જૂનાગઢ12 મિનિટ પહેલા
કેશોદ તાલુકાના એક ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા 55 વર્ષના નરાધમે એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી સગીરાને માતા બનાવાની ઘટના સામે આવી હતી. પરિવારજનોને આ ઘટનાની જણ થતાં સગીરાના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નરાધમ આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પૂછપરછ હાથ ધરવામાં આવી
પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બળાત્કારી નરાધમને પકડવા અલગ-અલગ ટીમો બનાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ એસ.પી રવીતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ એલસીબી અને કેશોદ પોલીસે આરોપીને પકડી પાડવા સફળતા મળી હતી. જે બાદ દુષ્કર્મના નરાધમ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે…