ભાવનગર34 મિનિટ પહેલા
- કૉપી લિંક

- તા.7થી તા.17 ડિસેમ્બર સુધી ઉલ્કાવર્ષાનો નજારો નિહાળી શકાશે
- બુધવારે નરી આંખે સ્વચ્છ આકાશમાં રાત્રિના સમયે ઉલ્કાવર્ષા સ્પષ્ટ નિહાળી શકાશે
આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્દભુત આનંદ મેળવ્યા બાદ વર્ષ ઇ.સ.2022નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો તા. 7 થી 17 ડિસેમ્બર સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઇ શકાશે. જેમાં ખાસ તો તા.14 ડિસેમ્બરને બુધવારે ભાવનગરમાં ખગોળરસીયાઓ ઉલ્કાવર્ષાનો મહત્તમ નજારો ગગનમાં નિહાળી શકશે. તા.14મીએ ઇશાન ખૂણામાં રાત્રિના 8.33થી રાતના 10.30 કલાક સુધી જેમિનીડીસ ઉલ્કાવર્ષા સારી રીતે નિહાળી શકાશે.
આમ તો તા.14 અને 14 ડિસેમ્બર, બન્ને દિવસ રાત્રિના સમયે ઉલ્કાવર્ષા જોઇ શકાશે. ખાસ તો 14મીએ રાત્રે 8.06 કલાકથી બીજા દિવસે સૂર્યના ઉદય સુધી અને તા.15મીએ રાત્રિના 3.14 કલાકે આકાશના મધ્યભાગમાં ઉલ્કાવર્ષાનો લ્હાવો માણી શકાશે.દુનિયાભરમાં દર વર્ષે 7 થી 17 ડિસેમ્બર દરમિયાન જેમીનીડસ ઉલ્કાવર્ષા જોવા મળે છે.દેશ-વિદેશમાં કલાકમાં 10 થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કાવર્ષાથી દિવાળીના મહાપર્વ દરમિયાન આકાશમાં થતી આતશબાજી જેવા દ્દશ્યો સૌને જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઇ લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે.
વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે.મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢે ઉલ્કાવર્ષા મહત્તમ જોવા મળે છે. આ દિવસો દરમિયાન આખા દિવસમાં ગમે ત્યારે ઉલ્કા પ્રપાત થાય છે. ખગોળપ્રેમીઓ માટે દરિયાઈ કિનારો, પર્વતીય જગ્યા કે અન્ય નિર્જન જગ્યા પસંદ કરે છે, કે જ્યાંથી સુંદર નજારો જોવા મળે. દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે.
જાથાના રાજય ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, જેમીનીડસ ઉલ્કાવર્ષાની મહત્તમ તા. 14 અને 15 ત્રણ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનો નરી આંખે પણ સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઇ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રી પહેલા અને વહેલો પરોઢનો સમય શ્રેષ્ઠ છે. જે ઉત્તર પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે.
ઝડપથી ફાયરબોલમાં ફેરવાતી ઉલ્કાવર્ષા
જેમીનીડસઉલ્કાવર્ષા અમુક ભાગમાં રીતસર વરસાદની જેમ પડે છે. જે પીળા, લીલા અને વાદળી એમ વ. રંગમાં પણ જોઇ શકાય છે. જેમીનીડસ ખૂબ ચળકાટ ધરાવવાની સાથે ઝડપથી ફાયરબોલમાં ફેરવાઇ જાય છે. પ્રતિ સેકંડ 35 કિમી.થી વધીને 130 કિમીની ઝડપે પડશે. ખુબ ચળકાટ ધરાવવાની સાથે ઝડપથી ફાયર બોલમાં ફેરવાઈ જશે. ઉલ્કાવર્ષા પીળા,લીલા અને વાદળી એમ વિવિધ કલરોમાં જોઈ શકાય છે.
રોજ 40 ટન ઉલ્કાઓનો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ
જેમીનીડસ ખરતા તારાનું નિર્માણ 3,200 ફાયેથોન તરીકે ઓળખાતા નાના ગ્રહોના ટુકડામાંથી થયું છે. સદીઓ વિતતા આ ગ્રહો ઉપગ્રહમાં ફેરવાઈ જાય છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર દરરોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.