યા વધી જાય છે.