મહેસાણા8 મિનિટ પહેલાલેખક: રાજુ નાયક
- કૉપી લિંક

- રાધનપુર રોડ પર આવેલી પાંચોટ અને રામોસણાની 150થી વધુ સોસાયટીના રહીશોને કનડતી સમસ્યા, પાંચોટ અને રામોસણા ગ્રામ્યના 12 હજાર મતદારો નિર્ણાયક
- ગંદા નાળા પછીનો વિસ્તાર પાંચોટ ગ્રામ્યમાં આવે છે
મહેસાણા શહેરને અડીને આવેલા પણ 2007ના નવા સીમાંંકન બાદ બહુચરાજી બેઠકમાં સમાવિષ્ટ સુખી સંપન્ન અને સમૃદ્ધ ગણાતા પાંચોટ ગામમાં પણ રોડ-રસ્તા, પાણીની સુવિધા ઊભી કરાઈ છે પણ ચૂંટાયા બાદ કોઈ નેતા તેમના ગામમાં ફરકતો ન હોવાનો ગ્રામજનોનો મુખ્ય પ્રશ્ન છે. 2017 પૂર્વે અમારા ગામમાં કોંગ્રેસની મિટિંગ પણ થઈ શકતી ન હતી, ત્યારે પાટીદાર અનામત આંદોલનને લઈ પાટીદારોએ બાજી પલટી બહુચરાજીમાં કોંગ્રેસને જીતાડી હતીનું ગામના ચોકમાં ઘટાદાર વડલાની નીચે બેઠેલા યુવાનોએ જણાવ્યું હતું.
જે ગામના શ્વાન પણ કરોડપતિ છે એવા પાંચોટ ગામમાં પ્રવેશતાં જ બંને બાજુ પાકા રસ્તા અને પાથરેલા બ્લોક શહેરી વિસ્તારનું દ્રશ્ય ઊભું કરે છે. દરેક મહોલ્લા અને મુખ્ય રોડ આરસીસીના છે. રામજી મંદિર ચોકમાં મંદિરના ઓટલે બેઠેલા વડીલે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો ઉપર કરેલા કેસ સમયે સરકારે કહ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે, ત્યારે હવે અમારો વોટ પણ વોટનું કામ કરશેનું કહી પાંચ વર્ષ પછી પણ પાટીદાર આંદોલનની અસર હજુ પણ ક્યાંકને ક્યાંક વડીલોના માનસપટ પર હોવાનું લાગે છે.
રોડ પર પાર્લરે બેઠેલા આધેડે ભાજપે આ વખતે ઉમેદવાર પસંદગીમાં માર ખાધી છે તો બાજુમાં બેઠેલા બીજા તરત જ બોલી ઊઠ્યા કે સાહેબ ચૂંટણી આવે એટલે નેતાઓને લોકો યાદ આવે છે, પાંચ વર્ષમાં પછી કોઈ નેતા અમને મળવા ફરકતાય નથી. ચૂંટાયા બાદ નેતા ફરકતો ન હોવાનો જ અમારા ગામનો મુખ્ય પ્રશ્ન છે. ગામમાંથી નીકળીને પાંચોટ ગ્રામ્ય વિસ્તારમાં આવતી પણ રાધનપુર રોડ પર આવેલી 100 જેટલી સોસાયટીના નિર્ણાયક મનાતા મતદારોનો મુખ્ય પ્રશ્ન છે.
સાહેબ નીતિનભાઈ તો જતા રહ્યા હવે અમારા ગંદાનાળાનો પ્રશ્ન કોણ સોલ્વ કરશે. મહેસાણા વિધાનસભા વિસ્તારમાં આવતા એક તરફના ગંદાનાળા ઉપર તો કમળપથ બની ગયો પણ બહુચરાજી વિધાનસભામાં આવતા આ નાળાનું શું? પાંચોટની સાથે રામોસણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવતી આ સોસાયટીઓમાં ગટર લાઈનનો પણ મુખ્ય પ્રશ્ન છે.
150 થી વધુ સોસાયટીના 12 હજાર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશેઆમ મહેસાણા શહેરમાં પણ વિધાનસભાના સીમાંકનમાં બહુચરાજી બેઠકમાં આવતા પાંચોટ અને રામોસણા ગ્રામ્યનો પોશ વિસ્તાર ગણાતી 150થી વધુ સોસાયટીઓના 30 હજાર રહીશો પૈકીના 12 હજાર મતદારો દર વખતની જેમ ચાલુ ચૂંટણીમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવશેનું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું.