Thursday, November 24, 2022

'સ્વપ્ન હતું કે PMને મળીને કવિતા શેર કરું, મોદીને મળી તો દાદાજી જેવું લાગ્યું' | 'I had a dream to share poetry with PM, when I met Modi, I felt like a grandpa'

રાજકોટ21 મિનિટ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ બાકી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. ગત સોમવારે સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે PM મોદીની સભા યોજાઈ હતી. જાહેર સભા બાદ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ભત્રીજીની દીકરી, રાજકોટની 7 વર્ષીય આધ્યાબા નામની બાળકીએ પોતાની કાલીઘેલી ભાષામાં એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા સંભળાવી હતી. જે સાંભળીને વડાપ્રધાને તાળીઓ પાડીને વખાણ કર્યાં હતાં અને આરાધ્યાના ફેન બન્યા હતા. ત્યારે આ અંગે તેણે જણાવ્યું હતું કે,’મારુ સ્વપ્ન હતું કે હું PM મોદીને મળીને મારી કવિતા શેર કરું, મોદીને મળી તો દાદાજી જેવું લાગ્યું, આ સ્વપ્ન આટલું જલ્દી પૂરું થશે એ ખબર નહોતી.

આધ્યાબા ધોરણ-2માં અભ્યાસ કરે છે
ઉલ્લેખનીય છે કે આધ્યાબા રાજકોટની SNK સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરે છે. આ અંગે તેમના પિતા દિગ્વિજયસિંહ જાડેજાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું બિઝનેસમેન છું. અને મારે બે દીકરીઓ છે. જેમાં આધ્યાબા મોટા છે. તેને આ રીતે બોલવાનો શોખ છે. તે 2015થી ઇન્સ્ટાગ્રામમાં તેના વીડિયોઝ પણ અપલોડ કરે છે. જોકે વડાપ્રધાન સાથે તેની મુલાકાત પ્રથમવાર થઈ હોવાનું પણ તેમણે કહ્યું હતું.

આધ્યાબા ઇન્સ્ટાગ્રામમાં તેના વીડિયોઝ પણ અપલોડ કરે છે

આધ્યાબા ઇન્સ્ટાગ્રામમાં તેના વીડિયોઝ પણ અપલોડ કરે છે

મારા મેડમે પણ વખાણ કર્યા
વડાપ્રધાનની મુલાકાત અંગે આરાધ્યાબાએ જણાવ્યું હતું કે, મારા નાનાજી કેબિનેટ મંત્રી છે. દુધરેજમાં તેઓના કાર્યક્રમમાં હું ગઈ હતી. ત્યારે તેમણે મને કહ્યું કે, શક્ય બનશે તો વડાપ્રધાન સાથે મુલાકાત કરાવી આપીશ. અને મારો ચાન્સ લાગી ગયો હતો.વડાપ્રધાનને મળવા પહોંચી ત્યારે થોડીવાર તો ખૂબ નર્વસ થઈ ગઈ હતી. પરંતુ તેમની સાથે વાત કરતા તેઓ મારા દાદાજી હોય તેવું લાગ્યું હતું. જેને લઈને સરસ રીતે મેં તેમની સાથે વાત કરી ભારતનાં વિકાસ અંગેની મારી વાત સંભળાવી હતી. જે સાંભળી તેઓ ખૂબ ખુશ થયા હતા. અને મને આશીર્વાદ આપ્યા છે. તેમની સાથેની મારી આ મુલાકાતને લઈને સૌ કોઈ મને કહેતા હતા કે તું ટીવીમાં આવી હતી. મારા મેડમે પણ કહ્યું કે મેં તારો વીડિયો બધા ગ્રુપમાં મૂકયો છે. અમને તારા ઉપર ગર્વ છે.

વડાપ્રધાન સામે નર્વસ થઇ ગઇ હતી:આધ્યાબા

વડાપ્રધાન સામે નર્વસ થઇ ગઇ હતી:આધ્યાબા

આ સ્પીચ મોટા મમ્મીએ લખી આપી
વધુમાં આધ્યાબા કહે છે કે, મને મોડલિંગનો શોખ છે. એટલે આવનારા સમયમાં મારે મિસ યુનિવર્સ બનવું છે. મેં વડાપ્રધાને ભારતમાં જે કામો કર્યા છે તેના વિશે જ કહ્યું હતું. જે સાંભળી વડાપ્રધાન ખૂબ ખુશ થયા હતા. આ સ્પીચ મને મારા મોટા મમ્મીએ લખી આપી હતી. અને મારા મમ્મીએ વારંવાર બોલાવીને મને કંઠસ્થ કરાવી હતી. જોકે વડાપ્રધાન સામે થોડીવાર નર્વસ થવાય તેવું લાગતું હતું. પણ તેમનો પ્રેમ જોઈને મને મારા દાદાજી હોય તેવું લાગતા હું ખૂબ સારી રીતે આ સ્પીચ તેમની સામે બોલી શકી હતી.

શું કહ્યું હતું આધ્યાબાએ!
આધ્યાબાએ વડાપ્રધાનને મળીને કહ્યું કે, ‘ભાજપ… ભાજપ… ભાજપ… આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.. ભાજપને ઝુકાવવા જાતજાતની રમતો રમાય છે, આ વિકાસના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝુકાવી શકે. કારણ કે, કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે ભાજપ, 370ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામમંદિર કોણ બનાવે ભાજપ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ…’

નરેન્દ્ર મોદીએ ઓટોગ્રાફ પણ આપ્યો હતો

નરેન્દ્ર મોદીએ ઓટોગ્રાફ પણ આપ્યો હતો

વડાપ્રધાન આરાધ્યાના ફેન બન્યા
નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે PM મોદી સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે આવ્યા હતા અને જંગી સભાને સંબોધી હતી.જેમાં સભા દરમિયાન 7 વર્ષની બાળકી આધ્યાબાના મોદી ફેન બન્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધ્યાબાને મળી અને ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

PM મોદીને બહુ વહાલાં છે બાળકો
આમ તો લોકો નરેન્દ્ર મોદીને એક કડક શિસ્તપ્રિય વ્યક્તિ તરીકે ઓળખે છે અને તેનું કારણ છે તેમની કામ કરવાની રીત અને સ્પષ્ટ વ્યક્તા. મોદીની લાઇફસ્ટાઇલ પણ તેમને એક દબંગ નેતા તરીકે જ દર્શાવે છે, પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે, મોદીને બાળકો બહુ ગમે છે. એટલે જ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળાપ્રવેશોત્સવ વખતે બાળકોથી ઘેરાયેલા જ જોવા મળતા.

મોદી બાળકો સાથે પણ પસાર કરે છે
ગુજરાત સરકાર દ્વારા ગરીબ બાળકો માટે ચલાવવામાં આવતા શિક્ષણ અભિયાન અંતર્ગત 8 વર્ષ પહેલા મહેસાણામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદીએ જાતે જ કહ્યું હતું કે, તેમને બાળકો સાથે મસ્તી કરવી ખૂબજ ગમે છે. સામાન્ય રીતે કાર્યક્રમોમાં જ્યાં પણ જાય ત્યાં સ્થાનીક નેતાઓથી ઘેરાયેલા જોવા મળે છે, તો મોદી તેમનો ઘણો સમય બાળકો સાથે પણ પસાર કરે છે.

કિરીટસિંહ રાણાની ભત્રીજીની દીકરી છે આરાધ્યાબા
લીંબડી વિધાનસભાની બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણાના મોટાભાઈ જગતસિંહ રાણાનાં દીકરી મહેશ્વરીબાનાં પુત્રી આધ્યાબા છે. દૂધરેજ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા દરમિયાન ગ્રીનરૂમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આધ્યાબા 20 મિનિટ સુધી રહી હતી.કિરીટસિંહ રાણા લીંબડી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. તેમણે જી. એસ. કુમાર વિદ્યાલય, લીંબડી ખાતે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.કિરીટસિંહ રાણાએ તેમની કારકિર્દીની શરૂઆત ભાજપના પ્રમુખ તરીકે કરી હતી. તેઓ લીંબડી વિધાનસભા બેઠક પરથી 9મી વાર ચૂંટણી લડી રહ્યા છે.કિરીટસિંહના પિતા જિતુભા રાણા પણ આ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

લીંબડી વિધાનસભાની બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણા

લીંબડી વિધાનસભાની બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણા

કિરીટસિંહ રાણા કોણ છે?
કિરીટસિંહ રાણા લીંબડી તાલુકાના ભલગામડાના વતની છે. તેમને બે વખત ભાજપ સરકાર દ્વારા પશુપાલન, વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.કિરીટસિંહ રાણા 1995થી 1998 સુધી લીંબડીના ધારાસભ્ય તરીકે રહ્યા હતા. ત્યાર બાદ 1998થી 2002 સુધી તેમને પશુપાલન વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી.2007માં ફરી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2007થી 2012 દરમિયાન તેમને વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી મળી હતી.2013માં તેઓ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ 2020માં પણ તેઓ ચૂંટાયા હતા. તેમની દેવભૂમિ દ્વારકાના પ્રભારી તરીકે પણ 2021માં નિમણૂક કરવામાં આવી હતી.કિરીટસિંહ રાણાની 16 સપ્ટેમ્બર, 2021ના રોજ વન અને પર્યાવરણના કૅબિનેટમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: