બનાસકાંઠા (પાલનપુર)18 મિનિટ પહેલા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં સહસ્ત્ર 108 મહા ચંડી યજ્ઞ ને લઇ આજે મહિલા સંમેલન યોજાયું હતું.જેમાં 5 હજાર થી વધુ મહિલાઓ એ હાજર રહી આ યજ્ઞ ની તૈયારી સહિતનાં કામો ની જવાબદારી નિભાવવા માટે ની તૈયારી દર્શાવી અનોખી પહેલ કરી છે.

બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજ દ્વારા માં અર્બુદાનાં મંદિર નાં રજત જયંતિ મહોત્સવ ને લઇ 10 લાખ જેટલા લોકો સમગ્ર દેશમાં થી આવવાના છે ત્યારે અર્બુદા માતાજીનાં 108 સહસ્ત્ર ચંડી યજ્ઞને લઇ તમામ તૈયારીઓ હાથ ધરાઇ છે ત્યારે ચૌધરી સમાજ ની બહેનો નું મહિલા સંમેલન યોજાયું હતું.જેમાં 5 હજાર થી વધુ મહિલાઓ એ હજાર રહી આ યજ્ઞ માટે યજ્ઞ શાળા ની તમામ જવાબદારી નિભાવવા માટે તૈયારી દર્શાવી હતી ફેબ્રુઆરી મહિનામાં 3, 4 અને 5 ત્રિદિવસીય યોજાનાર આ યજ્ઞમાં પહેલીવાર આ યજ્ઞ શાળામાં મહિલાઓ છાણ થી આ યજ્ઞ શાળા તૈયાર કરશે.તે સિવાય આ યજ્ઞમાં પુરુષો સાથે તમામ તૈયારીઓ ની જવાબદારી સાથે 5 હજાર મહિલાઓ ખડે પડે આ મહોત્સવ માં સેવા બજાવશે.

અર્બુદા માતાજીના આ રજત જયંતિ મહોત્સવ માં 500 થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે.સમાજ ના આગેવાનો નો ઉદ્દેશ છે કે સમાજ માં શિક્ષણ વધે યુવાનો વ્યસન મુક્ત બને સમાજમાં કુ રિવાજો દૂર થાય સમાજ સંગઠિત બને દેશમાં શુખ શાંતિ ભાઈચારો બની રહે તે માટે આ માતાજીના યજ્ઞ નું આયોજન કરાયું છે જેમાં દેશ ભરમાં વસતા અખિલ આંજણા સમાજના 10 લાખથી વધુ લોકો હાજર રહેશે આ યજ્ઞમાં ગુજરાત રાજ્યનાં મુખ્ય મંત્રી સહિત દેશ ભરમાંથી રાજકીય નેતાઓ આગેવાનો પણ હાજર રહેશે. તમામ લોકો આ યજ્ઞમાં દર્શન માટે આવે તેવી આગેવાનો એ અપીલ પણ કરી હતી.
