15 લાખ લોકોના મોતની શક્યતા
કેટલાક સંશોધકોએ કહ્યું છે કે, ઝીરો કોવિડ પોલિસી (Zero Covid-19 Policy) હટાવ્યા બાદ છ મહિનામાં 15 લાખ લોકોનાં મોત થઈ શકે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયો (Viral Video) જોઈને તમે હચમચી જશો. ચીનમાં મૃતદેહ રાખવા માટે હવે કોઈ શબપેટીઓ બાકી નથી. તેમને પ્લાસ્ટિકના કવરમાં બંધ કરવામાં આવી રહ્યા છે. દવાઓ માટે લાંબી કતારો લાગે છે.
આ પણ વાંચો: Hiraben Modi: ભૈ! તુ આખી સૃષ્ટિનો રાજા બનીશ! નરેન્દ્ર મોદી PM નહોતા ત્યારે હીરાબાએ કહી દીધેલુ
આ અભ્યાસ 22 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી ઓફ મકાઉ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ પ્રીપ્રિન્ટ સર્વિસ મેડ્રોક્સિવ પર પોસ્ટ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ચીનના આરોગ્ય અધિકારીઓ કોરોનાને ફેલાતો અટકાવવામાં રસીકરણને વેગ આપવા અને દવાઓ પૂરી પાડવામાં સક્ષમ હોય તો આ આંકડો બે લાખથી નીચે આવી શકે છે, પરંતુ જો પરિસ્થિતિ હાલની જેમ જ ચાલુ રહેશે, તો 15 લાખથી વધુ મૃત્યુ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આ સાથે જ ક્વોરન્ટાઈન, સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્કનો ઉપયોગ જેવી કોરોના ગાઈડલાઈનનું પણ કડકાઈથી પાલન કરવું જોઈએ.
છેલ્લા ત્રણ વર્ષમાં ચીન આ ઉપાયોને કારણે સંક્રમણ દરને મોટા પાયે ઓછો રાખવામાં સફળ રહ્યું છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના કેલ્ક્યુલેટરના જણાવ્યા અનુસાર, દેશમાં માથાદીઠ મૃત્યુ વિશ્વમાં સૌથી ઓછું છે. જોકે, ટ્રાન્ઝિશનલ ઓમિક્રોન વેરિઅન્ટ પ્રબળ બનતા ચીનની શૂન્ય કોવિડ વ્યૂહરચના અસ્થિર બની ગઈ હતી. આ મહિનાની શરૂઆતમાં અધિકારીઓએ મહામારીને કાબૂમાં લેવા માટે ઝીરો કોવિડ પોલિસીના નિર્ણય પર યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન હવે કોરોનાનો ભરડો વધુ કસાયો છે, જેના કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો છવાય રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર