તમને જણાવી દઈએ કે ગત 23 નવેમ્બરે સવારે 7 વાગ્યે જ AIIMSનું સર્વર ઠપ્પ થઈ ગયુ હતું. આ ઘટનાના 24 કલાક બાદ સર્વર યોગ્ય થયું નહતું અને ત્યારબાદ AIIMSના અધિકારીઓએ દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો.
છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી
દિલ્હી AIIMSને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. AIIMSના સર્વર હેકિંગ મામલે એક મોટી જાણકારી સામે આવી છે. NIAની ટીમે આ કેસમાં હવે જગ્યા પર પહોંચીને જાણકારી મેળવી છે અને આ કેસની તપાસ હવે આતંકી એન્ગલથી કરવામાં આવી રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ઝડપી જ દિલ્હી પોલીસથી આ કેસ આંચકી લઈને NIAને સોંપવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી ઘટના અને ખંડણીની વસૂલાતની શક્યતાને લઈ NIA દિલ્હી પોલીસ સાથે મળીને કેસની તપાસ કરી રહી છે.
ગૃહ મંત્રાલયે કરી હાઈ લેવલ બેઠક
ત્યારે હવે આ મામલે ગૃહ મંત્રાલય એલર્ટ મોડ પર આવીને કામ કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયે તાબડતોબ આ કેસને લઈને હાઈ લેવલ બેઠક કરી છે. આ બેઠકમાં AIIMSના એડમિનિસ્ટ્રેશનથી જોડાયેલા અધિકારીઓ, IBના સિનિયર અધિકારી, NIC અને NIAના સિનિયર અધિકારી અને દિલ્હી પોલીસ સહિત ઘણા અન્ય અધિકારીઓ જોડાયા હતા. તમને જણાવી દઈએ કે ગત 23 નવેમ્બરે સવારે 7 વાગ્યે જ AIIMSનું સર્વર ઠપ્પ થઈ ગયુ હતું. આ ઘટનાના 24 કલાક બાદ સર્વર યોગ્ય થયું નહતું અને ત્યારબાદ AIIMSના અધિકારીઓએ દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો.
AIIMSનું સર્વર NICની ટીમ સંભાળે છે
આ કેસને દિલ્લી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યૂઝન એન્ડ સ્ટ્રેટજિક ઓપરેશન યૂનિટને આપવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ ઈન્ડિયા કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ, દિલ્હી પોલીસ, સીબીઆઈ અને આઈબીના સાઈબર એક્સપર્ટ કેસને જોઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે AIIMSનું સર્વર NICની ટીમ સંભાળે છે. NICની ટીમે હેકિંગના કેસને લઈને પહેલા રેન્સમવેયર અટેકની આશંકા વ્યક્ત કરી હતી.
સર્વર હેકિંગ કેસને લઈને ગૃહ મંત્રાલયની બેઠક લગભગ 90 મિનિટ સુધી ચાલી. તેમાં કેસની તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, તે વાત પર ચર્ચા કરવામાં આવી. ત્યારે AIIMS તરફથી જાણકારી આપવામાં આવી કે ઈ-હોસ્પિટલનો ડેટા સર્વર પર રિસ્ટોર કરી દેવામાં આવ્યો છે. સર્વિસને રિસ્ટોર કર્યા પહેલા નેટવર્કને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલની સેવાઓ માટે ડેટા મોટી સંખ્યામાં હોવાના કારણે પ્રક્રિયામાં થોડો સમય લાગી રહ્યો છે.