- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- In Godhra, BJP National General Minister Vinodji Tawde Addressed The Gathering, Saying ‘We Want A President Like Abdul Kalam, Not Like Aftab Or Afzal Guru’.
પંચમહાલ (ગોધરા)4 મિનિટ પહેલા
આગામી 1થી5 ડિસેમ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવા જઈ રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના રાજકીય પક્ષો પોત પોતાની બહુમતી મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી કમર કસી રહ્યાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના સ્ટાર પ્રચારકો મેદાને ઉતારી ઝંઝાવતો પ્રચાર કરાવી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લાના પાંચ વિધાનસભા બેઠક સહિત ગોધરા શહેરમાં કડકડતી શિયાળાની ઠંડીમાં ચૂંટણીનો રંગ ચરમસીમાએ પહોંચ્યો છે. ગોધરા શહેરના બાવાની મઢી ખાતે ગોધરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદજી તાવડે પંકજાતાઈ મુંડે નિર્ભયાદીદી સહિતના મહાનુભવો જાહેર સભા સંબોધવા માટે ગોધરા આવી પહોંચ્યા હતા.

આ જાહેર સભાના અંતર્ગત પશ્ચિમ બંગાળના ધારાસભ્ય નિર્ભયા દીદીએ સભામાં ઉપસ્થિત દરેક મહિલાઓને વધુ મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ગોધરા વિધાનસભા બેઠકના ઉમેદવાર સી.કે.રાઉલજીએ સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે, તમે મને 258 મતોથી વિજય બનાવ્યો હતો અને 258 મતોથી મે 1600 કરોડના વિકાસલક્ષી કામો લાવ્યો. તો અગામી 5મી ડિસેમ્બરે 258 મતો ઉપર બે મીંડા વધારી મને વિજય બનાવો તેવો નિર્ધાર કર્યો હતો.

ગોધરા શહેરના બાવાની મઢી ખાતે જાહેર સભા સંબોધવા માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદજી તાવડે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, 2002 બાદ જ્યારે પણ ગોધરા શહેરનું નામ સાંભળું છું ત્યારે મને એક જ વાત યાદ આવે છે કે, હમ કિસી કો ટોકેંગે નહીં અગર કિસીને ટોકા તો છોડેંગે નહીં. આખી દુનિયાના દેશ-વિદેશ સુધી ગોધરાએ આ સંદેશ આપ્યો છે. હમ કિસી કો છોડેંગે નહીં કિસીને છેડા તો છોડેંગે નહી. ત્યારે આ ગોધરા શહેરના કારણે આખો દેશ શીખી રહ્યો છે. ત્યારબાદ તેઓએ ગોધરા શહેરની વિધાનસભાના ઉમેદવારને 50,000 થી વધુ મતોથી વિજય બનાવવા માટે હાકલ કરી હતી.

વધુમાં વિનોદજી તાવડેએ જણાવ્યું હતું કે, પુરા દેશની નજર ગુજરાત ચૂંટણી તરફ છે. તેમાં પણ સૌથી વધારે નજર ગોધરાની સીટ ઉપર છે. તેઓએ 2002માં સાબરમતી હત્યાકાંડમાં જે 59 કાર સેવકો મોતને ભેટ્યા તેઓને આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે ગોધરા સીટ ઉપર ભાજપના ઉમેદવાર 50,000 મતથી વિજય બનાવી નિર્માણ પામી રહેલા અયોધ્યા મંદિરમાં પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને ત્યાં જાય તો સાચા અર્થમાં કાર સેવકોને શ્રદ્ધાંજલિ મળી કહેવાશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારને પહેલી વખત રાષ્ટ્રપતિ ચૂંટવાનો મોકો મળ્યો ત્યારે અટલ બિહારી વાજપેયીજીએ અબ્દુલ કલામને પસંદ કર્યા. અમારે અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ જોઈએ છે, અમારે આફતાબ કે અફઝલ ગુરુ જેવા નથી જોઈતા.


