Tuesday, December 20, 2022

Rickshaw driver killed in Bhaktinagar police station area of Rajkot city

રાજકોટ: રાજકોટ શહેરમાં ફરી એક વખત હત્યાની ઘટના ઘટિત થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના બાપુનગર સ્મશાન પાસે લોહિયાળ ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. રિક્ષા ચલાવનારા હનીફ જુણેજા નામના વ્યક્તિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાની નિપજાવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરસાણા સોસાયટી પાસે હત્યાની ઘટના ઘટિત થઈ હોવાની જાણકારી પોલીસને મળી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. તેમજ મૃતકની લાશને પીએમ અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: અંધશ્રદ્ધાએ જીવ લીધો! દીકરીને છાતીમાં દુખાવો થતા પરિવાર માતાજીના મઢે પહોંચ્યો

મળતી માહિતી અનુસાર મૃતક રિક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે શકમંદોની પણ પૂછપરછ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક રિક્ષા ચલાવતો હતો. તેમજ અવારનવાર ચાની લારી ચલાવનાર આરોપી સાથે બોલાચાલી કરતો હતો. આજરોજ પણ મૃતકે આરોપી સાથે બોલાચાલી કરી હતી. જે બાબતે આરોપીને ગુસ્સો આવી જતા તેને હનીફને મોતને ઘાટ ઉતાર્યો છે.

મૃતકને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક અસરથી નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જોકે મૃતકને તબીબી સારવાર મળે તે પૂર્વે જ તેને દમ તોડી દીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ નિલેશભાઈ મકવાણા સહિતનો સ્ટાફ મધુરમ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં મૃતકના પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:rakesh parmar

First published:

Tags: Latest News Rajkot Crime, Rajkot CCTV, Rajkot murder