સુરત19 મિનિટ પહેલા
- કૉપી લિંક

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા યુવાનને વિદેશના વિઝા અને નોકરી અપાવવાના બહાને અમદાવાદના યુવાને ટુકડે-ટુકડે ઓનલાઇન રૂ. 1.39 લાખ ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ જહાંગીરપુરા પોલીસમાં નોંધાઈ છે. પિતાની બિમારીના કારણે ઓમાનથી પરત આવેલા યુવાન બેકાર હતો. વિદેશમાં નોકરી માટે ઓનલાઇન બાયોડેટા અપલોડ કરતા અમદાવાદના ભેજાબાજે રૂપિયા પડાવ્યા હતા.
નોકરી માટે અલગ-અલગ વેબસાઈટ પર બાયોડેટા અપલોડ કર્યો
જહાંગીરપુરાની રંગારંગ રેસીડન્સીના સ્થાપત્ય બિલ્ડીંગમાં રહેતા જયકર જગદીશ વ્યાસ (ઉ.વ. 51) ઓમાન ખાતે ફુડ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ તેમના પિતાની તબિયત ખરાબ રહેતી હોવાથી તેઓ પરત સુરત આવી ગયા હતા અને હાલ તેઓ બેકાર છે. જયકરે નોકરી માટે અલગ-અલગ વેબસાઇટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યા હતા.
મેડીકલ ચેકઅપ માટે અમદાવાદની યુનીહેલ્થ હોસ્પિટલમાં બોલાવ્યા
કશ્યમ રાજેન્દ્ર પટેલ (રહે. બ્રહ્મા મેજેસ્ટીક એનાઇબીએમ રોડ, કોંધવા ખુર્દ, પુણે, મહારાષ્ટ્ર અને મૂળ. વારાહી માતાના વાસ પાસે, સરઢવ, જિ. ગાંધીનગર) એ ફોન કર્યો હતો. તમારે વિદેશ નોકરી કરવા જવું હોય તો તમારા વિઝા અને સારી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ મેડીકલ ચેકઅપ માટે અમદાવાદની યુનીહેલ્થ હોસ્પિટલમાં બોલાવ્યા હતા.
વિઝા કે નોકરી નહીં અપાવી વિશ્વાસઘાત કર્યો
કશ્યપ સાથે મુલાકાત કર્યા બાદ વિઝાના કોરો ફોર્મ મેઇલ પર મોકલાવ્યા હતા. તેની પ્રિન્ટ કઢાવી ફોર્મ ફીલઅપ કરી પરત મોકલાવ્યો હતો. ત્યારબાદ મેડીકલ ચેકઅપનો રિપોર્ટ આવી ગયો છે, હવે આગળની કાર્યવાહી શરૂ કરવાની છે કહી વિઝા અને એર ટિકીટના ખર્ચ પેટે ટુકડે-ટુકડે ઓનલાઇન થકી કુલ રૂ. 1.39 લાખનું કશ્યપે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ વિઝા કે નોકરી નહીં અપાવી વિશ્વાસઘાત કર્યો હતો.