પોલીસે કારને કબજામાં લઈને કાર ચાલકની ધરપકડ કરીને આગળની તપાસ ચાલુ કરી છે. જણાવી દઈએ કે અકસ્માત સમયે આ ત્રણે બહેનો રસ્તા પર પાણીપુરી ખાઈ રહી હતી.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ઉત્તરપ્રદેશથી એક રુંવાટા ઉભા કરી દેતા સમચાર સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશના નોઈડામાં સેક્ટર 45માં સ્થિત સદરપુર ગામ પાસે એક કાર ચાલકે ત્રણ બહેનોને કચડી નાંખી હતી. સ્થાનિક લોકોએ આ ત્રણે બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક બહેનનું મૃત્યુ થયુ છે, જ્યારે અન્ય 2 બહેનોની હાલત ગંભીર છે. પોલીસે કારને કબજામાં લઈને કાર ચાલકની ધરપકડ કરીને આગળની તપાસ ચાલુ કરી છે. જણાવી દઈએ કે અકસ્માત સમયે આ ત્રણે બહેનો રસ્તા પર પાણીપુરી ખાઈ રહી હતી.
સેક્ટર 45માં સ્થિત સદરપુરમાં 6 વર્ષની રિયા, 15 વર્ષની અન્નૂ અને 18 વર્ષની અંકિતા, સાથે મળીને શનિવારની સાંજે પાણીપુરી ખાઈ રહી હતી. તે દરમિયાન એક ઝડપથી આવતા સ્વિફ્ટ ડિઝાયર કારે ત્રણે બહેનોને ટક્કર મારી હતી. અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો. સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જણાવી દઈએ કે અકસ્માત પછી આ સ્વિફ્ટ કાર રસ્તા કિનારે ઈંટ સાથે ઠોકાઈ ગઈ હતી. કારની ટક્કરને કારણે પાણીપુરીની લારી પણ ઊંધી થઈ હતી.
પાણીપુરી ખાતી 3 બહેનોને કાર ચાલકે કચડી નાંખી
નોઈડાના સેક્ટર 45માં એક ઝડપી કારે ત્રણ બહેનોને કચડી નાંખી… એકનું સારવાર દરમિયાન મોત… કાર ચાલક નશામાં હતો… @noidapolice pic.twitter.com/7HiDkdOxGA
— પ્રશાંત સિંહ (TV9 ભારતવર્ષ) (@prashant_rohan) નવેમ્બર 28, 2022
પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ કે કંટ્રોલ રુમ દ્વારા અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમે સ્થાનિકો સાથે મળીને ત્રણેય બહેનોને હોસ્પિટલમાં દાખલ કરી હતી. રિયાને પાછળના ભાગે હાથ અને માથાના ભાગથી ઘાયલ થઈ છે. આજે સોમવારે સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અનુના પીઠમાં હાલ ખુબ દુખાવો છે, જ્યારે અંકિતા સામાન્ય ઘાયલ છે. અકસ્માત સમયે કારમાં ચાર લોકો સવાર હતા. સ્થાનિક લોકોએે જણાવ્યુ હતુ કે કાર પહેલા અનિયંત્રિત થઈ ઈંટ સાથે અથડાઈ હતી અને પછી તેણે પાણીપુરી ખાતી ત્રણ બહેનોને ટક્કર મારી હતી. આ અકસ્માત સમયે તે ત્રણે બહેનોની માતા થોડા જ અંતર પર ઊભી હતી, તે આ અકસ્માતથી બચી ગઈ હતી. હાલમાં પોલીસે કારને કબ્જામાં લઈને કાર ચાલકની પૂછપરછ કરી રહી છે.