Wednesday, November 23, 2022

Gujarat Election 2022: ગાઢ જંગલ, મગરથી ભરેલી નદી...છતા માત્ર એક મતદાર માટે જીવ જોખમમાં મુકીને બનાવાયુ પોલિંગ બુથ

Gujarat election: જામવાડાથી લગભગ 25 કિમી દૂર ગીરના ગાઢ જંગલમાં બાણ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં નવા મહંત હરિદાસ બાપુએ મંદિરની ગાદી સંભાળી છે, તેમના માટે ચૂંટણી પંચે ખાસ મતદાન મથક બનાવ્યું છે.

Gujarat Election 2022: ગાઢ જંગલ, મગરથી ભરેલી નદી...છતા માત્ર એક મતદાર માટે જીવ જોખમમાં મુકીને બનાવાયુ પોલિંગ બુથ

માત્ર એક મતદાર માટે અહીં બનાવાયુ પોલિંગ બુથ

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : સરકાર એક વોટથી બને છે અને એક વોટથી સરકાર પડે છે. ભારતીય રાજનીતિમાં આ પહેલા પણ જોવા મળ્યું છે. મતના મૂલ્યને સમજીને ચૂંટણી પંચે એક મતદાર માટે મતદાન મથક બનાવ્યું છે. આ ગુજરાતના સોમનાથના ઉના વિધાનસભા મત વિસ્તારમાં જામવાડા ગામના બનેજ વિસ્તારનું મતદાન મથક છે. જામ વાડાથી લગભગ 25 કિલોમીટર દૂર ગીરના ગાઢ જંગલમાં બાણ મહાદેવનું મંદિર છે. ભરતદાસ બાપુ એક સમયે આ મંદિરના મહંત હતા. વર્ષ 2019માં દેહ છોડ્યા બાદ હવે તેમના સ્થાને નવા મહંત હરિદાસ બાપુએ મંદિરની ગાદી સંભાળી છે. ચૂંટણી પંચ તેમના માટે જ મતદાનની વ્યવસ્થા કરી રહ્યું છે.TV9ની ટીમ દ્વારા અહી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે જોય કે આ વિસ્તારમાં પહોંચવુ જ ખૂબ જ જોખમથી ભરેલુ છે. છતા જોખમ ખેડીને પણ અહીં પોલિંગ બુથ બનાવવામાં આવ્યું છે.

ગુજરાત ઇલેકશન 2022 :ગાઢ જંગલ, પ્રાણીઓ અને મગરથી ભરેલી નદી

TV9ની ટીમે મહંત સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રસ્તામાં ગીરનું ગાઢ જંગલ આવેલું છે. આ જંગલમાં જંગલી પ્રાણીઓ પણ છે, જેની સાથે અમારે વ્યવહાર કરવો પડ્યો. મુશ્કેલ માર્ગ અને જળમાર્ગમાંથી પસાર થઈને અમે આશ્રમ પહોંચ્યા. ત્યાં આશ્રમની નીચે નદીમાં મગરોએ પડાવ નાખ્યો હતો.

ગુજરાત ઇલેકશન 2022 :આ વિસ્તાર શા માટે મહત્વપૂર્ણ છે?

TV9 સાથેની વાતચીતમાં મહંત હરિદાસે જણાવ્યું કે આ વિસ્તારનું પૌરાણિક મહત્વ ઘણું છે. તેમણે કહ્યું કે મહાભારત કાળ દરમિયાન ગીર પર્વતથી ઘેરાયેલા આ વિસ્તારમાં પાંડવો આવ્યા હતા. તેણે ધનુષ્ય અને બાણ વડે ગંગાનું તીર અહીં પ્રગટ કર્યું. ત્યાર બાદ ભગવાન મહાદેવની પૂજા કરી હતી. ત્યારથી આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું.

ગુજરાત ઇલેકશન 2022 :મતદારો શું ઈચ્છે છે?

હરિદાસ કહે છે કે આ આશ્રમ સુધી પહોંચવા માટે કોઈ સારો રસ્તો નથી. તેમણે કહ્યું કે રોડ નંબર-33 કોડી નાલ અત્રૌલી સ્ટેટ હાઈવે છે. આટલું કરવા છતાં કોઈ દરકાર નથી. તેમણે જનપ્રતિનિધિઓને વિનંતી કરી હતી કે આ રોડનું સમારકામ કરવામાં આવે. તેમનું માનવું છે કે આ વિસ્તારના તેઓ એક માત્ર મતદાર હોવાથી તેમનું કોઈ સાંભળતું નથી, જો અન્ય વિસ્તારોની જેમ વધુ મતદારો હોત તો કદાચ રોડ બન્યો હોત.