- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Paresh Rawal Said Rahul Becomes A Hindu By Wearing Janoi, Moulvi Muktis In Delhi Get Exorbitant Salary And Pandit Pujaris Get Nothing.
સુરત10 મિનિટ પહેલા
ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પરેશ રાવલ સુરત આવી ચૂંટણી પ્રચાર કર્યો
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાનના પ્રચારને માત્ર હવે એક દિવસ આડો રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારો સ્ટાર પ્રચારકો મેદાને ઉતારી રહ્યા છે. સુરત પૂર્વ બેઠકના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલને મેદાને ઉતાર્યા હતા ત્યારે પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દાને આગળ કરી કોંગ્રેસ અને આપને બેફામ રીતે આડે હાથ લીધા હતા. અને બંને પાર્ટીને સખત હિન્દુ વિરોધી ગણાવી હતી. જોકે આ બધાની વચ્ચે બોલીવુડના એક્ટર કલાકાર તરીકે ખ્યાત નામના ધરાવનાર પરેશ રાવલ ને સાંભળવા કરતા લોકો તેને જોવા અને સેલ્ફી પાડવામાં વધુ મસગુલ રહ્યા હતા.
કપડા પર જનોઈ પહેરી રાહુલ ગાંધી હિન્દુ બની રહ્યા છે : પરેશ રાવલ
ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ આજે ચૂંટણી પ્રચાર અર્થે સુરતમાં આવ્યા હતા. સુરતમાં 159 સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં તેના તમામ વક્તવ્યમાં માત્ર હિન્દુત્વનો જ મુદ્દો ગુંજ્યો હતો. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. અને જાહેર મંચ પરથી જણાવ્યું કે અત્યાર સુધી હિન્દુ દેખાયા નહીં ને હવે ભાજપને જોઈ કોંગ્રેસને હિન્દુ યાદ આવી રહ્યા છે. તેમના પક્ષના રાષ્ટ્રીય નેતા પ્રખર હિન્દુ હોવાનો ડોહળ કરી રહ્યા છે. આ સાથે રાહુલ ગાંધીને આડે હાથ લેતા વધુમાં જણાવ્યું હતું કે હમણાં જે ભાઈ 25000 રૂપિયાના બુટ પહેરી યાત્રા યાત્રા કરી રહ્યા છે,તેમને મોદીએ તાત્કાલિક જ હિન્દુ બનાવી દીધા છે. હાસ્ય તુક્કા સાથે કહ્યું ઇન્સ્ટન્ટ ટુ મીનીટ મેગી અને ઇન્સ્ટન્ટ કોફીની જેમ રાહુલ ગાંધીને ઇન્સ્ટન્ટ હિન્દુ બનાવી દીધા. એ ભાઈએ હિન્દુ બનવા માટે એક મંદિરમાં પૂજા જનોઈ જનોઈ પહેરી, તેને જનોઈ પહેરીને બ્રાહ્મણ બનીને હિંદુ બની જવાતું હશે એમ લાગ્યું પરંતુ એ ભાઈને ખબર નથી કે જનોઇ યજ્ઞો પવિત્ર થી અપાય છે અને તેને કપડાની અંદર પહેરવાની હોય છે અને આ ભાઈએ તો કપડાની ઉપર જ પહેરીને હિન્દુ બનવાનું પણ અપમાન કર્યું છે. તે ઉપરાંત દેશમાં 370 કલમ હટાવી, મંદિરો યાત્રાધામોના વિકસિત કર્યા જેવા હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
દિલ્હીમાં મોલવીઓને બેફામ સેલેરી અને પંડિત પૂજારીને કાંઈ નહિ : પરેશ રાવલ
ભાજપના સ્ટાર પ્રચારક અને બોલીવુડ એક્ટર પરેશ રાવલ દ્વારા આમ આદમી પાર્ટીને પણ હિન્દુત્વના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અને આમ આદમી પાર્ટી ને હિન્દુ વિરોધી ગણાવી આડે હાથ લીધી હતી. પરેશ રાવલે જણાવ્યું હતું કે આજકાલ સાપોલિયાની જેમ નીકળી આવેલી અને મફત આપવાની સાવ જુઠ્ઠી વાતો કરી રહેલી આમ આદમી પાર્ટી શું તેના ખિસ્સામાંથી બધું આપે છે, ઘરના વાસણ વેચીને બધું આપવાની છે. દરેક વાતમાં બસ જૂઠું જ બોલવાનું. દિલ્હીમાં આજ સરકાર વકફ બોર્ડમાં કરોડો અબજો રૂપિયા દાન આપે છે. દિલ્હીમાં મોલવી- મુક્તિઓને બેફામ સેલેરી આપે છે અને આપણા પંડિત પૂજારીઓને કાંઈ જ નહીં. આમાં આપણું શું થાય પછી તમે જ વિચારી લ્યો. આમ પરેશ રાવલ દ્વારા હિન્દુત્વના મુદ્દે આમ આદમી પાર્ટીના નીતા નું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહારો કર્યા હતા.
પરેશ રાવલને સાંભળવા કરતા લોકોને સેલ્ફીમાં વધુ રસ
ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના એક દિવસ પહેલા સ્ટાર પ્રચારક તરીકે પરેશ રાવલ લે મેદાને ઉતાર્યા અને તમામ મત વિસ્તારમાં પરેશ રાવલ આવવાની જાહેરાત કરાવી દીધી. એટલે પરેશ રાવલ ને લઇ મત વિસ્તારના લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો કારણ કે પરેશ રાવલ બોલીવુડના ખૂબ જ ખ્યાતના કલાકાર છે. અને અનેક હિન્દી ફિલ્મોમાં કલાકારી નિભાવ્યા બાદ આજે લોકો તેમની એક ઝલક અને સેલ્ફી લેવા ઘણા ઉત્સુક હોય છે. ત્યારે સુરત પૂર્વમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો પરેશ રાવલને સાંભળવા કરતા તે બોલી રહ્યા હતા ત્યારે સ્ટેજ પાસે આવીને સેલ્ફી પડાવવામાં લોકોનો વધુ રસ દેખાયો હતો. પરેશ રાવલ સ્ટેજ પરથી ગુરુત્વના મુદ્દે કોંગ્રેસ અને આપ પર સહારો કરતા રહ્યા જ્યારે સાંભળનારાઓ તેમના મોબાઈલમાં સેલ્ફી ખેંચવામાં મશગુલ રહ્યા.