Saturday, December 24, 2022

અમૃત મહોત્સવમાં કહ્યું: 'ગુરુકુળના 100 યુવકોને નોર્થ ઇસ્ટમાં મોકલો', મહિલા સંચાલિત ગુરુકુળના વિચારને બિરદાવ્યો | Amrit Mahotsav says: 'Send 100 Gurukul youths to North East', hails women-run Gurukul

રાજકોટ16 મિનિટ પહેલા

સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને 75 વર્ષ પૂર્ણ થતા હાલ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે PM મોદીએ વર્ચ્યૂઅલી સભાને સંબોધી હતી અને ગુરુકુળના સંતોને નોર્થ ઇસ્ટમાં 100 યુવકોને મોકલવાની અપીલ કરતા કહ્યું હતું કે, દર વર્ષે ઓછામાં ઓછા 100 યુવક પંદર દિવસ માટે નોર્થ ઈસ્ટ જાય. નાગાલેન્ડ, સિક્કીમ, ત્રિપુરા જેવા શહેરોમાં જાય. ત્યાંના યુવકોને મળે જેથી સાંસ્કૃતિક તાદામ્ય સર્જાય.દર વર્ષે દોઢસો યુવકો 15 દિવસ માટે ત્યાં જાય. તો કેટલું સારું!’ આ ઉપરાંત ઈતિહાસમાં પહેલીવાર રાજકોટની ભાગોળે દીકરીઓ માટે ખાસ ગુરુકૂળ બની રહ્યું છે. અને તેનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે. તેની પણ PM મોદીએ પ્રસંશા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સર્વેએ PM મોદીનું સ્વાગત કર્યું

ઉપસ્થિત સર્વેએ PM મોદીનું સ્વાગત કર્યું

ભાવિ પેઢીનું જીવન સરળ થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,75 વર્ષ પહેલા આપણા સંતોએ આ યાત્રાનો આરંભ કર્યો હતો. તમને નોર્થ ઇસ્ટમાં જઈને લાગશે કે કેવા હોનહાર યુવકો નોર્થ ઈસ્ટમાં છે. તેમની સાથે નાતો જોડાય તો દેશ માટે નવી તાકાત જોડાશે. તો સાથએ જ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગુરુકુળના વિદ્યાર્થીઓ શેરી નાટકો કરે અને લોકોને જ્ઞાન આપે, જેમ મનુષ્યને વ્યસનથી મુક્તિ માટે અભિયાન ચલાવીએ છીએ. તેમ ધરતી માતાને કેમિકલથી મુક્તિનુ પ્રણ લેવડાવવા તમે પ્રયાસો કરો. તમારા માધ્યમથી વાત સરળતાથી પહોંચશે. આઝાદીના અમૃતકાળમાં ગુરુકુળ ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણની રક્ષા માટે નવા વિચારોને લઈને ચાલી શકે છે. મને વિશ્વાસ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય પાસેથી મેં જ્યારે જે માંગ્યુ છે તે પુરુ કર્યું છે. આનાથી ભાવિ પેઢીનું જીવન સરળ થશે.

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

શિક્ષણ મેળવવાનો રસ્તો સરળ
PM મોદીએ સંબોધનમાં કહ્યું કે, મારું સૌભાગ્ય રહ્યુ છે કે, આ ગુરુકુળના મૂળમાં ભગવાન સ્વામિનારાયણની પ્રેરણા રહી છે. પ્રવર્તનીય સદવિદ્યા, ભૂમિયત સુકૃતમ મહંત, અર્થાત સતવિદ્યાનો પ્રસાર, સંસારનું પવિત્ર કાર્ય છે. આ જ તો જ્ઞાન અને શિક્ષા પ્રતિ ભારતનું શાશ્વત સમર્પણ છે. જેના પાયામાં આપણી સભ્યતા છે. રાજકોટમાં ક્યારેક 7 વિદ્યાર્થી સાથે ગુરુકુળનો પ્રારંભ થયો હતો. આજે દેશવિદેશમાં તેની 40 શાખા છે.

સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને 75 વર્ષ પૂર્ણ થતા હાલ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને 75 વર્ષ પૂર્ણ થતા હાલ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

ગુરુકુળની વિશેષતા બધા જાણે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં વિદ્યાર્થી આવે છે. 75 વર્ષમાં ગુરુકુળે છાત્રોના મનમસ્તિકને સિંચન કર્યું છે. જેથી તેમનો વિકાસ થઈ શકે. ગુરુકુળ પરંપરાએ દરેક ક્ષેત્રમાં દેશની મેઘાને પોષિત કર્યુ છે. ગુરુકુળની વિશેષતા બધા જાણે છે, તે આપણને પ્રભાવિત કરે છે. પહેલા અને આજે પણ ગુરુકુળ દરેક ગરીબ વિદ્યાર્થી પાસેથી એક દિવસની એક જ રૂપિયા ફી લે છે. તેનાથી ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ મેળવવાનો રસ્તો સરળ બને છે.

75 વર્ષમાં ગુરુકુળે છાત્રોના મનમસ્તિકને સિંચન કર્યું છે: PM મોદી

75 વર્ષમાં ગુરુકુળે છાત્રોના મનમસ્તિકને સિંચન કર્યું છે: PM મોદી

ભારત: સોશિયલ સાયન્સથી સોલાર સાયન્સ સુથી
ભારતના ગુરુકુળના ઈતિહાસને વર્ણવતા તેમણે કહ્યું કે, ભારતમાં જ્ઞાન જ જીવનનું સર્ચોચ્ચ હેતુ રહ્યો છે. નાલંદા અને તક્ષશિલા જેવા વિશ્વવિદ્યાલય ભારતની આ ગુરુશિષ્ય પરંપરાના પર્યાય હતા. ખોજ અને શોધ જીવન પદ્ધતિનો ભાગ હતા. ભારતના કણ કણમાં જે વિવિધતા છે, સાંસ્કૃતિક સમૃદ્ધિ છે, તે શોધના પરિણામ છે. આત્મતત્વથી પરમાત્મ તત્વથી આધ્યાત્મથી આયુર્વેદ સુધી, સોશિયલ સાયન્સથી સોલાર સાયન્સ સુથી, મેથ્સથી મીટિરિયોલોજી સુધી, શૂન્યથી અનંત સુધી આપણે દરેક ક્ષેત્રમાં શોધના નવા પરિણામ કાઢ્યા છે.

માનવતાના પ્રકાશની કિરણ આપી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ભારતે અંધકારથી ભરેલા યુગોમાં માનવતાના પ્રકાશની એ કિરણ આપી, જેનાથી આધુનિક વિશ્વ અને આધુનિક વિજ્ઞાનની યાત્રા શરૂ થઈ. ગુરુકુળની શક્તિએ વિશ્વને માર્ગ આપ્યો. જેન્ડર ઈક્વાલિટી જેવા શબ્દનો જન્મ પણ ન થયો હતો, ત્યારે આપણે ત્યા ગાર્ગી મૈત્રી જેવી વિદૂષીઓ શાસ્ત્રાક્ત કરતી હતી. લવકુશ સાથે આત્રૈયી પણ ભણી રહ્યા હતા. સ્વામિનારયણ ગુરુકુળ આ પુરાતન પરંપરાને આગળ વધારવા કન્યા ગુરુકુળની શરૂઆત કરી રહ્યું છે. ત્યારે તેમણે શુભેચ્છા પાઠવું છું તેમ કહીને સભા પૂર્ણ કરી હતી.

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા

ઈતિહાસમાં પહેલી વખત રાજકોટમાં દીકરી માટેનું ગુરુકૂળ બનશે
રાજકોટ સહિત રાજ્યભરમાં છોકરાઓ સ્વમિનારાયણ ગુરુકૂળમાં ભણતા હોય તેવું આપણે અનેક વખત સાંભળ્યું હશે પરંતુ ઈતિહાસમાં પહેલીવાર રાજકોટની ભાગોળે દીકરીઓ માટે ખાસ ગુરુકૂળ બની રહ્યું છે. શહેરની ભાગોળે મોટા રામપર ગામે દીકરીઓ માટેનું અદ્યતન ગુરુકૂળનું નિર્માણ થઇ રહ્યું છે. આ ગુરુકૂળમાં દીકરીઓને શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરાશે. ધોરણ 6થી 12 સુધી દીકરીઓને અભ્યાસની સાથે હોસ્ટેલ સહિત રહેવા-જમવાની સગવડ અપાશે. જૂન-2023થી દીકરીઓ માટેનું ગુરુકૂળ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું સ્વામિનારાયણ ગુરુકૂળના સંતોએ જણાવ્યું હતું.

લોકોએ PM મોદીને વર્ચ્યુઅલી સાંભળ્યા

લોકોએ PM મોદીને વર્ચ્યુઅલી સાંભળ્યા

રહેવા-જમવા સહિતની તમામ સુવિધા મળશે
આ ગુરુકૂળમાં 1000 જેટલી દીકરીઓની રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે. ઉપરાંત આ ગુરુકૂળનું સંચાલન કરનાર પણ બધી મહિલાઓ જ હશે. આ અંગે પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત કે દેશમાં જે ગુરુકૂળ ચાલી રહ્યા છે તે છોકરાઓ માટેના છે. પહેલી વખત રાજકોટમાં દીકરીઓ માટેનું ગુરુકૂળ શરૂ થશે જેનું કામ ચાલી રહ્યું છે. અહીં દીકરીઓને શિક્ષણ સંસ્કાર સાથે રહેવા, જમવા, ધાર્મિક સહિતની સુવિધા મળશે. જૂન-2023 સુધીમાં બાંધકામ પૂર્ણ થશે અને વર્ગ શરૂ થઇ જશે. આ ઉપરાંત સુરતમાં પણ દીકરીઓ માટેનું ગુરુકૂળ જૂન-2024 સુધીમાં નિર્માણ પામશે.

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

કોઇપણ ધર્મ, જ્ઞાતિની દીકરીઓને મળશે પ્રવેશ
સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, આગામી જૂન-2023થી શરૂ થનારા દીકરીઓ માટેના સૌપ્રથમ ગુરુકૂળમાં કોઇપણ ધર્મ,જ્ઞાતિ કે સમાજની દીકરીઓને પ્રવેશ અપાશે. આ ઉપરાંત દેશના કોઇપણ રાજ્યમાંથી રાજકોટમાં વસતા પરિવારની દીકરીને પણ પ્રવેશ અપાશે. એડમિશન પ્રક્રિયા આગામી એપ્રિલ-મે માસમાં નક્કી કરાશે પરંતુ, મોટાભાગે ધો. 5ના આધારે દીકરીઓને ધો. 6માં પ્રવેશ મળશે. આ ગુરુકૂળમાં સાફસફાઈ, પટાવાળા, ક્લાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતના તમામ સ્ટાફ મહિલાઓ જ હશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: