Gujarat Election 2022: અમદાવાદના ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલે ભાજપ પર આક્ષેપ કર્યો છે. તેમણે આપના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાતને રદિયો આપતા ભાજપ પર પ્રહાર કર્યા છે.
અમદાવાદમાં ઘાટલોડિયાના આપના ઉમેદવાર વિજય પટેલે ભાજપ પર આક્ષેપ કર્યા છે. વિજય પટેલે આપના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાતને પોકળ ગણાવી. 3 દિવસ પહેલા આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાની વાતો સામે આવી હતી..વિજય પટેલે આક્ષેપ કર્યો કે ભાજપ માત્ર માહોલ બનાવવા માટે આ પ્રકારના સ્ટંટ કરે છે. તો બીજીબાજુ ભાજપે આરોપ કર્યો કે આમ આદમી પાર્ટી હારી રહી છે..જેથી હતાશામાં આવી આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે.