Sunday, December 11, 2022

ભરૂચના સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા | 15 newlyweds stepped into the limelight at a mass wedding organized by the Samnaviya Charitable Trust of Bharuch.

ભરૂચ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર દર વર્ષની જેમ સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયો હતો.સમસ્ત હિંદુ સમાજના સમૂહ લગ્નોત્સવમાં 15 નવયુગલોએ વૈદિક પદ્ધતિથી સંતો, મહંતો તેમજ દરેક સમાજના મહાનુભવોની ઉપસ્થતિમાં લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

ઉપસ્થિત સૌ કોઈએ સમસ્ત હિન્દૂ સમાજ માટે મોંઘવારીમાં સામાજિક સંદેશ સમાન આ સમૂહ લગ્નોત્સવને આવકારી નવયુગલોને આશીર્વાદ સાથે દાતાઓ તરફથી કન્યા દાનની સરવાણી પણ કરાઈ હતી.

સમૂહ લગ્નોત્સવમાં ટ્રસ્ટના મુકતાનંદ સ્વામી, દીપિકાબેન શાહ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, દુષ્યંત પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, ભરતસિંહ પરમાર, દિવ્યેશ પટેલ, શંકર ગાંધી, લોકેશાનંદજી, રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહા, કૌશલ પટેલ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…